India Alliance Meeting : દિલ્હીમાં આ તારીખે મળશે બેઠક, લોકસભા ચૂંટણીને લઈ થઈ શકે છે ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-12-11 10:15:05

આવનાર વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીને લોકસભા પહેલાની સેમિફાઈનલ માનવામાં આવી રહી હતી. દરેકની નજર પાંચ રાજ્યોના પરિણામ પર હતી. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર સત્તા પર આવી છે. વિધાનસભા ચૂંટણી બાદ ઈન્ડિયા ગઠબંધન એક્ટિવ મોડમાં આવી ગયું લાગે છે. પરિણામ આવ્યાના થોડા દિવસો બાદ ઈન્ડિયાની બેઠક યોજાવાની હતી પરંતુ તે કેન્સલ કરવામાં આવી. ત્યારે હવે ઈન્ડિયા એલાયન્સની બેઠક ક્યારે મળવાની છે તેની તારીખ કોંગ્રેસના નેતા જયરામ રમેશ દ્વારા જાહેર કરવામાં આવી છે. 

બેઠક અંગે જયરામ રમેશે આપી માહિતી 

લોકસભા ચૂંટણીને લઈ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણીને ભલે હજી સમય બાકી હોય પરંતુ રાજકીય પક્ષો માટે આ સમય ઓછો કહેવાય તેવું માનવામાં આવે છે. ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો ઈન્ડિયા ગઠબંધન પણ એક્ટિવ મોડમાં આવ્યું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે દિવસે બેઠક કેન્સલ કરવામાં આવી. મમતા બેનર્જી તેમજ નીતિશ કુમાર આ બેઠકમાં સામેલ નતા થવાના તેવી માહિતી પણ સામે આવી છે. ત્યારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક 19 ડિસેમ્બરે યોજાશે તેવી માહિતી કોંગ્રેસ નેતા જયરામ રમેશ દ્વારા કરવામાં આવી છે. 

વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનને અહીં થઇ શકે છે મુશ્કેલી, જાણો | The  opposition's I.N.D.I.A. Alliance may be in trouble here, know - Gujarati  Oneindia

લોકસભા ચૂંટણીને લઈ બેઠકમાં થઈ શકે છે ચર્ચા!

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરતા લખ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓની બેઠક મંગળવાર, 19 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હી ખાતે બપોરે યોજાવાની છે. જોડાશે ભારત, જીતશે ઈન્ડિયા. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણીને લઈ રણનીતિ ઘડવામાં આવી શકે છે, બેઠકોની વહેંચણીને લઈ ચર્ચા કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે આ બેઠક 6 ડિસેમ્બરના રોજ યોજાવાની હતી. એવી પણ માહિતી સામે આવી છે કે આ બેઠકની થીમ મેં નહીં હમ રાખવામાં આવી છે.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.