ફેસ્ટિવ સિઝન આવતા ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેનની વધારાઈ ફ્રીક્વન્સી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:43:57

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી રેલવે વિભાગે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનને દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળી દરમિયાન પ્રવાસ કરનારા યાત્રીકોને મુશ્કેલી ન પડે તે માટે ઉત્તર-પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેનને સપ્તાહમાં એક વખત દોડાવવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે આ ટ્રેન દ્વારકા, રાજકોટ, મહેસાણા, આબુ રોડ, અજમેર, જયપુર સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે. 

09523/Okha - Delhi Sarai Rohilla Special Fare SF Festivel Special - Okha to  Delhi Sarai Rohilla WR/Western Zone - Railway Enquiry


તહેવાર દરમિયાન વિશેષ ટ્રેનને દોડાવવાનો નિર્ણય 

તહેવારોની સિઝન ચાલું થઈ ગઈ છે. દિવાળીમાં બહારગામ ફરવા માટેનું પ્લાનિંગ પણ લોકોએ શરૂ કરી દીધું છે. દિવાળીના સમયે રેલવેમાં ભારે ઘસારો જોવા મળે છે. પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચવા લોકો રેલવેનો ઉપયોગ કરે છે. ત્યારે ફેસ્ટિવ સિઝન ચાલુ થતાં જ રેલવે વિભાગે વિશેષ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી દીધી છે. અઠવાડિયામાં એક દિવસ ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ચલાવવામાં આવશે. 18 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી આ સ્પેશિયસ ટ્રેનને ચલાવવામાં આવશે.


Just Send Sms On Railway Enquiry Number 139 And Know Pnr Fare Seat  Availability Train Time Table And Tatkal Availability | રેલવે ઇન્ક્વાયરી  નંબર 139થી ટ્રેન ટાઈમ ટેબલ, ભાડું અને સીટની જાણકારી


મંગળવારે ઉપડશે ઓખા દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન

ટ્રેન નંબર 09523 અઠવાડિયામાં એક વખત પોતાનો પ્રવાસ  કરશે. 18 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી ચાલનારી આ ટ્રેન કુલ 7 ટ્રીપ કરવાની છે. દર મંગળવારે સવારે 10 વાગ્યે ઉપડશે અને બુધવારે 10.10 વાગ્યે દિલ્હી સરાય રોહિલા પહોંચાડશે. આ વખતે ટ્રેનમાં વધારે ડબ્બાઓ મુકાવામાં આવશે. તહેવારો દરમિયાન પેસેન્જર સરળતાથી મુસાફરી કરી શકે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. તહેવારોને કારણે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.