Ind Vs Aus: PM મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ મહામુકાબલો જોવા અમદાવાદ પધારશે


  • Published By :
  • Published Date : 2023-11-17 19:29:28

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચમાં 48 કલાકથી પણ ઓછો સમય બાકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મહા મુકાબલામાં ઘણી મોટી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. પીએમ નરેન્દ્ર મોદી પોતે આ મહા મુકાબલો જોવા માટે અમદાવાદ આવવાના છે. ભારતે આ ફાઈનલ મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે હવે આ મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયાના PMના બદલે ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ અમદાવાદ આવશે.


ઓસ્ટ્રેલિયાએ આમંત્રણ સ્વીકાર્યું


વર્લ્ડકપ 2023ની ફાઈનલનો રોમાંચ વધી રહ્યો છે. 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શાનદાર મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ સાથે સ્ટેડિયમમાં હાજર રહેશે. આ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મળતી માહિતી મુજબ પીએમ ઓફિસે મેચ જોવા માટે વડાપ્રધાન મોદીના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.


રિચર્ડ માર્લ્સ વાટાઘાટોની મીટિંગમાં ભાગ લેશે


ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે તેમના સહયોગી અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને તેમના વતી આ મેચમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે. આ ઉપરાંત ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ 2+2 મીટિંગમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને ડેપ્યુટી પીએમ અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લ્સ '2 પ્લસ 2' મંત્રી સ્તરીય વાટાઘાટોમાં ભાગ લેવા સોમવારે ભારત આવશે. જો કે, 'ટુ પ્લસ ટુ' મંત્રણા કે વોંગ અને માર્કલ્સની ભારતની પ્રસ્તાવિત મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.