ગુજરાતના રાજકારણમાં નવાજુનીના એંધાણ, 3 અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-12-11 16:03:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે રાજકીય પક્ષપલટાની મોસમ ફરી પૂરબહારમાં ખીલી છે. આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠક પર જંગી વિજય મેળવનાર ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે તેવા સમાચાર વહેતા થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિસાવદર બેઠકથી ભાજપના જ ઉમેદવાર હર્ષદ રિબડીયાને સાત હજાર 63 મતથી હરાવીને ભૂપતભાઈ ભાયાણીએ જીત મેળવી હતી. જો કે હવે ત્રણ અપક્ષ પણ ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. 


અપક્ષ ધારાસભ્યોની ગુપ્ત બેઠક


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ત્રણ અપક્ષે ગુપ્ત બેઠક કરતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બાયડથી વિજેતા બનેલા ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ, ધાનેરાના માવજીભાઈ દેસાઈએ ગુપ્ત બેઠક કરી હતી. અત્રે નોંધવા જેવી બાબત એ છે કે બાયડથી વિજેતા બનેલા ધવલસિંહ ઝાલા અને ધાનેરાના માવજીભાઈ દેસાઈને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ  તરીકે ચૂંટણી લડ્યા હતા અને વિજયી પણ બન્યા હતા.  જો કે વિજેતા થયા બાદ તેઓ નવાજૂની ભૂલીને તેમની મૂળ પાર્ટી ભાજપમાં ફરી જોડાય તેવી પૂરી શક્યતા છે. જો કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બળવાખોરોને ભાજપમાં પરત નહીં લેવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો જો કે હવે પાટીલ આ ત્રણેય નેતાઓને ભાજપમાં સ્વિકારે છે કે કેમ તેના પર સૌની નજર છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.