ચીનને કાઉન્ટર કરવા માટે ભારત લદ્દાખમાં નવું એર ફિલ્ડ તૈયાર કરશે


  • Published By :
  • Published Date : 2022-10-27 21:33:11

ભારતી લદ્દાખ સરહદે ચીનનો સામનો કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ભારત લદ્દાખના ન્યોમામાં એક નવા એર ફિલ્ડનું નિર્માણ કરશે. ન્યોમાં પૂર્વી લદ્દાખની એકદમ નજીક છે. આ વિસ્તારમાં ચીન પણ ઈન્ફ્રાસ્ટક્ચર ડેવલપ કરી રહ્યું છે. સરકારના આ નિર્ણયથી ચીનને કાઉન્ટર કરવામાં મદદ મળશે.


એર ફિલ્ડના અપગ્રેડેશન બાદ એરફોર્સની તાકાત વધી જશે


ભારતીય સેનાના અઘિકારીઓએ જણાવ્યું કે ભારત ખુબ ઝડપથી એલએસીથી 50 કિમી નજીક ફાઈટર વિમાનોના સંચાલન માટે ન્યોમા એડવાન્સ્ડ લેડિંગ ગ્રાઉન્ડ અપગ્રેડેશન માટે નિર્માણકાર્ય શરૂ કરશે. ચીન સાથે ચાલી રહેલી તંગદીલી દરમિયાન ન્યોમા એર ફિલ્ડનો ઉપયોગ જવાનો અને સામગ્રીના પરિવહન માટે થઈ રહ્યો છે. આ હવાઈ ક્ષેત્રમાં ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને સી-130 જેવા સ્પેશિયલ ઓપરેશન્સ વિમાનોને પણ ઉતારી શકાય છે. આ એર ફિલ્ડના અપગ્રેડેશન બાદ એરફોર્સની તાકાત વધી જશે.


જવાનો અને સામગ્રીનું પરિવહન ઝડપી બનશે


એરફોર્સના ગ્રૂપ કેપ્ટન અજય રાઠીએ ન્યોમા જેવા એડવાન્સ્ડ લેડિંગ ગ્રાઉન્ડનું મહત્વ સમજાવ્યું હતું, રાઠીએ કહ્યું ન્યોમા એલએસીની ખુબ નજીક હોવાથી તેનું સ્ટ્રેટેજીક મહત્વ ખુબ જ છે. તે લેહ અને એલએસી વચ્ચેના અંતરને ઘટાડે છે. આ એર ફિલ્ડ પૂર્વી લદ્દાખમાં જવાનો અને યુધ્ધ સામગ્રીના ટ્રાન્સફરને ઝડપી બનાવવા સક્ષમ બનાવે છે. 



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.