ચીને અરૂણાચલમાં કર્યું દુ:સાહસ, બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ, અનેક જવાનો ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-12-12 21:51:44

અરૂણાચલ પ્રદેશમાં બોર્ડર નજીક તવાંગ વિસ્તારમાં ચીન અને ભારતના જવાનો વચ્ચે હિંસક અથડામણ થયાના સમાચાર છે. તવાંગના યાંગત્સે વિસ્તારમાં થયેલી આ અથડામણમાં બંને દેશોના અનેક જવાનો ઘાયલ થયા છે. ભારત અને ચીન વચ્ચે 9 ડિસેમ્બરે રાત્રે બંને દેશોના સૈનિકો વચ્ચે તંગદીલી સર્જાઈ હતી. જો કે સરકારે આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તવાંગમાં ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે ગુવાહાટી લાવવામાં આવ્યા છે.  


અથડામણ બાદ થઈ ફ્લેગ મીટિંગ


ચીન અને ભારતના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં પથ્થરમારો પણ થયો હતો. આ દરમિયાન બંને દેશોના જવાનો વચ્ચે કેટલાક જવાનો ઘાયલ પણ થયા હતા. રિપોર્ટ પ્રમાણે અથડામણ 9 ડિસેમ્બરે થઈ હતી. જો કે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે ફ્લેગ માર્ચ મિટીંગ પણ થઈ હતી અને જવાનો પાછા હટી ગયા હતા. ત્યાર બાદ આ વિસ્તારમાં એરિયા કમાન્ડરએ શાંતિ જાળવી રાખવા માટે તેમના ચીનના સમકક્ષ સાથે ફ્લેગ મીટિગ કરી હતી. 


તવાંગ વિસ્તારમાં બંને દેશોનો દાવો


અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી સાથે સંકળાયેલા કેટલાક વિસ્તારોમાં બંને દેશો પોતાનો દાવો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં બંને પક્ષ પોતાના દાવાની સરહદ સુધી પેટ્રોલિંગ કરે છે. વર્ષ 2006થી આ જ ટ્રેન્ડ છે. જો કે હવે આ વિસ્તારમાં પણ બંને દેશો વચ્ચે તંગદીલીની સ્થિતી સર્જાઈ છે. ક્યારેક પેટ્રોલિંગ દરમિયાન ચીનના સૈનિકો ભારતના વિસ્તારોમાં પણ આવી જાય છે. આ સ્થિતીમાં ભારતીય જવાનો દ્વારા જડબોતોડ જવાબ આપવામાં આવે છે.


વિપક્ષોએ સરકાર પર કર્યા પ્રહાર


તવાંગમાં અથડામણને લઈ AIMIMના અસદુદ્દીન ઔવૈસીએ ટ્વીટ કરીને સરકાર પર બે દિવસ સુધી દેશને અંધારામાં રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ અંગે સૂચના કેમ ન આપી? શું સરહદે ગોળીબાર થયો હતો કે કેમ? ઘાયલ જવાનોની શું સ્થિતી છે? તેમણે સંસદમાં આ મુદ્દે તાત્કાલિક ચર્ચાની માગ કરી હતી.


શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો, તેમણે લખ્યું કે  જમીન હડપ કરવા ચીનનો વધુ એક દિવસ પ્રયાસ અને ભારત સરકાર ચૂંટણી એજન્ડામાં વ્યસ્ત છે. 




ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .