વિદેશમાંથી આવી રહ્યું છે ડ્રગ્સ, ભારત બની રહ્યું છે ડ્રગ્સનું 'હોટ સ્પોટ'


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 14:50:57

દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે 1700 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. દિલ્લી પોલીસે એક શિપિંગ કન્ટેઈનર ઝડપ્યું હતું જેમાં 22 હજાર કિલોનું લિકરીસ પ્લાન્ટ ઝડપી પાડ્યું હતું. લિકરીસ પ્લાનમાં હેરોઈન નામનું માદક દ્રવ્ય સંતાડવામાં આવ્યું હતું. આ કન્ટેઈનર મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી ઝડપવામાં આવ્યું હતું. 


1725 કરોડનું ડ્રગ્સ ઝડપાયું 

દિલ્લી પોલીસના જણાવ્યા મુજબ કુલ 1725 કરોડનું ડ્રગ્સ કન્ટેઈનર પરથી ઝડપવામાં આવ્યું હતું. આ કન્ટેઈનર મુંબઈથી દિલ્લી મોકલવામાં આવ્યું હતું. 


અગાઉ પર દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે બે અફઘાન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આ અફઘાનિસ્તાનના લોકો પાસેથી 1200 કરોડનું 312 કિલો માદક દ્રવ્ય ઝડપવામાં આવ્યું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ દેશમાં ઘૂસાડવામાં આવે છે તેના પરથી દેખાય છે કે આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલર્સ બહુ સ્માર્ટ રીતે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે વિવિધ યુક્તિઓ લગાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલર્સ વિદેશથી ગુજરાત મુંબઈ જેવા દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડે છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.