ઇન્ડી અલાયન્સે ઓપરેશન સિંદૂર વિશે પીએમ મોદીને પત્ર લખીને શું માંગણી કરી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-03 16:41:58

ઇન્ડિ અલાયન્સના 16 રાજકીય પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી લખી છે જેમાં આ તમામ પક્ષોએ સરકાર સમક્ષ એક જ માંગ કરી છે કે , સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે . વિપક્ષ આ માંગ પહલગામના આતંકી હુમલા પછી કરી રહ્યો છે . તો આવો જાણીએ ઇન્ડી અલાયન્સે પીએમ મોદીને પત્ર લખીને શું માંગણી કરી છે? 

ઇન્ડી અલાયન્સના ૧૬ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે , સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે . જેમાં રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મહત્વના મુદ્દાઓ જેમ કે , પહલગામના આતંકી હુમલાથી લઇને ઓપરેશન સિંદૂર અને સીઝફાયર પર ચર્ચા કરવામાં આવે . આ માટે દિલ્હીમાં ઇન્ડી અલાયન્સના પ્રતિનિધિઓ વચ્ચે મિટિંગ મળી હતી .  જે ૧૬ પક્ષોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે તેમાં કોંગ્રેસ , સમાજવાદી પાર્ટી , તૃણમૂલ કોંગ્રેસ , શીવ સેના ( UBT ) , રાષ્ટ્રીય જનતા દળ , DMK , નેશનલ કોન્ફરન્સ , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ( માર્ક્સિસ્ટ) , CPI , ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ , રિવોલ્યુશનરી સોશ્યાલિસ્ટ પાર્ટી , ઝારખંડ મુક્તિ મોરચો , વિદુથલાઈ ચિરૂથઈગલ કાટચી ( VCK ) , કેરાલા કોંગ્રેસ , MDMK અને CPI લિબરેશનનો સમાવેશ થાય છે . આ બધામાં આમ આદમી પાર્ટી હાજર નહોતી , તેમના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે , તેઓ પોતે એક અલગ પત્ર પીએમ મોદીને લખશે.ઇન્ડી અલાયસની આ પાર્ટી મુખ્યત્વે પાંચ બાબતો વિશે સંસદમાં ચર્ચા ઈચ્છે છે . ૧) પહલગામનો આતંકી હુમલો , ૨) ઓપરેશન સિંદૂર , ૩) US દ્વારા જે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું ૪) ભારતનો રાજદ્વારી રિસ્પોન્સ ૫) ભવિષ્યમાં આતંકવાદને નાથવા માટેની રણનીતિ પર . 

The Indian Parliament: A Simple Guide - Bharat Articles

વાત કરીએ સંસદના વિશેષ સત્રંની તો , ભૂતકાળમાં ૨૦૨૩ના વર્ષમાં મહિલા અનામત બિલની માટે , ૨૦૧૭માં GST બિલના અમલીકરણ માટે , ૨૦૧૫માં ર્ડો બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિ નિમિતે તેમને યાદ કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું . આપને જણાવી દયિકે બંધારણમાં અને સંસદના બને ગૃહોની રુલ બુકમાં ક્યાંય પર સ્પેશયલ સેંશન શબ્દ આપવામાં નથી આવ્યો . આ શબ્દ માત્રને માત્ર કલમ ૩૫૨માં જે કટોકટીને લગતી છે તેમાં આપવામાં આવેલો છે .




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.