વિદેશમાંથી આવી રહ્યું છે ડ્રગ્સ, ભારત બની રહ્યું છે ડ્રગ્સનું 'હોટ સ્પોટ'


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 14:50:57

દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે 1700 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. દિલ્લી પોલીસે એક શિપિંગ કન્ટેઈનર ઝડપ્યું હતું જેમાં 22 હજાર કિલોનું લિકરીસ પ્લાન્ટ ઝડપી પાડ્યું હતું. લિકરીસ પ્લાનમાં હેરોઈન નામનું માદક દ્રવ્ય સંતાડવામાં આવ્યું હતું. આ કન્ટેઈનર મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી ઝડપવામાં આવ્યું હતું. 


1725 કરોડનું ડ્રગ્સ ઝડપાયું 

દિલ્લી પોલીસના જણાવ્યા મુજબ કુલ 1725 કરોડનું ડ્રગ્સ કન્ટેઈનર પરથી ઝડપવામાં આવ્યું હતું. આ કન્ટેઈનર મુંબઈથી દિલ્લી મોકલવામાં આવ્યું હતું. 


અગાઉ પર દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે બે અફઘાન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આ અફઘાનિસ્તાનના લોકો પાસેથી 1200 કરોડનું 312 કિલો માદક દ્રવ્ય ઝડપવામાં આવ્યું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ દેશમાં ઘૂસાડવામાં આવે છે તેના પરથી દેખાય છે કે આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલર્સ બહુ સ્માર્ટ રીતે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે વિવિધ યુક્તિઓ લગાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલર્સ વિદેશથી ગુજરાત મુંબઈ જેવા દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે