Delhiમાં INDIA Allianceએ સરકાર પર કર્યો હલ્લાબોલ! સાંસદોના સસ્પેન્શનને લઈ દેશના વિવિધ રાજ્યોમાં થયો વિરોધ, સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-22 16:43:52

દેશની સંસદમાં શિયાળું સત્ર ચાલે છે. વિપક્ષી સાંસદો વગર અનેક બિલો પાસ કરવામાં આવી રહ્યા છે કારણ કે રાજ્યસભા અને લોકસભામાંથી કુલ 146 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ વિરોધ કર્યો હતો. સદનમાં હોબાળો કરવાને કારણે 146 સાંસદોને આખા શિયાળા સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં અનેક દિગ્ગજ સાંસદોના નામ છે. સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે ઈન્ડિયા ગઠબંધનના સાંસદો વિરોધ કરી રહ્યા છે. પહેલા સંસદ ભવનની બહાર બેસી સાંસદો વિરોધ કરી રહ્યા હતા પરંતુ હવે દેશના વિવિધ રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે દિલ્હીના જંતર-મંતર ખાતે ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ વિરોધ કર્યો હતો.

આખા દેશમાં સાંસદોને સસ્પેન્ડ કરાતા કરાશે આંદોલન 

શિયાળું સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી સંસદમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ પહેલા હોબાળો થતો હતો પરંતુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા ન હતા પરંતુ સંસદમાં થયેલા હુમલા બાદ આ હોબાળો ઉગ્ર બન્યો અને એક સાથે અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એક દિવસ માટે આ કાર્યવાહી થઈ એવું નથી પરંતુ સસ્પેન્ડ કરવાની કામગીરી બીજા દિવસે પણ ચાલી. એમ કરતા કરતા રાજ્યસભા અને લોકસભામાંથી 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વાતને લઈ ઈન્ડિયા ગઠબંધનના સાંસદો વિરોધ કરી રહ્યા છે. 146 સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં સંસદ ભવનની બહાર તો સાંસદોએ ધરણા કર્યા પરંતુ હવે આખા દેશમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવશે.

જંતર-મંતર ખાતે વિપક્ષી સાંસદોએ કર્યું આંદોલન  

ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ આજે દિલ્હીના જંતરમંતર ખાતે પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓ હાજર હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે શિયાળા સત્રમાં વિપક્ષના 146 સાંસદોને સસ્પેન્ડ કરવું તે માત્ર તેમનું અપમાન નથી પરંતુ દેશની 60 ટકા જનતાનું મોઢું બંધ કરી દીધું છે. સ્ટેજ પરથી રાહુલ ગાંધીએ કહ્યું કે આ માત્ર નફરત અને મહોબ્બત વચ્ચેની લડાઈ નથી, બીજેપી જેટલી નફરત ફેલાવશે, ઈન્ડિયા ગઠબંધન એટલી જ મહોબ્બત, ભાઈચારો અને એકતા ફેલાવશે.    


      

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે.... 

રાહુલ ગાંધી ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બંધારણમાં આપણને વાણી સ્વતંત્રતા મળી છે. આ આઝાદી આપણને મહાત્મા ગાંધીજી, જવાહર લાલ નેહરુજી અને ડૉ. આંબેડકરજીએ આપી હતી. તમે વિપક્ષી સાંસદોને ગૃહમાંથી હાંકી કાઢ્યા અને કોઈપણ વિરોધ વિના તમામ કાયદા પસાર કરી દીધા. આ લોકશાહી માટે સારું નથી. ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા લોકો કહે છે કે 'હું આ જાતિનો માણસ છું, તેથી જ તેઓ મારું અપમાન કરી રહ્યા છે.' અમને ગૃહમાં નોટિસો વાંચવા પણ દેવામાં આવતી નથી, તો શું હું કહી શકું કે મોદી સરકાર દલિતોને બોલવા પણ નથી દેતી!



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.