IND vs SA 2nd Test: ભારતે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું, સિરિઝ 1-1થી ડ્રો; સિરાજ-બુમરાહ જીતના હીરો


  • Published By :
  • Published Date : 2024-01-04 21:35:43

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની સીરીઝની બીજી મેચ સાત વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી. જે બાદ ભારત 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. યજમાન ટીમે બીજા દાવમાં 173 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે ત્રણ વિકેટ ગુમાવીને આ જીત મેળવી હતી.


ભારતે ઈતિહાસ રચ્યો


કેપટાઉન ટેસ્ટ જીતીને ભારતે ઈતિહાસ રચ્યો છે. તેણે અહીં પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી છે. કેપટાઉનમાં ભારતની આ સાતમી ટેસ્ટ મેચ હતી. અગાઉ તેને છમાંથી ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બે ટેસ્ટ ડ્રો થઈ હતી. ભારતે કેપટાઉન ટેસ્ટ જીતીને શ્રેણીમાં પણ 1-1ની બરાબરી હાંસલ કરી હતી. આ બીજી વખત છે જ્યારે ભારત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરવામાં સફળ રહ્યું છે. અગાઉ 2010-11માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.


કેપ્ટન રોહિત શર્મા પીચથી નાખુશ 


રોહિતે મેચ બાદ કહ્યું, 'કેપટાઉનની પીચ ટેસ્ટ મેચ માટે આદર્શ નહોતી. જ્યાં સુધી કોઈ ભારતીય પીચો વિશે ફરિયાદ ન કરે ત્યાં સુધી મને આવી પીચો પર રમવામાં કોઈ વાંધો નથી. ભારતના ટર્નિંગ ટ્રેકની અવારનવાર ટીકા થાય છે. વર્લ્ડ કપની ફાઈનલની પિચ પર પણ સવાલ ઉઠ્યા હતા. આઈસીસીએ આની તપાસ કરવી જોઈએ.


રોહિતે જીતનો શ્રેય આ ખેલાડીઓને આપ્યો


ટીમના વખાણ કરતા રોહિતે કહ્યું, 'તે સારી સિદ્ધિ રહી. અમારે સેન્ચુરિયનની ભૂલોમાંથી શીખવું જોઈતું હતું. જો કે અમે ખૂબ જ સારી વાપસી કરી, ખાસ કરીને અમારા બોલરોએ સારી બોલિંગ કરી, હું સિરાજ, બુમરાહ, મુકેશ અને પ્રસિધ્ધને શ્રેય આપવા માંગુ છું. જ્યારે પણ તમે અહીં આવો છો, તે પડકારજનક હોય છે. રોહિતે કહ્યું, 'અમે ભારતની બહાર ખૂબ સારું ક્રિકેટ રમ્યા છીએ, અમને તેના પર ખૂબ ગર્વ છે. અમને શ્રેણી જીતવી ગમશે. દક્ષિણ આફ્રિકા એક શાનદાર ટીમ છે, તેઓ હંમેશા અમને પડકાર આપે છે. અમે આ પ્રદર્શન પર ખૂબ ગર્વ અનુભવી શકીએ છીએ.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.