PMના પોર્ટ્રેટમાં રંગપુરણી કરી ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો ..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 17:37:57



પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પેહલા રાજકોટમાં એક અલગ પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાયો છે. જકોટ મનપા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે રાજકોટની ખાનગી તેમજ સરકારી મળી 150 જેટલી શાળાના કુલ 8500થી વધુ વિદ્યાર્થીઓએ એક જ સમયે સમૂહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોર્ટ્રેટમાં રંગપુરણી ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આના પેહલા ચીનમાં આ પ્રકારનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો.જેની સંખ્યા 4900 આસપાસ હતી જ્યારે રાજકોટમાં 8500 વિદ્યાર્થીઓએ આજે રંગપુરણી કરી તે રેકોર્ડ તોડ્યો છે ...



કેટલા બાળકો આમાં જોડાયા !!!!


પ્રધાનમંત્રી રાજકોટ આવ્યા પેહલા રાજકોટ મનપા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અમૃતઘાયલ ઓડિટોરિયમ હોલ ખાતે આજે એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. મનપા સંચાલિત શાળાઓ અને ખાનગી શાળાઓ મળી કુલ અંદાજિત 150 શાળાના 8500થી વધુ વિદ્યાર્થીઓએ સાથે મળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોર્ટ્રેટમાં રંગપુરણી કરી અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે. આ રેકોર્ડ માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા 5000 વિદ્યાર્થીઓને એકઠા કરી કાર્યક્રમ કરવા કહેવામાં આવ્યું હતું જેની સામે આ કાર્યક્રમમાં 8500થી વધુ વિદ્યાર્થીઓ એકત્રિત થતા એશિયા બુક અને લીમકા બુક રેકોર્ડમાં પણ એપ્લાય કરવામાં આવશે.


પેહલા કોને રેકોર્ડ બનવ્યો હતો ?

ચીનમાં 4900 જેટલા લોકોએ આવો જ વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો જયારે રાજકોટ આજે તેનાથી પણ મોખરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે રાજકોટવાસીઓમાં થનગનાટ અનેરો છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પણ સહભાગી બની વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવી રહ્યો છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે