INDIA bloc meet: મમતાએ PM પદ માટે ખડગેના નામનો મૂક્યો પ્રસ્તાવ, ખડગેએ કરી આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2023-12-19 19:42:33

દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે વિરોધ પક્ષોના ગઠબંધન I.N.D.I.A.ની ચોથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાંથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે પણ મમતાના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.


ખડગેએ પ્રસ્તાવ પર શું કહ્યું?


મંગળવારે દિલ્હીમાં આયોજિત I.N.D.I.A.ની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જીએ PM પદ માટે મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. અન્ય કેટલાક નેતાઓએ પણ મમતાને સમર્થન આપ્યું હતું પરંતુ ખડગેએ કહ્યું હતું કે હવે ચૂંટણીઓ નજીક છે અને આપણે હવે તે જીતવા માટે કામ કરવું પડશે, PM ઉમેદવાર અંગે પછી જોઈશું. ખડગેએ કહ્યું કે પહેલા અમે સંખ્યા વધારીશું, પછી નક્કી કરીશું કે PM કોણ હશે.


સાથે મળીને ધરણા અને સભાઓ કરીશું-ખડગે 


ગઠબંધનની બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું કે આ ચોથી બેઠકમાં 28 પક્ષોએ ભાગ લીધો હતો. બધાએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બધાએ એક થઈને નિર્ણય લીધો છે કે તેઓ દેશમાં એક સાથે 8-10 સભાઓ અને પ્રદર્શનો કરશે. જો તમામ નેતાઓ એક મંચ પર નહીં જોવા મળે તો લોકોને ખબર નહીં પડે કે તેઓ હવે એક સાથે છે. દેશમાં આ પહેલા ક્યારેય એક સાથે આટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, અમે તેના માટે લડીશું. તેમણે કહ્યું કે 22 ડિસેમ્બરે બધા મળીને તેનો વિરોધ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.