PMના પોર્ટ્રેટમાં રંગપુરણી કરી ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો ..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 17:37:57



પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પેહલા રાજકોટમાં એક અલગ પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાયો છે. જકોટ મનપા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે રાજકોટની ખાનગી તેમજ સરકારી મળી 150 જેટલી શાળાના કુલ 8500થી વધુ વિદ્યાર્થીઓએ એક જ સમયે સમૂહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોર્ટ્રેટમાં રંગપુરણી ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આના પેહલા ચીનમાં આ પ્રકારનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો.જેની સંખ્યા 4900 આસપાસ હતી જ્યારે રાજકોટમાં 8500 વિદ્યાર્થીઓએ આજે રંગપુરણી કરી તે રેકોર્ડ તોડ્યો છે ...



કેટલા બાળકો આમાં જોડાયા !!!!


પ્રધાનમંત્રી રાજકોટ આવ્યા પેહલા રાજકોટ મનપા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અમૃતઘાયલ ઓડિટોરિયમ હોલ ખાતે આજે એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. મનપા સંચાલિત શાળાઓ અને ખાનગી શાળાઓ મળી કુલ અંદાજિત 150 શાળાના 8500થી વધુ વિદ્યાર્થીઓએ સાથે મળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોર્ટ્રેટમાં રંગપુરણી કરી અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે. આ રેકોર્ડ માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા 5000 વિદ્યાર્થીઓને એકઠા કરી કાર્યક્રમ કરવા કહેવામાં આવ્યું હતું જેની સામે આ કાર્યક્રમમાં 8500થી વધુ વિદ્યાર્થીઓ એકત્રિત થતા એશિયા બુક અને લીમકા બુક રેકોર્ડમાં પણ એપ્લાય કરવામાં આવશે.


પેહલા કોને રેકોર્ડ બનવ્યો હતો ?

ચીનમાં 4900 જેટલા લોકોએ આવો જ વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો જયારે રાજકોટ આજે તેનાથી પણ મોખરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે રાજકોટવાસીઓમાં થનગનાટ અનેરો છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પણ સહભાગી બની વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવી રહ્યો છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.