ઇન્ડી અલાયન્સે ઓપરેશન સિંદૂર વિશે પીએમ મોદીને પત્ર લખીને શું માંગણી કરી?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-03 16:41:58

ઇન્ડિ અલાયન્સના 16 રાજકીય પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી લખી છે જેમાં આ તમામ પક્ષોએ સરકાર સમક્ષ એક જ માંગ કરી છે કે , સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે . વિપક્ષ આ માંગ પહલગામના આતંકી હુમલા પછી કરી રહ્યો છે . તો આવો જાણીએ ઇન્ડી અલાયન્સે પીએમ મોદીને પત્ર લખીને શું માંગણી કરી છે? 

ઇન્ડી અલાયન્સના ૧૬ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે , સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે . જેમાં રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મહત્વના મુદ્દાઓ જેમ કે , પહલગામના આતંકી હુમલાથી લઇને ઓપરેશન સિંદૂર અને સીઝફાયર પર ચર્ચા કરવામાં આવે . આ માટે દિલ્હીમાં ઇન્ડી અલાયન્સના પ્રતિનિધિઓ વચ્ચે મિટિંગ મળી હતી .  જે ૧૬ પક્ષોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે તેમાં કોંગ્રેસ , સમાજવાદી પાર્ટી , તૃણમૂલ કોંગ્રેસ , શીવ સેના ( UBT ) , રાષ્ટ્રીય જનતા દળ , DMK , નેશનલ કોન્ફરન્સ , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ( માર્ક્સિસ્ટ) , CPI , ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ , રિવોલ્યુશનરી સોશ્યાલિસ્ટ પાર્ટી , ઝારખંડ મુક્તિ મોરચો , વિદુથલાઈ ચિરૂથઈગલ કાટચી ( VCK ) , કેરાલા કોંગ્રેસ , MDMK અને CPI લિબરેશનનો સમાવેશ થાય છે . આ બધામાં આમ આદમી પાર્ટી હાજર નહોતી , તેમના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે , તેઓ પોતે એક અલગ પત્ર પીએમ મોદીને લખશે.ઇન્ડી અલાયસની આ પાર્ટી મુખ્યત્વે પાંચ બાબતો વિશે સંસદમાં ચર્ચા ઈચ્છે છે . ૧) પહલગામનો આતંકી હુમલો , ૨) ઓપરેશન સિંદૂર , ૩) US દ્વારા જે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું ૪) ભારતનો રાજદ્વારી રિસ્પોન્સ ૫) ભવિષ્યમાં આતંકવાદને નાથવા માટેની રણનીતિ પર . 

The Indian Parliament: A Simple Guide - Bharat Articles

વાત કરીએ સંસદના વિશેષ સત્રંની તો , ભૂતકાળમાં ૨૦૨૩ના વર્ષમાં મહિલા અનામત બિલની માટે , ૨૦૧૭માં GST બિલના અમલીકરણ માટે , ૨૦૧૫માં ર્ડો બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિ નિમિતે તેમને યાદ કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું . આપને જણાવી દયિકે બંધારણમાં અને સંસદના બને ગૃહોની રુલ બુકમાં ક્યાંય પર સ્પેશયલ સેંશન શબ્દ આપવામાં નથી આવ્યો . આ શબ્દ માત્રને માત્ર કલમ ૩૫૨માં જે કટોકટીને લગતી છે તેમાં આપવામાં આવેલો છે .




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .