Delhiમાં INDIA Allianceએ સરકાર પર કર્યો હલ્લાબોલ! સાંસદોના સસ્પેન્શનને લઈ દેશના વિવિધ રાજ્યોમાં થયો વિરોધ, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-22 16:43:52

દેશની સંસદમાં શિયાળું સત્ર ચાલે છે. વિપક્ષી સાંસદો વગર અનેક બિલો પાસ કરવામાં આવી રહ્યા છે કારણ કે રાજ્યસભા અને લોકસભામાંથી કુલ 146 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ વિરોધ કર્યો હતો. સદનમાં હોબાળો કરવાને કારણે 146 સાંસદોને આખા શિયાળા સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં અનેક દિગ્ગજ સાંસદોના નામ છે. સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે ઈન્ડિયા ગઠબંધનના સાંસદો વિરોધ કરી રહ્યા છે. પહેલા સંસદ ભવનની બહાર બેસી સાંસદો વિરોધ કરી રહ્યા હતા પરંતુ હવે દેશના વિવિધ રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે દિલ્હીના જંતર-મંતર ખાતે ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ વિરોધ કર્યો હતો.

આખા દેશમાં સાંસદોને સસ્પેન્ડ કરાતા કરાશે આંદોલન 

શિયાળું સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી સંસદમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ પહેલા હોબાળો થતો હતો પરંતુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા ન હતા પરંતુ સંસદમાં થયેલા હુમલા બાદ આ હોબાળો ઉગ્ર બન્યો અને એક સાથે અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એક દિવસ માટે આ કાર્યવાહી થઈ એવું નથી પરંતુ સસ્પેન્ડ કરવાની કામગીરી બીજા દિવસે પણ ચાલી. એમ કરતા કરતા રાજ્યસભા અને લોકસભામાંથી 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વાતને લઈ ઈન્ડિયા ગઠબંધનના સાંસદો વિરોધ કરી રહ્યા છે. 146 સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં સંસદ ભવનની બહાર તો સાંસદોએ ધરણા કર્યા પરંતુ હવે આખા દેશમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવશે.

જંતર-મંતર ખાતે વિપક્ષી સાંસદોએ કર્યું આંદોલન  

ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ આજે દિલ્હીના જંતરમંતર ખાતે પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓ હાજર હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે શિયાળા સત્રમાં વિપક્ષના 146 સાંસદોને સસ્પેન્ડ કરવું તે માત્ર તેમનું અપમાન નથી પરંતુ દેશની 60 ટકા જનતાનું મોઢું બંધ કરી દીધું છે. સ્ટેજ પરથી રાહુલ ગાંધીએ કહ્યું કે આ માત્ર નફરત અને મહોબ્બત વચ્ચેની લડાઈ નથી, બીજેપી જેટલી નફરત ફેલાવશે, ઈન્ડિયા ગઠબંધન એટલી જ મહોબ્બત, ભાઈચારો અને એકતા ફેલાવશે.    


      

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે.... 

રાહુલ ગાંધી ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બંધારણમાં આપણને વાણી સ્વતંત્રતા મળી છે. આ આઝાદી આપણને મહાત્મા ગાંધીજી, જવાહર લાલ નેહરુજી અને ડૉ. આંબેડકરજીએ આપી હતી. તમે વિપક્ષી સાંસદોને ગૃહમાંથી હાંકી કાઢ્યા અને કોઈપણ વિરોધ વિના તમામ કાયદા પસાર કરી દીધા. આ લોકશાહી માટે સારું નથી. ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા લોકો કહે છે કે 'હું આ જાતિનો માણસ છું, તેથી જ તેઓ મારું અપમાન કરી રહ્યા છે.' અમને ગૃહમાં નોટિસો વાંચવા પણ દેવામાં આવતી નથી, તો શું હું કહી શકું કે મોદી સરકાર દલિતોને બોલવા પણ નથી દેતી!



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે