India-Pakistan Match : 191 રન બનાવી પાકિસ્તાની ટીમ ઓલ-આઉટ, જાણો કોણે કેટલા રન બનાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-10-14 17:52:52

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ભારતે પહેલા ફ્રિલ્ડિંગ ભરવાનો નિર્ણય કર્યો છે. મેચને લઈ દર્શકોમાં અનરો ઉત્સાહ જોવા મળ્યો છે. પાકિસ્તાનની 155 રન પર બે વિકેટ પડી હતી ત્યાર પછી ત્રીજી વિકેટ પડી અને મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની પાર્ટનરશીપ તૂટી હતી. ત્યાર પછી એક બાદ એક ખેલાડી ટીમોની વિકેટ પડી ગઈ હતી. 36 રનના ગાળામાં 191 રન પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઇ હતી.

191 રન પર પાકિસ્તાની ટીમ ઓલઆઉટ થઈ ગઈ

પાકિસ્તાનની 155 રન પર બે વિકેટ પડી હતી ત્યાર પછી ત્રીજી વિકેટ પડી અને મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની પાર્ટનરશીપ તૂટી હતી. ત્યાર પછી એક બાદ એક ખેલાડી ટીમોની વિકેટ પડી ગઈ હતી. 36 રનના ગાળામાં 191 રન પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઇ હતી. પાકિસ્તાનની ટીમ 191 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. 

live-india-vs-pakistan-score-icc-world-cup-2023-ind-vs-pak-scorecard-updates-from-narendra-modi-stadium-in-ahmedabad-214325

 42.5 ઓવરમાં પાકિસ્તાની ટીમ ઓલ આઉટ થઈ 

જ્યારે મેચ શરૂ થઈ ત્યારે પાકિસ્તાની ટીમ મજબૂત દેખાઈ રહી હતી. શરૂઆતી પાર્ટનરશીપ સારી હતી પરંતુ ધીરે ધીરે વિકેટો પડતી ગઈ. 42.5 ઓવરમાં 191 રન પાકિસ્તાની ખેલાડી બનાવી ચૂક્યા હતા. પહેલી બે વિકેટ પડી ત્યારે 155 રન હતા પરંતુ 36 રનમાં પાકિસ્તાને 8 વિકેટો ગુમાવી છે. ભારત માટે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. રવિન્દ્ર જાડેજા. કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ ઝડપી હતી. જોવા જેવી વાત એ હતી કે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાને સારી બેટિંગ કરી હતી. બાબર આઝમે 50 રન બનાવ્યા હતા જ્યારે રિઝવાને 49 રન ફટકાર્યા હતા. ઈમામે 36 રન બનાવ્યા હતા. 


  

Image

  


બંને ટીમના પ્લેઈંગ 11ની વાત કરીએ તો - 


ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ


પાકિસ્તાન: અબ્દુલ્લા શફીક, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), સાઉદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હારિસ રઉફ, શાહિન આફ્રિદી, હસન અલી 

Image



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.