IND vs SA 2nd Test: ભારતે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું, સિરિઝ 1-1થી ડ્રો; સિરાજ-બુમરાહ જીતના હીરો


  • Published By :
  • Published Date : 2024-01-04 21:35:43

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની સીરીઝની બીજી મેચ સાત વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી. જે બાદ ભારત 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. યજમાન ટીમે બીજા દાવમાં 173 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે ત્રણ વિકેટ ગુમાવીને આ જીત મેળવી હતી.


ભારતે ઈતિહાસ રચ્યો


કેપટાઉન ટેસ્ટ જીતીને ભારતે ઈતિહાસ રચ્યો છે. તેણે અહીં પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી છે. કેપટાઉનમાં ભારતની આ સાતમી ટેસ્ટ મેચ હતી. અગાઉ તેને છમાંથી ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બે ટેસ્ટ ડ્રો થઈ હતી. ભારતે કેપટાઉન ટેસ્ટ જીતીને શ્રેણીમાં પણ 1-1ની બરાબરી હાંસલ કરી હતી. આ બીજી વખત છે જ્યારે ભારત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરવામાં સફળ રહ્યું છે. અગાઉ 2010-11માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.


કેપ્ટન રોહિત શર્મા પીચથી નાખુશ 


રોહિતે મેચ બાદ કહ્યું, 'કેપટાઉનની પીચ ટેસ્ટ મેચ માટે આદર્શ નહોતી. જ્યાં સુધી કોઈ ભારતીય પીચો વિશે ફરિયાદ ન કરે ત્યાં સુધી મને આવી પીચો પર રમવામાં કોઈ વાંધો નથી. ભારતના ટર્નિંગ ટ્રેકની અવારનવાર ટીકા થાય છે. વર્લ્ડ કપની ફાઈનલની પિચ પર પણ સવાલ ઉઠ્યા હતા. આઈસીસીએ આની તપાસ કરવી જોઈએ.


રોહિતે જીતનો શ્રેય આ ખેલાડીઓને આપ્યો


ટીમના વખાણ કરતા રોહિતે કહ્યું, 'તે સારી સિદ્ધિ રહી. અમારે સેન્ચુરિયનની ભૂલોમાંથી શીખવું જોઈતું હતું. જો કે અમે ખૂબ જ સારી વાપસી કરી, ખાસ કરીને અમારા બોલરોએ સારી બોલિંગ કરી, હું સિરાજ, બુમરાહ, મુકેશ અને પ્રસિધ્ધને શ્રેય આપવા માંગુ છું. જ્યારે પણ તમે અહીં આવો છો, તે પડકારજનક હોય છે. રોહિતે કહ્યું, 'અમે ભારતની બહાર ખૂબ સારું ક્રિકેટ રમ્યા છીએ, અમને તેના પર ખૂબ ગર્વ છે. અમને શ્રેણી જીતવી ગમશે. દક્ષિણ આફ્રિકા એક શાનદાર ટીમ છે, તેઓ હંમેશા અમને પડકાર આપે છે. અમે આ પ્રદર્શન પર ખૂબ ગર્વ અનુભવી શકીએ છીએ.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.