Ind Vs Aus: PM મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ મહામુકાબલો જોવા અમદાવાદ પધારશે


  • Published By :
  • Published Date : 2023-11-17 19:29:28

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચમાં 48 કલાકથી પણ ઓછો સમય બાકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મહા મુકાબલામાં ઘણી મોટી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. પીએમ નરેન્દ્ર મોદી પોતે આ મહા મુકાબલો જોવા માટે અમદાવાદ આવવાના છે. ભારતે આ ફાઈનલ મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે હવે આ મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયાના PMના બદલે ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ અમદાવાદ આવશે.


ઓસ્ટ્રેલિયાએ આમંત્રણ સ્વીકાર્યું


વર્લ્ડકપ 2023ની ફાઈનલનો રોમાંચ વધી રહ્યો છે. 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શાનદાર મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ સાથે સ્ટેડિયમમાં હાજર રહેશે. આ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મળતી માહિતી મુજબ પીએમ ઓફિસે મેચ જોવા માટે વડાપ્રધાન મોદીના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.


રિચર્ડ માર્લ્સ વાટાઘાટોની મીટિંગમાં ભાગ લેશે


ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે તેમના સહયોગી અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને તેમના વતી આ મેચમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે. આ ઉપરાંત ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ 2+2 મીટિંગમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને ડેપ્યુટી પીએમ અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લ્સ '2 પ્લસ 2' મંત્રી સ્તરીય વાટાઘાટોમાં ભાગ લેવા સોમવારે ભારત આવશે. જો કે, 'ટુ પ્લસ ટુ' મંત્રણા કે વોંગ અને માર્કલ્સની ભારતની પ્રસ્તાવિત મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.