Delhiમાં INDIA Allianceએ સરકાર પર કર્યો હલ્લાબોલ! સાંસદોના સસ્પેન્શનને લઈ દેશના વિવિધ રાજ્યોમાં થયો વિરોધ, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-22 16:43:52

દેશની સંસદમાં શિયાળું સત્ર ચાલે છે. વિપક્ષી સાંસદો વગર અનેક બિલો પાસ કરવામાં આવી રહ્યા છે કારણ કે રાજ્યસભા અને લોકસભામાંથી કુલ 146 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ વિરોધ કર્યો હતો. સદનમાં હોબાળો કરવાને કારણે 146 સાંસદોને આખા શિયાળા સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં અનેક દિગ્ગજ સાંસદોના નામ છે. સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે ઈન્ડિયા ગઠબંધનના સાંસદો વિરોધ કરી રહ્યા છે. પહેલા સંસદ ભવનની બહાર બેસી સાંસદો વિરોધ કરી રહ્યા હતા પરંતુ હવે દેશના વિવિધ રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે દિલ્હીના જંતર-મંતર ખાતે ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ વિરોધ કર્યો હતો.

આખા દેશમાં સાંસદોને સસ્પેન્ડ કરાતા કરાશે આંદોલન 

શિયાળું સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી સંસદમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ પહેલા હોબાળો થતો હતો પરંતુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા ન હતા પરંતુ સંસદમાં થયેલા હુમલા બાદ આ હોબાળો ઉગ્ર બન્યો અને એક સાથે અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એક દિવસ માટે આ કાર્યવાહી થઈ એવું નથી પરંતુ સસ્પેન્ડ કરવાની કામગીરી બીજા દિવસે પણ ચાલી. એમ કરતા કરતા રાજ્યસભા અને લોકસભામાંથી 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વાતને લઈ ઈન્ડિયા ગઠબંધનના સાંસદો વિરોધ કરી રહ્યા છે. 146 સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં સંસદ ભવનની બહાર તો સાંસદોએ ધરણા કર્યા પરંતુ હવે આખા દેશમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવશે.

જંતર-મંતર ખાતે વિપક્ષી સાંસદોએ કર્યું આંદોલન  

ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ આજે દિલ્હીના જંતરમંતર ખાતે પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓ હાજર હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે શિયાળા સત્રમાં વિપક્ષના 146 સાંસદોને સસ્પેન્ડ કરવું તે માત્ર તેમનું અપમાન નથી પરંતુ દેશની 60 ટકા જનતાનું મોઢું બંધ કરી દીધું છે. સ્ટેજ પરથી રાહુલ ગાંધીએ કહ્યું કે આ માત્ર નફરત અને મહોબ્બત વચ્ચેની લડાઈ નથી, બીજેપી જેટલી નફરત ફેલાવશે, ઈન્ડિયા ગઠબંધન એટલી જ મહોબ્બત, ભાઈચારો અને એકતા ફેલાવશે.    


      

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે.... 

રાહુલ ગાંધી ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બંધારણમાં આપણને વાણી સ્વતંત્રતા મળી છે. આ આઝાદી આપણને મહાત્મા ગાંધીજી, જવાહર લાલ નેહરુજી અને ડૉ. આંબેડકરજીએ આપી હતી. તમે વિપક્ષી સાંસદોને ગૃહમાંથી હાંકી કાઢ્યા અને કોઈપણ વિરોધ વિના તમામ કાયદા પસાર કરી દીધા. આ લોકશાહી માટે સારું નથી. ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા લોકો કહે છે કે 'હું આ જાતિનો માણસ છું, તેથી જ તેઓ મારું અપમાન કરી રહ્યા છે.' અમને ગૃહમાં નોટિસો વાંચવા પણ દેવામાં આવતી નથી, તો શું હું કહી શકું કે મોદી સરકાર દલિતોને બોલવા પણ નથી દેતી!



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.