વધ્યું ભારતીયોના માથા પર દેવું! Debtને લઈ IMFએ આપી ચેવતણી, જાણો કેટલા લાખ કરોડનું દેવું બાકી છે?


  • Published By :
  • Published Date : 2023-12-22 11:17:13

તમે જીવનમાં ક્યારેક તો એવું સાંભળ્યું હશે કે આપણા માથાના જેટલા વાળ છે એટલું દેવું દેશ પર છે! વાળ વધતાં નથી ઓછા થાય છે પણ આ દેવું તો વધતું જ જઈ રહ્યું છે. અત્યારે દેશ પર જેટલું દેવું છે એ આંકડો વાંચીને તમે દંગ રહી જશો. એક તરફ ભારત દેશદુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની ગઈ છે પરંતુ તેની સાથે દેશ પર બોજો પણ બધી રહ્યો છે.  


ભારતનું દેવું 205 લાખ કરોડ પર પહોંચ્યું!  

એક તરફ ભારત દેશને વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ભારત ભલે દુનિયામાં સૌથી ઝડપથી આર્થિક રીતે વિકસીત થઈ રહ્યું છે પરંતુ શું તમને ખબર છે કે ભારત પર દેવું સતત વધી રહ્યું છે? એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત પર 205 લાખ કરોડનું દેવું છે. દેશમાં ચાલુ નાણાકીય વર્ષ જુલાઈ સપ્ટેમ્બરમાં કુલ દેવું વધ્યું છે. રિપોર્ટ અનુસાર ત્રિમાસિકમાં કુલ દેવું વધીને 2.47 ટ્રિલિયન ડોલર એટલે કે 205 લાખ કરોડ પર પહોંચી ગયું છે.    


આઈએમએફ દ્વારા આપવામાં આવી ચેતવણી 

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા દેવાને લઈ ભારત સરકારને ચેતવણી આપવામાં આવી છે. ચેતવણી આપતા કહેવામાં આવ્યું કે ભારતનું સામાન્ય સરકારી દેવું મધ્યમ ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે જીડીપીના 100% કરતાં વધી શકે છે, બિઝનેસ સ્ટાન્ડર્ડે જણાવ્યું હતું કે લાંબા ગાળાના જોખમો ઊંચા છે કારણ કે દેશને સુધારવા માટે નોંધપાત્ર રોકાણની જરૂર છે. આ દેવું પાછળ વધવાના અનેક કારણો હોઈ શકે છે. 


શું કહે છે આરબીઆઈનો ડેટા?

એક કારણ છે કે ડોલરની કિંમતમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. અગાઉના નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં કુલ દેવાની રકમ $2.34 ટ્રિલિયન એટલે કે રૂ. 200 ટ્રિલિયન હતી. ઈન્ડિયાબોન્ડ્સ.કોમના સહ-સ્થાપક વિશાલ ગોયેન્કાએ જણાવ્યું કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેન્દ્ર સરકારનું દેવું $1.34 ટ્રિલિયન એટલે કે  રૂ. 161.1 ટ્રિલિયન હતું, જે માર્ચ ક્વાર્ટરમાં $1.06 ટ્રિલિયન અથવા રૂ. 150.4 ટ્રિલિયન હતું. ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલ ડેટા.


દેવામાં કોનો કેટલો હિસ્સો?  

161.1 લાખ કરોડ રૂપિયાનું દેવું કેન્દ્ર સરકારનું છે. આ દેવું કુલ રકમના સૌથી વધુ 46.04 ટકા હિસ્સો ધરાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે રાજ્ય સરકારોનો દેવું હિસ્સો 24.4 ટકા અથવા USD 604 બિલિયન (રૂ. 50.18 લાખ કરોડ) હતો. ટ્રેઝરી બિલ્સની કિંમત USD 111 બિલિયન અથવા રૂ. 9.25 લાખ કરોડ હતી, જે કુલ દેવાના 4.51 ટકા છે. રિપોર્ટ મુજબ, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કોર્પોરેટ બોન્ડ્સનો કુલ દેવું USD 531 બિલિયન (રૂ. 44.16 લાખ કરોડ)ના 21.52 ટકા હિસ્સો હતો. કેન્દ્ર સરકારનું દેવું આ કુલ દેવામાં 46.04 ટકા જેટલો ભાગ ભોગવે છે. 



આ અગાઉ પણ આપવામાં આવી હતી ચેતવણી 

મહત્વનું છે કે આની પહેલા પણ આ અંગે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMFએ ભારત સરકારને ચેતવણી આપી હતી. વૈશ્વિક સંસ્થાએ કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યો સહિત ભારતનું સામાન્ય સરકારી દેવું મધ્યમ ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન જીડીપીના 100 ટકાથી ઉપર પહોંચી શકે છે. મહત્વનું છે કે આને લઈ કેન્દ્ર સરકારે અસહમતતા દર્શાવી હતી. ત્યારે સરકાર આ દેવું ક્યારે ચૂકવી શકે છે તે જોવાનું રહ્યું




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.