ઇન્ડી અલાયન્સે ઓપરેશન સિંદૂર વિશે પીએમ મોદીને પત્ર લખીને શું માંગણી કરી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-03 16:41:58

ઇન્ડિ અલાયન્સના 16 રાજકીય પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી લખી છે જેમાં આ તમામ પક્ષોએ સરકાર સમક્ષ એક જ માંગ કરી છે કે , સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે . વિપક્ષ આ માંગ પહલગામના આતંકી હુમલા પછી કરી રહ્યો છે . તો આવો જાણીએ ઇન્ડી અલાયન્સે પીએમ મોદીને પત્ર લખીને શું માંગણી કરી છે? 

ઇન્ડી અલાયન્સના ૧૬ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે , સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે . જેમાં રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મહત્વના મુદ્દાઓ જેમ કે , પહલગામના આતંકી હુમલાથી લઇને ઓપરેશન સિંદૂર અને સીઝફાયર પર ચર્ચા કરવામાં આવે . આ માટે દિલ્હીમાં ઇન્ડી અલાયન્સના પ્રતિનિધિઓ વચ્ચે મિટિંગ મળી હતી .  જે ૧૬ પક્ષોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે તેમાં કોંગ્રેસ , સમાજવાદી પાર્ટી , તૃણમૂલ કોંગ્રેસ , શીવ સેના ( UBT ) , રાષ્ટ્રીય જનતા દળ , DMK , નેશનલ કોન્ફરન્સ , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ( માર્ક્સિસ્ટ) , CPI , ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ , રિવોલ્યુશનરી સોશ્યાલિસ્ટ પાર્ટી , ઝારખંડ મુક્તિ મોરચો , વિદુથલાઈ ચિરૂથઈગલ કાટચી ( VCK ) , કેરાલા કોંગ્રેસ , MDMK અને CPI લિબરેશનનો સમાવેશ થાય છે . આ બધામાં આમ આદમી પાર્ટી હાજર નહોતી , તેમના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે , તેઓ પોતે એક અલગ પત્ર પીએમ મોદીને લખશે.ઇન્ડી અલાયસની આ પાર્ટી મુખ્યત્વે પાંચ બાબતો વિશે સંસદમાં ચર્ચા ઈચ્છે છે . ૧) પહલગામનો આતંકી હુમલો , ૨) ઓપરેશન સિંદૂર , ૩) US દ્વારા જે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું ૪) ભારતનો રાજદ્વારી રિસ્પોન્સ ૫) ભવિષ્યમાં આતંકવાદને નાથવા માટેની રણનીતિ પર . 

The Indian Parliament: A Simple Guide - Bharat Articles

વાત કરીએ સંસદના વિશેષ સત્રંની તો , ભૂતકાળમાં ૨૦૨૩ના વર્ષમાં મહિલા અનામત બિલની માટે , ૨૦૧૭માં GST બિલના અમલીકરણ માટે , ૨૦૧૫માં ર્ડો બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિ નિમિતે તેમને યાદ કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું . આપને જણાવી દયિકે બંધારણમાં અને સંસદના બને ગૃહોની રુલ બુકમાં ક્યાંય પર સ્પેશયલ સેંશન શબ્દ આપવામાં નથી આવ્યો . આ શબ્દ માત્રને માત્ર કલમ ૩૫૨માં જે કટોકટીને લગતી છે તેમાં આપવામાં આવેલો છે .




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.