India Alliance Meeting : દિલ્હીમાં આ તારીખે મળશે બેઠક, લોકસભા ચૂંટણીને લઈ થઈ શકે છે ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-12-11 10:15:05

આવનાર વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીને લોકસભા પહેલાની સેમિફાઈનલ માનવામાં આવી રહી હતી. દરેકની નજર પાંચ રાજ્યોના પરિણામ પર હતી. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર સત્તા પર આવી છે. વિધાનસભા ચૂંટણી બાદ ઈન્ડિયા ગઠબંધન એક્ટિવ મોડમાં આવી ગયું લાગે છે. પરિણામ આવ્યાના થોડા દિવસો બાદ ઈન્ડિયાની બેઠક યોજાવાની હતી પરંતુ તે કેન્સલ કરવામાં આવી. ત્યારે હવે ઈન્ડિયા એલાયન્સની બેઠક ક્યારે મળવાની છે તેની તારીખ કોંગ્રેસના નેતા જયરામ રમેશ દ્વારા જાહેર કરવામાં આવી છે. 

બેઠક અંગે જયરામ રમેશે આપી માહિતી 

લોકસભા ચૂંટણીને લઈ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણીને ભલે હજી સમય બાકી હોય પરંતુ રાજકીય પક્ષો માટે આ સમય ઓછો કહેવાય તેવું માનવામાં આવે છે. ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો ઈન્ડિયા ગઠબંધન પણ એક્ટિવ મોડમાં આવ્યું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે દિવસે બેઠક કેન્સલ કરવામાં આવી. મમતા બેનર્જી તેમજ નીતિશ કુમાર આ બેઠકમાં સામેલ નતા થવાના તેવી માહિતી પણ સામે આવી છે. ત્યારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક 19 ડિસેમ્બરે યોજાશે તેવી માહિતી કોંગ્રેસ નેતા જયરામ રમેશ દ્વારા કરવામાં આવી છે. 

વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનને અહીં થઇ શકે છે મુશ્કેલી, જાણો | The  opposition's I.N.D.I.A. Alliance may be in trouble here, know - Gujarati  Oneindia

લોકસભા ચૂંટણીને લઈ બેઠકમાં થઈ શકે છે ચર્ચા!

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરતા લખ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓની બેઠક મંગળવાર, 19 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હી ખાતે બપોરે યોજાવાની છે. જોડાશે ભારત, જીતશે ઈન્ડિયા. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણીને લઈ રણનીતિ ઘડવામાં આવી શકે છે, બેઠકોની વહેંચણીને લઈ ચર્ચા કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે આ બેઠક 6 ડિસેમ્બરના રોજ યોજાવાની હતી. એવી પણ માહિતી સામે આવી છે કે આ બેઠકની થીમ મેં નહીં હમ રાખવામાં આવી છે.       



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.