Ind Vs Aus: PM મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ મહામુકાબલો જોવા અમદાવાદ પધારશે


  • Published By :
  • Published Date : 2023-11-17 19:29:28

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચમાં 48 કલાકથી પણ ઓછો સમય બાકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મહા મુકાબલામાં ઘણી મોટી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. પીએમ નરેન્દ્ર મોદી પોતે આ મહા મુકાબલો જોવા માટે અમદાવાદ આવવાના છે. ભારતે આ ફાઈનલ મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે હવે આ મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયાના PMના બદલે ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ અમદાવાદ આવશે.


ઓસ્ટ્રેલિયાએ આમંત્રણ સ્વીકાર્યું


વર્લ્ડકપ 2023ની ફાઈનલનો રોમાંચ વધી રહ્યો છે. 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શાનદાર મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ સાથે સ્ટેડિયમમાં હાજર રહેશે. આ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મળતી માહિતી મુજબ પીએમ ઓફિસે મેચ જોવા માટે વડાપ્રધાન મોદીના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.


રિચર્ડ માર્લ્સ વાટાઘાટોની મીટિંગમાં ભાગ લેશે


ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે તેમના સહયોગી અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને તેમના વતી આ મેચમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે. આ ઉપરાંત ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ 2+2 મીટિંગમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને ડેપ્યુટી પીએમ અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લ્સ '2 પ્લસ 2' મંત્રી સ્તરીય વાટાઘાટોમાં ભાગ લેવા સોમવારે ભારત આવશે. જો કે, 'ટુ પ્લસ ટુ' મંત્રણા કે વોંગ અને માર્કલ્સની ભારતની પ્રસ્તાવિત મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.