કેનેડાએ 41 ડિપ્લોમેટ્સને પરત બોલાવ્યા, વિઝા અને પાસપોર્ટ સેવા પર શું થશે અસર?


  • Published By :
  • Published Date : 2023-10-20 18:12:34

ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાન મુદ્દે ચાલી રહેલો તણાવ હવે તેની ચરમસીમા પર પહોંચ્યો છે. રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાએ મોદી સરકારના અલ્ટીમેટમ બાદ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. આ માહિતી કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ગુરુવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી.આ સાથે જ કેનેડાના એક પૂર્વ રાજદ્વારીએ કહ્યું છે કે ભારતે કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા માટે કહ્યું તે સામાન્ય ઘટના નથી. મને છેલ્લા 40 કે 50 વર્ષમાં એવી કોઈ ઘટના યાદ નથી કે જ્યાં આવું કંઈક બન્યું હોય. જો કે, ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાની નિશ્ચિત તારીખ 10 ઓક્ટોબર હતી. પરંતુ કેનેડાએ ભારત સાથે ખાનગી વાટાઘાટો દ્વારા આ મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ મંત્રણા નિષ્ફળ રહી હતી. કેનેડા દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે આ મહિને 3 ઓક્ટોબરના રોજ ભારત સરકારે કેનેડાને ચેતવણી આપી હતી કે જો રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવામાં નહીં આવે તો તેમની તમામ રાજદ્વારી સુરક્ષા હટાવી દેવામાં આવશે.


વિઝા અને પાસપોર્ટ સેવા પર  થશે અસર 


ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે, ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ (Immigration, Refugees and Citizenship Canada, IRCC)કેનેડા એ ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડાએ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા પછી ભારતીય વિઝા અરજીઓમાં મંદી આવશે. IRCC ભારતમાંથી અરજીઓ સ્વીકારવાનું અને પ્રક્રિયા કરવાનું ચાલુ રાખશે, પરંતુ કર્મચારીઓના ઘટેલા સ્તરથી પ્રક્રિયાના સમયને અસર થવાની અપેક્ષા છે. વધુમાં, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કેનેડિયન રાજદ્વારી કર્મચારીઓની અછતને કારણે, ભારતીય નાગરિકોને એકંદર પ્રક્રિયા સમય, પૂછપરછના જવાબો અને વિઝા અથવા તેમના પાસપોર્ટ પાછા મેળવવામાં વિલંબનો સામનો કરવો પડશે. દરમિયાન, કેનેડિયન અધિકારીઓએ ખાતરી આપી છે કે ભારતમાં કેનેડા સ્થિત IRCC સ્ટાફ દેશમાં આવશ્યક રોજિંદા કાર્યો કરશે.


મામલો શા માટે વણસ્યો?


ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો જ્યારે 18 સપ્ટેમ્બરે કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા. જે બાદ ભારતે કેનેડાના ટોચના રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ પણ જારી કર્યો હતો. થોડા દિવસો પછી, ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા કહ્યું, આંતરિક બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓની દખલગીરી અને સંખ્યા વધારે. 3 ઓક્ટોબરે ભારતે ટ્રુડો સરકારને તેના રાજદ્વારીઓને પાછા ખેંચવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. ભારતે કેનેડાને 10 ઓક્ટોબર સુધીમાં નવી દિલ્હીથી તેના 41 વધારાના રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું હતું. ભારતે એમ પણ કહ્યું હતું કે જો આ રાજદ્વારીઓ 10 ઓક્ટોબર પછી પણ ભારતમાં રહેશે તો તેમની રાજદ્વારી સુરક્ષા પણ રદ કરવામાં આવશે.



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .