ચીનને કાઉન્ટર કરવા માટે ભારત લદ્દાખમાં નવું એર ફિલ્ડ તૈયાર કરશે


  • Published By :
  • Published Date : 2022-10-27 21:33:11

ભારતી લદ્દાખ સરહદે ચીનનો સામનો કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ભારત લદ્દાખના ન્યોમામાં એક નવા એર ફિલ્ડનું નિર્માણ કરશે. ન્યોમાં પૂર્વી લદ્દાખની એકદમ નજીક છે. આ વિસ્તારમાં ચીન પણ ઈન્ફ્રાસ્ટક્ચર ડેવલપ કરી રહ્યું છે. સરકારના આ નિર્ણયથી ચીનને કાઉન્ટર કરવામાં મદદ મળશે.


એર ફિલ્ડના અપગ્રેડેશન બાદ એરફોર્સની તાકાત વધી જશે


ભારતીય સેનાના અઘિકારીઓએ જણાવ્યું કે ભારત ખુબ ઝડપથી એલએસીથી 50 કિમી નજીક ફાઈટર વિમાનોના સંચાલન માટે ન્યોમા એડવાન્સ્ડ લેડિંગ ગ્રાઉન્ડ અપગ્રેડેશન માટે નિર્માણકાર્ય શરૂ કરશે. ચીન સાથે ચાલી રહેલી તંગદીલી દરમિયાન ન્યોમા એર ફિલ્ડનો ઉપયોગ જવાનો અને સામગ્રીના પરિવહન માટે થઈ રહ્યો છે. આ હવાઈ ક્ષેત્રમાં ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને સી-130 જેવા સ્પેશિયલ ઓપરેશન્સ વિમાનોને પણ ઉતારી શકાય છે. આ એર ફિલ્ડના અપગ્રેડેશન બાદ એરફોર્સની તાકાત વધી જશે.


જવાનો અને સામગ્રીનું પરિવહન ઝડપી બનશે


એરફોર્સના ગ્રૂપ કેપ્ટન અજય રાઠીએ ન્યોમા જેવા એડવાન્સ્ડ લેડિંગ ગ્રાઉન્ડનું મહત્વ સમજાવ્યું હતું, રાઠીએ કહ્યું ન્યોમા એલએસીની ખુબ નજીક હોવાથી તેનું સ્ટ્રેટેજીક મહત્વ ખુબ જ છે. તે લેહ અને એલએસી વચ્ચેના અંતરને ઘટાડે છે. આ એર ફિલ્ડ પૂર્વી લદ્દાખમાં જવાનો અને યુધ્ધ સામગ્રીના ટ્રાન્સફરને ઝડપી બનાવવા સક્ષમ બનાવે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.