ચીનને કાઉન્ટર કરવા માટે ભારત લદ્દાખમાં નવું એર ફિલ્ડ તૈયાર કરશે


  • Published By :
  • Published Date : 2022-10-27 21:33:11

ભારતી લદ્દાખ સરહદે ચીનનો સામનો કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ભારત લદ્દાખના ન્યોમામાં એક નવા એર ફિલ્ડનું નિર્માણ કરશે. ન્યોમાં પૂર્વી લદ્દાખની એકદમ નજીક છે. આ વિસ્તારમાં ચીન પણ ઈન્ફ્રાસ્ટક્ચર ડેવલપ કરી રહ્યું છે. સરકારના આ નિર્ણયથી ચીનને કાઉન્ટર કરવામાં મદદ મળશે.


એર ફિલ્ડના અપગ્રેડેશન બાદ એરફોર્સની તાકાત વધી જશે


ભારતીય સેનાના અઘિકારીઓએ જણાવ્યું કે ભારત ખુબ ઝડપથી એલએસીથી 50 કિમી નજીક ફાઈટર વિમાનોના સંચાલન માટે ન્યોમા એડવાન્સ્ડ લેડિંગ ગ્રાઉન્ડ અપગ્રેડેશન માટે નિર્માણકાર્ય શરૂ કરશે. ચીન સાથે ચાલી રહેલી તંગદીલી દરમિયાન ન્યોમા એર ફિલ્ડનો ઉપયોગ જવાનો અને સામગ્રીના પરિવહન માટે થઈ રહ્યો છે. આ હવાઈ ક્ષેત્રમાં ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને સી-130 જેવા સ્પેશિયલ ઓપરેશન્સ વિમાનોને પણ ઉતારી શકાય છે. આ એર ફિલ્ડના અપગ્રેડેશન બાદ એરફોર્સની તાકાત વધી જશે.


જવાનો અને સામગ્રીનું પરિવહન ઝડપી બનશે


એરફોર્સના ગ્રૂપ કેપ્ટન અજય રાઠીએ ન્યોમા જેવા એડવાન્સ્ડ લેડિંગ ગ્રાઉન્ડનું મહત્વ સમજાવ્યું હતું, રાઠીએ કહ્યું ન્યોમા એલએસીની ખુબ નજીક હોવાથી તેનું સ્ટ્રેટેજીક મહત્વ ખુબ જ છે. તે લેહ અને એલએસી વચ્ચેના અંતરને ઘટાડે છે. આ એર ફિલ્ડ પૂર્વી લદ્દાખમાં જવાનો અને યુધ્ધ સામગ્રીના ટ્રાન્સફરને ઝડપી બનાવવા સક્ષમ બનાવે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.