Delhiમાં INDIA Allianceએ સરકાર પર કર્યો હલ્લાબોલ! સાંસદોના સસ્પેન્શનને લઈ દેશના વિવિધ રાજ્યોમાં થયો વિરોધ, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-22 16:43:52

દેશની સંસદમાં શિયાળું સત્ર ચાલે છે. વિપક્ષી સાંસદો વગર અનેક બિલો પાસ કરવામાં આવી રહ્યા છે કારણ કે રાજ્યસભા અને લોકસભામાંથી કુલ 146 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ વિરોધ કર્યો હતો. સદનમાં હોબાળો કરવાને કારણે 146 સાંસદોને આખા શિયાળા સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં અનેક દિગ્ગજ સાંસદોના નામ છે. સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે ઈન્ડિયા ગઠબંધનના સાંસદો વિરોધ કરી રહ્યા છે. પહેલા સંસદ ભવનની બહાર બેસી સાંસદો વિરોધ કરી રહ્યા હતા પરંતુ હવે દેશના વિવિધ રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે દિલ્હીના જંતર-મંતર ખાતે ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ વિરોધ કર્યો હતો.

આખા દેશમાં સાંસદોને સસ્પેન્ડ કરાતા કરાશે આંદોલન 

શિયાળું સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી સંસદમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ પહેલા હોબાળો થતો હતો પરંતુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા ન હતા પરંતુ સંસદમાં થયેલા હુમલા બાદ આ હોબાળો ઉગ્ર બન્યો અને એક સાથે અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એક દિવસ માટે આ કાર્યવાહી થઈ એવું નથી પરંતુ સસ્પેન્ડ કરવાની કામગીરી બીજા દિવસે પણ ચાલી. એમ કરતા કરતા રાજ્યસભા અને લોકસભામાંથી 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વાતને લઈ ઈન્ડિયા ગઠબંધનના સાંસદો વિરોધ કરી રહ્યા છે. 146 સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં સંસદ ભવનની બહાર તો સાંસદોએ ધરણા કર્યા પરંતુ હવે આખા દેશમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવશે.

જંતર-મંતર ખાતે વિપક્ષી સાંસદોએ કર્યું આંદોલન  

ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ આજે દિલ્હીના જંતરમંતર ખાતે પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓ હાજર હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે શિયાળા સત્રમાં વિપક્ષના 146 સાંસદોને સસ્પેન્ડ કરવું તે માત્ર તેમનું અપમાન નથી પરંતુ દેશની 60 ટકા જનતાનું મોઢું બંધ કરી દીધું છે. સ્ટેજ પરથી રાહુલ ગાંધીએ કહ્યું કે આ માત્ર નફરત અને મહોબ્બત વચ્ચેની લડાઈ નથી, બીજેપી જેટલી નફરત ફેલાવશે, ઈન્ડિયા ગઠબંધન એટલી જ મહોબ્બત, ભાઈચારો અને એકતા ફેલાવશે.    


      

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે.... 

રાહુલ ગાંધી ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બંધારણમાં આપણને વાણી સ્વતંત્રતા મળી છે. આ આઝાદી આપણને મહાત્મા ગાંધીજી, જવાહર લાલ નેહરુજી અને ડૉ. આંબેડકરજીએ આપી હતી. તમે વિપક્ષી સાંસદોને ગૃહમાંથી હાંકી કાઢ્યા અને કોઈપણ વિરોધ વિના તમામ કાયદા પસાર કરી દીધા. આ લોકશાહી માટે સારું નથી. ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા લોકો કહે છે કે 'હું આ જાતિનો માણસ છું, તેથી જ તેઓ મારું અપમાન કરી રહ્યા છે.' અમને ગૃહમાં નોટિસો વાંચવા પણ દેવામાં આવતી નથી, તો શું હું કહી શકું કે મોદી સરકાર દલિતોને બોલવા પણ નથી દેતી!



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.