Independence Day Celebration : PM Modiએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને કર્યા સંબોધિત, સાંભળો તેમના સંબોધનના મહત્વના મુદ્દા


  • Published By :
  • Published Date : 2023-08-15 10:41:26

દેશ આજે 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. લાલ કિલ્લા પર પીએમ મોદીએ ધ્વજારોહન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે અનેક વાતો કરી હતી. અનેક જાહેરાતો કરી હતી. 10મી વખત લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ ધ્વજારોહન કર્યું હતું. પીએમ મોદીએ દેશવાસીઓને ત્રણ ગેરંટી આપી છે. પહેલી ગેરંટી ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે. બીજી ગેરંટી શહેરોમાં ભાડાના મકાનોમાં રહેતા દેશવાસીઓને બેંક લોનમાં રાહત આપવા કાર્ય કરાશે. ત્રીજા વાયદાની વાત કરીએ તો સમગ્ર દેશમાં 10 હજારથી 25 હજાર જનઓષધિ કેન્દ્રો ખોલવામાં આવશે.


મણિપુરનો પીએમ મોદી કર્યો પોતાના સંબોધનમાં ઉલ્લેખ

પોતના સંબોધનમાં પીએમ મોદીએ મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા દિવસોમાં મણિપુરમાં હિંસાનો સમય હતો. મા-દીકરીઓના સન્માન સાથે ગડબડ થઈ હતી, પરંતુ આજે ત્યાંની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ પાછી આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ પુન સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. દેશ મણિપુરના લોકો સાથે છે. 


યુવા શક્તિને લઈ પીએમ મોદીએ કહી આ વાત 

દેશવાસીઓને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે હું ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનાર તમામ બહાદુર જવાનોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વીરોએ પોતાના જીવના બલિદાન આપી દેશને આઝાદી અપાવી છે. બલિદાન આપી વિરોએ ભારત માતાને આઝાદ કરાવ્યા હતા. યુવા શક્તિ પર વાત કરતા તેમણે કહ્યું કે આજે જે આપણે નિર્ણય લઈએ, તે 1000 વર્ષ સુધી આપણું ભાગ્ય લખે છે. આજે જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે ભાગ્યે જ કોઈના ભાગ્યમાં હોય છે. મને યુવાશક્તિ પર વિશ્વાસ છે. યુવાનોએ વિશ્વની પ્રથમ ત્રણ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં સ્થાન આપ્યું છે. ભારતની આ શક્તિ જોઈને દુનિયા આશ્ચર્યમાં પડી રહ્યા છે.  પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સ્ત્રી સશક્તિકરણની વાત પણ કરી હતી.  ચંદ્રયાન-3 પ્રોજેક્ટનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે તેવું તેમણે કહ્યું હતું. 


વિશ્વકર્મા જયંતી પર લોન્ચ થશે વિશ્વકર્મા યોજના 

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી એક જાહેરાત કરી છે. મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજાનાઓનો ઉલ્લેખ કર્યો હતો. નવી યોજનાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે વિશ્વકર્મા જયંતી પર 13થી 15 હજાર કરોડ રૂપિયા સાથે નવી તાકાત આપવા માટે અમે આવતા મહિનામાં વિશ્વકર્મા જયંતી પર વિશ્વકર્મા યોજના શરૂ કરીશું.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.