ચીને અરૂણાચલમાં કર્યું દુ:સાહસ, બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ, અનેક જવાનો ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-12-12 21:51:44

અરૂણાચલ પ્રદેશમાં બોર્ડર નજીક તવાંગ વિસ્તારમાં ચીન અને ભારતના જવાનો વચ્ચે હિંસક અથડામણ થયાના સમાચાર છે. તવાંગના યાંગત્સે વિસ્તારમાં થયેલી આ અથડામણમાં બંને દેશોના અનેક જવાનો ઘાયલ થયા છે. ભારત અને ચીન વચ્ચે 9 ડિસેમ્બરે રાત્રે બંને દેશોના સૈનિકો વચ્ચે તંગદીલી સર્જાઈ હતી. જો કે સરકારે આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તવાંગમાં ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે ગુવાહાટી લાવવામાં આવ્યા છે.  


અથડામણ બાદ થઈ ફ્લેગ મીટિંગ


ચીન અને ભારતના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં પથ્થરમારો પણ થયો હતો. આ દરમિયાન બંને દેશોના જવાનો વચ્ચે કેટલાક જવાનો ઘાયલ પણ થયા હતા. રિપોર્ટ પ્રમાણે અથડામણ 9 ડિસેમ્બરે થઈ હતી. જો કે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે ફ્લેગ માર્ચ મિટીંગ પણ થઈ હતી અને જવાનો પાછા હટી ગયા હતા. ત્યાર બાદ આ વિસ્તારમાં એરિયા કમાન્ડરએ શાંતિ જાળવી રાખવા માટે તેમના ચીનના સમકક્ષ સાથે ફ્લેગ મીટિગ કરી હતી. 


તવાંગ વિસ્તારમાં બંને દેશોનો દાવો


અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી સાથે સંકળાયેલા કેટલાક વિસ્તારોમાં બંને દેશો પોતાનો દાવો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં બંને પક્ષ પોતાના દાવાની સરહદ સુધી પેટ્રોલિંગ કરે છે. વર્ષ 2006થી આ જ ટ્રેન્ડ છે. જો કે હવે આ વિસ્તારમાં પણ બંને દેશો વચ્ચે તંગદીલીની સ્થિતી સર્જાઈ છે. ક્યારેક પેટ્રોલિંગ દરમિયાન ચીનના સૈનિકો ભારતના વિસ્તારોમાં પણ આવી જાય છે. આ સ્થિતીમાં ભારતીય જવાનો દ્વારા જડબોતોડ જવાબ આપવામાં આવે છે.


વિપક્ષોએ સરકાર પર કર્યા પ્રહાર


તવાંગમાં અથડામણને લઈ AIMIMના અસદુદ્દીન ઔવૈસીએ ટ્વીટ કરીને સરકાર પર બે દિવસ સુધી દેશને અંધારામાં રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ અંગે સૂચના કેમ ન આપી? શું સરહદે ગોળીબાર થયો હતો કે કેમ? ઘાયલ જવાનોની શું સ્થિતી છે? તેમણે સંસદમાં આ મુદ્દે તાત્કાલિક ચર્ચાની માગ કરી હતી.


શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો, તેમણે લખ્યું કે  જમીન હડપ કરવા ચીનનો વધુ એક દિવસ પ્રયાસ અને ભારત સરકાર ચૂંટણી એજન્ડામાં વ્યસ્ત છે. 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.