India-Pakistan Match : 191 રન બનાવી પાકિસ્તાની ટીમ ઓલ-આઉટ, જાણો કોણે કેટલા રન બનાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-10-14 17:52:52

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ભારતે પહેલા ફ્રિલ્ડિંગ ભરવાનો નિર્ણય કર્યો છે. મેચને લઈ દર્શકોમાં અનરો ઉત્સાહ જોવા મળ્યો છે. પાકિસ્તાનની 155 રન પર બે વિકેટ પડી હતી ત્યાર પછી ત્રીજી વિકેટ પડી અને મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની પાર્ટનરશીપ તૂટી હતી. ત્યાર પછી એક બાદ એક ખેલાડી ટીમોની વિકેટ પડી ગઈ હતી. 36 રનના ગાળામાં 191 રન પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઇ હતી.

191 રન પર પાકિસ્તાની ટીમ ઓલઆઉટ થઈ ગઈ

પાકિસ્તાનની 155 રન પર બે વિકેટ પડી હતી ત્યાર પછી ત્રીજી વિકેટ પડી અને મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની પાર્ટનરશીપ તૂટી હતી. ત્યાર પછી એક બાદ એક ખેલાડી ટીમોની વિકેટ પડી ગઈ હતી. 36 રનના ગાળામાં 191 રન પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઇ હતી. પાકિસ્તાનની ટીમ 191 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. 

live-india-vs-pakistan-score-icc-world-cup-2023-ind-vs-pak-scorecard-updates-from-narendra-modi-stadium-in-ahmedabad-214325

 42.5 ઓવરમાં પાકિસ્તાની ટીમ ઓલ આઉટ થઈ 

જ્યારે મેચ શરૂ થઈ ત્યારે પાકિસ્તાની ટીમ મજબૂત દેખાઈ રહી હતી. શરૂઆતી પાર્ટનરશીપ સારી હતી પરંતુ ધીરે ધીરે વિકેટો પડતી ગઈ. 42.5 ઓવરમાં 191 રન પાકિસ્તાની ખેલાડી બનાવી ચૂક્યા હતા. પહેલી બે વિકેટ પડી ત્યારે 155 રન હતા પરંતુ 36 રનમાં પાકિસ્તાને 8 વિકેટો ગુમાવી છે. ભારત માટે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. રવિન્દ્ર જાડેજા. કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ ઝડપી હતી. જોવા જેવી વાત એ હતી કે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાને સારી બેટિંગ કરી હતી. બાબર આઝમે 50 રન બનાવ્યા હતા જ્યારે રિઝવાને 49 રન ફટકાર્યા હતા. ઈમામે 36 રન બનાવ્યા હતા. 


  

Image

  


બંને ટીમના પ્લેઈંગ 11ની વાત કરીએ તો - 


ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ


પાકિસ્તાન: અબ્દુલ્લા શફીક, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), સાઉદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હારિસ રઉફ, શાહિન આફ્રિદી, હસન અલી 

Image



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી