કેનેડાએ 41 ડિપ્લોમેટ્સને પરત બોલાવ્યા, વિઝા અને પાસપોર્ટ સેવા પર શું થશે અસર?


  • Published By :
  • Published Date : 2023-10-20 18:12:34

ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાન મુદ્દે ચાલી રહેલો તણાવ હવે તેની ચરમસીમા પર પહોંચ્યો છે. રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાએ મોદી સરકારના અલ્ટીમેટમ બાદ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. આ માહિતી કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ગુરુવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી.આ સાથે જ કેનેડાના એક પૂર્વ રાજદ્વારીએ કહ્યું છે કે ભારતે કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા માટે કહ્યું તે સામાન્ય ઘટના નથી. મને છેલ્લા 40 કે 50 વર્ષમાં એવી કોઈ ઘટના યાદ નથી કે જ્યાં આવું કંઈક બન્યું હોય. જો કે, ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાની નિશ્ચિત તારીખ 10 ઓક્ટોબર હતી. પરંતુ કેનેડાએ ભારત સાથે ખાનગી વાટાઘાટો દ્વારા આ મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ મંત્રણા નિષ્ફળ રહી હતી. કેનેડા દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે આ મહિને 3 ઓક્ટોબરના રોજ ભારત સરકારે કેનેડાને ચેતવણી આપી હતી કે જો રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવામાં નહીં આવે તો તેમની તમામ રાજદ્વારી સુરક્ષા હટાવી દેવામાં આવશે.


વિઝા અને પાસપોર્ટ સેવા પર  થશે અસર 


ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે, ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ (Immigration, Refugees and Citizenship Canada, IRCC)કેનેડા એ ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડાએ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા પછી ભારતીય વિઝા અરજીઓમાં મંદી આવશે. IRCC ભારતમાંથી અરજીઓ સ્વીકારવાનું અને પ્રક્રિયા કરવાનું ચાલુ રાખશે, પરંતુ કર્મચારીઓના ઘટેલા સ્તરથી પ્રક્રિયાના સમયને અસર થવાની અપેક્ષા છે. વધુમાં, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કેનેડિયન રાજદ્વારી કર્મચારીઓની અછતને કારણે, ભારતીય નાગરિકોને એકંદર પ્રક્રિયા સમય, પૂછપરછના જવાબો અને વિઝા અથવા તેમના પાસપોર્ટ પાછા મેળવવામાં વિલંબનો સામનો કરવો પડશે. દરમિયાન, કેનેડિયન અધિકારીઓએ ખાતરી આપી છે કે ભારતમાં કેનેડા સ્થિત IRCC સ્ટાફ દેશમાં આવશ્યક રોજિંદા કાર્યો કરશે.


મામલો શા માટે વણસ્યો?


ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો જ્યારે 18 સપ્ટેમ્બરે કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા. જે બાદ ભારતે કેનેડાના ટોચના રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ પણ જારી કર્યો હતો. થોડા દિવસો પછી, ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા કહ્યું, આંતરિક બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓની દખલગીરી અને સંખ્યા વધારે. 3 ઓક્ટોબરે ભારતે ટ્રુડો સરકારને તેના રાજદ્વારીઓને પાછા ખેંચવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. ભારતે કેનેડાને 10 ઓક્ટોબર સુધીમાં નવી દિલ્હીથી તેના 41 વધારાના રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું હતું. ભારતે એમ પણ કહ્યું હતું કે જો આ રાજદ્વારીઓ 10 ઓક્ટોબર પછી પણ ભારતમાં રહેશે તો તેમની રાજદ્વારી સુરક્ષા પણ રદ કરવામાં આવશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે