આસમાને પહોંચેલા ભાવને નિયંત્રિત કરવા કણકીની નિકાસ પર પ્રતિબંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 12:00:48

ભારતમાં ચોખાની અછત અને તેના આસમાને પહોંચેલા ભાવને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે  કણકી (બ્રોકન રાઇસ)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારનો આ હુકમ આજથી અમલમાં આવશે. આ ઉપરાંત સરકારે બાસમતિ સિવાયના વિવિધ ગ્રેડના ચોખાની નિકાસ પર 20% ડ્યુટી લગાવી છે. 


ડાંગરની રોપણી ઘટતા સરકાર જાગી


કૃષિ મંત્રાલયના અનુમાન મુજબ કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદ થવાથી  વર્તમાન ખરીફ સીઝનમાં ડાંગરની રોપણીનો વિસ્તાર  5.62 ટકા ઘટીને 383.99 લાખ હેક્ટર રહી ગયો છે. આ પરિસ્થિતીમાં દેશમાં ચોખાની ભારે અછત સર્જાવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ સાથે 9 થી 15 સપ્ટેમ્બર સુધી, ફક્ત તે માલસામાનને જ નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે જેઓ લોડ કરવામાં આવ્યા છે, બિલ કરવામાં આવ્યા છે અને પોર્ટ પર કસ્ટમ્સને પહોંચાડવામાં આવ્યા છે.

 

વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40% 


ચીન પછી ભારત ચોખાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40% છે. ભારતે 2021-22ના નાણાકીય વર્ષમાં 21.2 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી. તેમાં 39.4 લાખ ટન બાસમતી ચોખા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ સમયગાળા દરમ્યાન નોન-બાસમતી ચોખાની નિકાસ $6.11 બિલિયન રહી હતી. ભારતે 2021-22માં વિશ્વના 150 થી વધુ દેશોમાં નોન-બાસમતી ચોખાની નિકાસ કરી હતી.  આ તરફ કૃષિ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, ચાલુ ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં ડાંગરનું વાવેતર 5.62% ઘટીને 383.99 લાખ હેક્ટર થઈ ગયું છે. દેશના કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .