વિદેશમાંથી આવી રહ્યું છે ડ્રગ્સ, ભારત બની રહ્યું છે ડ્રગ્સનું 'હોટ સ્પોટ'


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 14:50:57

દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે 1700 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. દિલ્લી પોલીસે એક શિપિંગ કન્ટેઈનર ઝડપ્યું હતું જેમાં 22 હજાર કિલોનું લિકરીસ પ્લાન્ટ ઝડપી પાડ્યું હતું. લિકરીસ પ્લાનમાં હેરોઈન નામનું માદક દ્રવ્ય સંતાડવામાં આવ્યું હતું. આ કન્ટેઈનર મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી ઝડપવામાં આવ્યું હતું. 


1725 કરોડનું ડ્રગ્સ ઝડપાયું 

દિલ્લી પોલીસના જણાવ્યા મુજબ કુલ 1725 કરોડનું ડ્રગ્સ કન્ટેઈનર પરથી ઝડપવામાં આવ્યું હતું. આ કન્ટેઈનર મુંબઈથી દિલ્લી મોકલવામાં આવ્યું હતું. 


અગાઉ પર દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે બે અફઘાન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આ અફઘાનિસ્તાનના લોકો પાસેથી 1200 કરોડનું 312 કિલો માદક દ્રવ્ય ઝડપવામાં આવ્યું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ દેશમાં ઘૂસાડવામાં આવે છે તેના પરથી દેખાય છે કે આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલર્સ બહુ સ્માર્ટ રીતે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે વિવિધ યુક્તિઓ લગાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલર્સ વિદેશથી ગુજરાત મુંબઈ જેવા દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડે છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.