ઇન્ડી અલાયન્સે ઓપરેશન સિંદૂર વિશે પીએમ મોદીને પત્ર લખીને શું માંગણી કરી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-03 16:41:58

ઇન્ડિ અલાયન્સના 16 રાજકીય પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી લખી છે જેમાં આ તમામ પક્ષોએ સરકાર સમક્ષ એક જ માંગ કરી છે કે , સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે . વિપક્ષ આ માંગ પહલગામના આતંકી હુમલા પછી કરી રહ્યો છે . તો આવો જાણીએ ઇન્ડી અલાયન્સે પીએમ મોદીને પત્ર લખીને શું માંગણી કરી છે? 

ઇન્ડી અલાયન્સના ૧૬ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે , સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે . જેમાં રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મહત્વના મુદ્દાઓ જેમ કે , પહલગામના આતંકી હુમલાથી લઇને ઓપરેશન સિંદૂર અને સીઝફાયર પર ચર્ચા કરવામાં આવે . આ માટે દિલ્હીમાં ઇન્ડી અલાયન્સના પ્રતિનિધિઓ વચ્ચે મિટિંગ મળી હતી .  જે ૧૬ પક્ષોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે તેમાં કોંગ્રેસ , સમાજવાદી પાર્ટી , તૃણમૂલ કોંગ્રેસ , શીવ સેના ( UBT ) , રાષ્ટ્રીય જનતા દળ , DMK , નેશનલ કોન્ફરન્સ , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ( માર્ક્સિસ્ટ) , CPI , ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ , રિવોલ્યુશનરી સોશ્યાલિસ્ટ પાર્ટી , ઝારખંડ મુક્તિ મોરચો , વિદુથલાઈ ચિરૂથઈગલ કાટચી ( VCK ) , કેરાલા કોંગ્રેસ , MDMK અને CPI લિબરેશનનો સમાવેશ થાય છે . આ બધામાં આમ આદમી પાર્ટી હાજર નહોતી , તેમના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે , તેઓ પોતે એક અલગ પત્ર પીએમ મોદીને લખશે.ઇન્ડી અલાયસની આ પાર્ટી મુખ્યત્વે પાંચ બાબતો વિશે સંસદમાં ચર્ચા ઈચ્છે છે . ૧) પહલગામનો આતંકી હુમલો , ૨) ઓપરેશન સિંદૂર , ૩) US દ્વારા જે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું ૪) ભારતનો રાજદ્વારી રિસ્પોન્સ ૫) ભવિષ્યમાં આતંકવાદને નાથવા માટેની રણનીતિ પર . 

The Indian Parliament: A Simple Guide - Bharat Articles

વાત કરીએ સંસદના વિશેષ સત્રંની તો , ભૂતકાળમાં ૨૦૨૩ના વર્ષમાં મહિલા અનામત બિલની માટે , ૨૦૧૭માં GST બિલના અમલીકરણ માટે , ૨૦૧૫માં ર્ડો બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિ નિમિતે તેમને યાદ કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું . આપને જણાવી દયિકે બંધારણમાં અને સંસદના બને ગૃહોની રુલ બુકમાં ક્યાંય પર સ્પેશયલ સેંશન શબ્દ આપવામાં નથી આવ્યો . આ શબ્દ માત્રને માત્ર કલમ ૩૫૨માં જે કટોકટીને લગતી છે તેમાં આપવામાં આવેલો છે .




૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.