ચીને અરૂણાચલમાં કર્યું દુ:સાહસ, બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ, અનેક જવાનો ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-12-12 21:51:44

અરૂણાચલ પ્રદેશમાં બોર્ડર નજીક તવાંગ વિસ્તારમાં ચીન અને ભારતના જવાનો વચ્ચે હિંસક અથડામણ થયાના સમાચાર છે. તવાંગના યાંગત્સે વિસ્તારમાં થયેલી આ અથડામણમાં બંને દેશોના અનેક જવાનો ઘાયલ થયા છે. ભારત અને ચીન વચ્ચે 9 ડિસેમ્બરે રાત્રે બંને દેશોના સૈનિકો વચ્ચે તંગદીલી સર્જાઈ હતી. જો કે સરકારે આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તવાંગમાં ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે ગુવાહાટી લાવવામાં આવ્યા છે.  


અથડામણ બાદ થઈ ફ્લેગ મીટિંગ


ચીન અને ભારતના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં પથ્થરમારો પણ થયો હતો. આ દરમિયાન બંને દેશોના જવાનો વચ્ચે કેટલાક જવાનો ઘાયલ પણ થયા હતા. રિપોર્ટ પ્રમાણે અથડામણ 9 ડિસેમ્બરે થઈ હતી. જો કે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે ફ્લેગ માર્ચ મિટીંગ પણ થઈ હતી અને જવાનો પાછા હટી ગયા હતા. ત્યાર બાદ આ વિસ્તારમાં એરિયા કમાન્ડરએ શાંતિ જાળવી રાખવા માટે તેમના ચીનના સમકક્ષ સાથે ફ્લેગ મીટિગ કરી હતી. 


તવાંગ વિસ્તારમાં બંને દેશોનો દાવો


અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી સાથે સંકળાયેલા કેટલાક વિસ્તારોમાં બંને દેશો પોતાનો દાવો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં બંને પક્ષ પોતાના દાવાની સરહદ સુધી પેટ્રોલિંગ કરે છે. વર્ષ 2006થી આ જ ટ્રેન્ડ છે. જો કે હવે આ વિસ્તારમાં પણ બંને દેશો વચ્ચે તંગદીલીની સ્થિતી સર્જાઈ છે. ક્યારેક પેટ્રોલિંગ દરમિયાન ચીનના સૈનિકો ભારતના વિસ્તારોમાં પણ આવી જાય છે. આ સ્થિતીમાં ભારતીય જવાનો દ્વારા જડબોતોડ જવાબ આપવામાં આવે છે.


વિપક્ષોએ સરકાર પર કર્યા પ્રહાર


તવાંગમાં અથડામણને લઈ AIMIMના અસદુદ્દીન ઔવૈસીએ ટ્વીટ કરીને સરકાર પર બે દિવસ સુધી દેશને અંધારામાં રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ અંગે સૂચના કેમ ન આપી? શું સરહદે ગોળીબાર થયો હતો કે કેમ? ઘાયલ જવાનોની શું સ્થિતી છે? તેમણે સંસદમાં આ મુદ્દે તાત્કાલિક ચર્ચાની માગ કરી હતી.


શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો, તેમણે લખ્યું કે  જમીન હડપ કરવા ચીનનો વધુ એક દિવસ પ્રયાસ અને ભારત સરકાર ચૂંટણી એજન્ડામાં વ્યસ્ત છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે