India અને Americaની દોસ્તી જશે આકાશને પાર, સ્પેસમાં મિત્રતાની થીમ પર અમેરીકાએ ભારતમાં ઉજવ્યો નેશનલ ડે...


  • Published By :
  • Published Date : 2024-05-23 18:09:23

ભારત અને અમેરીકાની દોસ્તી જશે આકાશને પાર, સ્પેસમાં મિત્રતાની થીમ પર અમેરીકાએ ભારતમાં ઉજવ્યો નેશનલ ડે

અમેરીકાના એમ્બેસેડર એરીક ગાર્સેટીએ ઉર્જા અને લાગણી સાથે કહ્યું ભારતનું ભવિષ્ય એ સામાન્ય માણસની આંખોમાં જુએ છે, જે સપનાથી ભરેલી છે


સૌથી જૂનું અને સૌથી વિશાળ લોકતંત્ર આકાશમાં મિલાવશે કદમતાલ

મુંબઈની તાજમહલ હોટેલ, સાંજે 7 વાગ્યાનો સમય અને ભારત – અમેરીકાના સંબંધોની ઉજવણી થઈ, અમેરીકા આ 4થી જુલાઈએ સ્વતંત્રતાના 248 વર્ષ પુરા કરશે, આઝાદીના આટલા લાંબા ઈતિહાસ પછી અમેરીકા પાસે ગુલામીની કોઈ જ વાતો નથી, વર્તમાન અને ભવિષ્યને મજબૂત કરવા માટે હવે વિશ્વની બીજી મહાન અને મજબૂત લોકશાહી સાથે કદમતાલ મિલાવીને આગળ વધવાની વાત છે, આ જ વાતને વાસ્તવિક ઓપ આપવા માટે U.S. – INDIA SPACE COOPERATION ની થીમ હેઠળ અમેરીકાના 248માં નેશનલ ડેની ઉજવણી કરાઈ.


અમેરીકા આ વર્ષના અંતમાં ISSમાં મોકલશે ભારતીય અવકાશયાત્રી

ભારત અને અમેરીકાની સ્પેસમાં સંયુક્ત દોસ્તીનું પરિણામ એ પણ આવી શકે કે ભારતના અવકાશ યાત્રીને અમેરીકા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આ વર્ષના અંત સુધીમાં જ મોકલી શકે. એરીક ગ્રસેટીએ આગળ કહ્યું હતુ કે ભારતના વડાપ્રધાન જ્યારે અમેરીકાના રાષ્ટ્રપતિને મળ્યા હતા ત્યારે પણ સ્પેસ કોઓપરેશન પર ભાર મુકાયો હતો, ભારત અને અમેરીકાના સંબંધો પોલિટીકલ નથી, પર્સનલ છે. મીડિયા સાથે વાત કરતી વખતે અમેરીકામાં સ્પેસ માટે કામ કરતી પ્રાઈવેટ કંપની જેમ કે સ્પેસ એક્સ કે જેફ બેઝોસની બ્લુ શીપ વિશે વાત કરાઈ ત્યારે પણ એમણે એ વાત પર ભાર મુક્યો હતો કે દરેક બાજુના પ્રયાસોથી અવકાશમાં આપણે સિદ્ધીઓ મેળવી રહ્યા છે, વર્ષો પહેલા નીલ આર્મસ્ટ્રોંગના ચંદ્ર પર પડેલા એક ડગલાથી માનવ જાતિએ મોટી હરણફાળ ભરી હતી, એ જ રીતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચેલા ભારતના યાનથી ભારતે ઈતિહાસ રચ્યો હતો. વિશ્વના સૌથી મહત્વના બે લોકતંત્ર જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે સિદ્ધીઓ એમની પ્રતિક્ષામાં ઉભી હોય છે.

આ કાર્યક્રમમાં ભારતમાં અમેરીકાના એમ્બેસેડર પદે કામ કરતા એરીક ગાર્સેટી હતા, કાર્યક્રમના યજમાન બનેલા મુંબઈના કોન્સ્યુલેટ જનરલ માઈક હેન્કી હતા, મહારાષ્ટ્ર સરકારના ચીફ સેક્રેટરી અને મૂળ ભારતીય સ્પેસ સાયનટીસ્ટ ડૉ. સુસ્મિતા મોહંતી હતા.



કામની જગ્યા પર વિવિધતા વાળા લોકોથી કેટલો ફાયદો?

બુધવારે બપોરે મુંબઈ કોન્સ્યુલેટ ઓફીસથી ચાલતા કાર્યક્રમ DEIA કેટાલિસ્ટની પણ Royal Bombay Yacht Clubમાં ઉજવણી કરાઈ હતી. જેમાં કામની જગ્યા પર વિવિધતા વાળા લોકોને લેવાથી કેટલો ફાયદો થઈ શકે એ વિષય સાથે MSME સેક્ટરના લોકો સાથે વાત થઈ હતી. વર્કપ્લેસ પર સ્ત્રી પુરુષ સમાનતાથી કેટલો ફાયદો થઈ શકે, ગામડાના લોકોને પ્રતિનિધિત્વ આપવાથી શું ફાયદો મળી શકે, અલગ અલગ જાતિ અને ધર્મના લોકોનો એક સમુદાય બનવો પણ શું કામ મહત્વનો છે એ વિષય પર પણ આ કાર્યક્રમમાં વાત કરવામાં આવી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી