India અને Americaની દોસ્તી જશે આકાશને પાર, સ્પેસમાં મિત્રતાની થીમ પર અમેરીકાએ ભારતમાં ઉજવ્યો નેશનલ ડે...


  • Published By :
  • Published Date : 2024-05-23 18:09:23

ભારત અને અમેરીકાની દોસ્તી જશે આકાશને પાર, સ્પેસમાં મિત્રતાની થીમ પર અમેરીકાએ ભારતમાં ઉજવ્યો નેશનલ ડે

અમેરીકાના એમ્બેસેડર એરીક ગાર્સેટીએ ઉર્જા અને લાગણી સાથે કહ્યું ભારતનું ભવિષ્ય એ સામાન્ય માણસની આંખોમાં જુએ છે, જે સપનાથી ભરેલી છે


સૌથી જૂનું અને સૌથી વિશાળ લોકતંત્ર આકાશમાં મિલાવશે કદમતાલ

મુંબઈની તાજમહલ હોટેલ, સાંજે 7 વાગ્યાનો સમય અને ભારત – અમેરીકાના સંબંધોની ઉજવણી થઈ, અમેરીકા આ 4થી જુલાઈએ સ્વતંત્રતાના 248 વર્ષ પુરા કરશે, આઝાદીના આટલા લાંબા ઈતિહાસ પછી અમેરીકા પાસે ગુલામીની કોઈ જ વાતો નથી, વર્તમાન અને ભવિષ્યને મજબૂત કરવા માટે હવે વિશ્વની બીજી મહાન અને મજબૂત લોકશાહી સાથે કદમતાલ મિલાવીને આગળ વધવાની વાત છે, આ જ વાતને વાસ્તવિક ઓપ આપવા માટે U.S. – INDIA SPACE COOPERATION ની થીમ હેઠળ અમેરીકાના 248માં નેશનલ ડેની ઉજવણી કરાઈ.


અમેરીકા આ વર્ષના અંતમાં ISSમાં મોકલશે ભારતીય અવકાશયાત્રી

ભારત અને અમેરીકાની સ્પેસમાં સંયુક્ત દોસ્તીનું પરિણામ એ પણ આવી શકે કે ભારતના અવકાશ યાત્રીને અમેરીકા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આ વર્ષના અંત સુધીમાં જ મોકલી શકે. એરીક ગ્રસેટીએ આગળ કહ્યું હતુ કે ભારતના વડાપ્રધાન જ્યારે અમેરીકાના રાષ્ટ્રપતિને મળ્યા હતા ત્યારે પણ સ્પેસ કોઓપરેશન પર ભાર મુકાયો હતો, ભારત અને અમેરીકાના સંબંધો પોલિટીકલ નથી, પર્સનલ છે. મીડિયા સાથે વાત કરતી વખતે અમેરીકામાં સ્પેસ માટે કામ કરતી પ્રાઈવેટ કંપની જેમ કે સ્પેસ એક્સ કે જેફ બેઝોસની બ્લુ શીપ વિશે વાત કરાઈ ત્યારે પણ એમણે એ વાત પર ભાર મુક્યો હતો કે દરેક બાજુના પ્રયાસોથી અવકાશમાં આપણે સિદ્ધીઓ મેળવી રહ્યા છે, વર્ષો પહેલા નીલ આર્મસ્ટ્રોંગના ચંદ્ર પર પડેલા એક ડગલાથી માનવ જાતિએ મોટી હરણફાળ ભરી હતી, એ જ રીતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચેલા ભારતના યાનથી ભારતે ઈતિહાસ રચ્યો હતો. વિશ્વના સૌથી મહત્વના બે લોકતંત્ર જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે સિદ્ધીઓ એમની પ્રતિક્ષામાં ઉભી હોય છે.

આ કાર્યક્રમમાં ભારતમાં અમેરીકાના એમ્બેસેડર પદે કામ કરતા એરીક ગાર્સેટી હતા, કાર્યક્રમના યજમાન બનેલા મુંબઈના કોન્સ્યુલેટ જનરલ માઈક હેન્કી હતા, મહારાષ્ટ્ર સરકારના ચીફ સેક્રેટરી અને મૂળ ભારતીય સ્પેસ સાયનટીસ્ટ ડૉ. સુસ્મિતા મોહંતી હતા.



કામની જગ્યા પર વિવિધતા વાળા લોકોથી કેટલો ફાયદો?

બુધવારે બપોરે મુંબઈ કોન્સ્યુલેટ ઓફીસથી ચાલતા કાર્યક્રમ DEIA કેટાલિસ્ટની પણ Royal Bombay Yacht Clubમાં ઉજવણી કરાઈ હતી. જેમાં કામની જગ્યા પર વિવિધતા વાળા લોકોને લેવાથી કેટલો ફાયદો થઈ શકે એ વિષય સાથે MSME સેક્ટરના લોકો સાથે વાત થઈ હતી. વર્કપ્લેસ પર સ્ત્રી પુરુષ સમાનતાથી કેટલો ફાયદો થઈ શકે, ગામડાના લોકોને પ્રતિનિધિત્વ આપવાથી શું ફાયદો મળી શકે, અલગ અલગ જાતિ અને ધર્મના લોકોનો એક સમુદાય બનવો પણ શું કામ મહત્વનો છે એ વિષય પર પણ આ કાર્યક્રમમાં વાત કરવામાં આવી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.