ફેસ્ટિવ સિઝન આવતા ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેનની વધારાઈ ફ્રીક્વન્સી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:43:57

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી રેલવે વિભાગે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનને દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળી દરમિયાન પ્રવાસ કરનારા યાત્રીકોને મુશ્કેલી ન પડે તે માટે ઉત્તર-પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેનને સપ્તાહમાં એક વખત દોડાવવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે આ ટ્રેન દ્વારકા, રાજકોટ, મહેસાણા, આબુ રોડ, અજમેર, જયપુર સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે. 

09523/Okha - Delhi Sarai Rohilla Special Fare SF Festivel Special - Okha to  Delhi Sarai Rohilla WR/Western Zone - Railway Enquiry


તહેવાર દરમિયાન વિશેષ ટ્રેનને દોડાવવાનો નિર્ણય 

તહેવારોની સિઝન ચાલું થઈ ગઈ છે. દિવાળીમાં બહારગામ ફરવા માટેનું પ્લાનિંગ પણ લોકોએ શરૂ કરી દીધું છે. દિવાળીના સમયે રેલવેમાં ભારે ઘસારો જોવા મળે છે. પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચવા લોકો રેલવેનો ઉપયોગ કરે છે. ત્યારે ફેસ્ટિવ સિઝન ચાલુ થતાં જ રેલવે વિભાગે વિશેષ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી દીધી છે. અઠવાડિયામાં એક દિવસ ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ચલાવવામાં આવશે. 18 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી આ સ્પેશિયસ ટ્રેનને ચલાવવામાં આવશે.


Just Send Sms On Railway Enquiry Number 139 And Know Pnr Fare Seat  Availability Train Time Table And Tatkal Availability | રેલવે ઇન્ક્વાયરી  નંબર 139થી ટ્રેન ટાઈમ ટેબલ, ભાડું અને સીટની જાણકારી


મંગળવારે ઉપડશે ઓખા દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન

ટ્રેન નંબર 09523 અઠવાડિયામાં એક વખત પોતાનો પ્રવાસ  કરશે. 18 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી ચાલનારી આ ટ્રેન કુલ 7 ટ્રીપ કરવાની છે. દર મંગળવારે સવારે 10 વાગ્યે ઉપડશે અને બુધવારે 10.10 વાગ્યે દિલ્હી સરાય રોહિલા પહોંચાડશે. આ વખતે ટ્રેનમાં વધારે ડબ્બાઓ મુકાવામાં આવશે. તહેવારો દરમિયાન પેસેન્જર સરળતાથી મુસાફરી કરી શકે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. તહેવારોને કારણે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.