Independence Day Celebration : PM Modiએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને કર્યા સંબોધિત, સાંભળો તેમના સંબોધનના મહત્વના મુદ્દા


  • Published By :
  • Published Date : 2023-08-15 10:41:26

દેશ આજે 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. લાલ કિલ્લા પર પીએમ મોદીએ ધ્વજારોહન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે અનેક વાતો કરી હતી. અનેક જાહેરાતો કરી હતી. 10મી વખત લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ ધ્વજારોહન કર્યું હતું. પીએમ મોદીએ દેશવાસીઓને ત્રણ ગેરંટી આપી છે. પહેલી ગેરંટી ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે. બીજી ગેરંટી શહેરોમાં ભાડાના મકાનોમાં રહેતા દેશવાસીઓને બેંક લોનમાં રાહત આપવા કાર્ય કરાશે. ત્રીજા વાયદાની વાત કરીએ તો સમગ્ર દેશમાં 10 હજારથી 25 હજાર જનઓષધિ કેન્દ્રો ખોલવામાં આવશે.


મણિપુરનો પીએમ મોદી કર્યો પોતાના સંબોધનમાં ઉલ્લેખ

પોતના સંબોધનમાં પીએમ મોદીએ મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા દિવસોમાં મણિપુરમાં હિંસાનો સમય હતો. મા-દીકરીઓના સન્માન સાથે ગડબડ થઈ હતી, પરંતુ આજે ત્યાંની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ પાછી આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ પુન સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. દેશ મણિપુરના લોકો સાથે છે. 


યુવા શક્તિને લઈ પીએમ મોદીએ કહી આ વાત 

દેશવાસીઓને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે હું ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનાર તમામ બહાદુર જવાનોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વીરોએ પોતાના જીવના બલિદાન આપી દેશને આઝાદી અપાવી છે. બલિદાન આપી વિરોએ ભારત માતાને આઝાદ કરાવ્યા હતા. યુવા શક્તિ પર વાત કરતા તેમણે કહ્યું કે આજે જે આપણે નિર્ણય લઈએ, તે 1000 વર્ષ સુધી આપણું ભાગ્ય લખે છે. આજે જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે ભાગ્યે જ કોઈના ભાગ્યમાં હોય છે. મને યુવાશક્તિ પર વિશ્વાસ છે. યુવાનોએ વિશ્વની પ્રથમ ત્રણ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં સ્થાન આપ્યું છે. ભારતની આ શક્તિ જોઈને દુનિયા આશ્ચર્યમાં પડી રહ્યા છે.  પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સ્ત્રી સશક્તિકરણની વાત પણ કરી હતી.  ચંદ્રયાન-3 પ્રોજેક્ટનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે તેવું તેમણે કહ્યું હતું. 


વિશ્વકર્મા જયંતી પર લોન્ચ થશે વિશ્વકર્મા યોજના 

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી એક જાહેરાત કરી છે. મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજાનાઓનો ઉલ્લેખ કર્યો હતો. નવી યોજનાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે વિશ્વકર્મા જયંતી પર 13થી 15 હજાર કરોડ રૂપિયા સાથે નવી તાકાત આપવા માટે અમે આવતા મહિનામાં વિશ્વકર્મા જયંતી પર વિશ્વકર્મા યોજના શરૂ કરીશું.  



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .