India Alliance Meeting : દિલ્હીમાં આ તારીખે મળશે બેઠક, લોકસભા ચૂંટણીને લઈ થઈ શકે છે ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-12-11 10:15:05

આવનાર વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીને લોકસભા પહેલાની સેમિફાઈનલ માનવામાં આવી રહી હતી. દરેકની નજર પાંચ રાજ્યોના પરિણામ પર હતી. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર સત્તા પર આવી છે. વિધાનસભા ચૂંટણી બાદ ઈન્ડિયા ગઠબંધન એક્ટિવ મોડમાં આવી ગયું લાગે છે. પરિણામ આવ્યાના થોડા દિવસો બાદ ઈન્ડિયાની બેઠક યોજાવાની હતી પરંતુ તે કેન્સલ કરવામાં આવી. ત્યારે હવે ઈન્ડિયા એલાયન્સની બેઠક ક્યારે મળવાની છે તેની તારીખ કોંગ્રેસના નેતા જયરામ રમેશ દ્વારા જાહેર કરવામાં આવી છે. 

બેઠક અંગે જયરામ રમેશે આપી માહિતી 

લોકસભા ચૂંટણીને લઈ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણીને ભલે હજી સમય બાકી હોય પરંતુ રાજકીય પક્ષો માટે આ સમય ઓછો કહેવાય તેવું માનવામાં આવે છે. ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો ઈન્ડિયા ગઠબંધન પણ એક્ટિવ મોડમાં આવ્યું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે દિવસે બેઠક કેન્સલ કરવામાં આવી. મમતા બેનર્જી તેમજ નીતિશ કુમાર આ બેઠકમાં સામેલ નતા થવાના તેવી માહિતી પણ સામે આવી છે. ત્યારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક 19 ડિસેમ્બરે યોજાશે તેવી માહિતી કોંગ્રેસ નેતા જયરામ રમેશ દ્વારા કરવામાં આવી છે. 

વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનને અહીં થઇ શકે છે મુશ્કેલી, જાણો | The  opposition's I.N.D.I.A. Alliance may be in trouble here, know - Gujarati  Oneindia

લોકસભા ચૂંટણીને લઈ બેઠકમાં થઈ શકે છે ચર્ચા!

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરતા લખ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓની બેઠક મંગળવાર, 19 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હી ખાતે બપોરે યોજાવાની છે. જોડાશે ભારત, જીતશે ઈન્ડિયા. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણીને લઈ રણનીતિ ઘડવામાં આવી શકે છે, બેઠકોની વહેંચણીને લઈ ચર્ચા કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે આ બેઠક 6 ડિસેમ્બરના રોજ યોજાવાની હતી. એવી પણ માહિતી સામે આવી છે કે આ બેઠકની થીમ મેં નહીં હમ રાખવામાં આવી છે.       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે