Ind Vs Aus: PM મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ મહામુકાબલો જોવા અમદાવાદ પધારશે


  • Published By :
  • Published Date : 2023-11-17 19:29:28

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચમાં 48 કલાકથી પણ ઓછો સમય બાકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મહા મુકાબલામાં ઘણી મોટી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. પીએમ નરેન્દ્ર મોદી પોતે આ મહા મુકાબલો જોવા માટે અમદાવાદ આવવાના છે. ભારતે આ ફાઈનલ મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે હવે આ મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયાના PMના બદલે ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ અમદાવાદ આવશે.


ઓસ્ટ્રેલિયાએ આમંત્રણ સ્વીકાર્યું


વર્લ્ડકપ 2023ની ફાઈનલનો રોમાંચ વધી રહ્યો છે. 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શાનદાર મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ સાથે સ્ટેડિયમમાં હાજર રહેશે. આ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મળતી માહિતી મુજબ પીએમ ઓફિસે મેચ જોવા માટે વડાપ્રધાન મોદીના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.


રિચર્ડ માર્લ્સ વાટાઘાટોની મીટિંગમાં ભાગ લેશે


ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે તેમના સહયોગી અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને તેમના વતી આ મેચમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે. આ ઉપરાંત ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ 2+2 મીટિંગમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને ડેપ્યુટી પીએમ અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લ્સ '2 પ્લસ 2' મંત્રી સ્તરીય વાટાઘાટોમાં ભાગ લેવા સોમવારે ભારત આવશે. જો કે, 'ટુ પ્લસ ટુ' મંત્રણા કે વોંગ અને માર્કલ્સની ભારતની પ્રસ્તાવિત મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.