India-Pakistan Match : 191 રન બનાવી પાકિસ્તાની ટીમ ઓલ-આઉટ, જાણો કોણે કેટલા રન બનાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-10-14 17:52:52

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ભારતે પહેલા ફ્રિલ્ડિંગ ભરવાનો નિર્ણય કર્યો છે. મેચને લઈ દર્શકોમાં અનરો ઉત્સાહ જોવા મળ્યો છે. પાકિસ્તાનની 155 રન પર બે વિકેટ પડી હતી ત્યાર પછી ત્રીજી વિકેટ પડી અને મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની પાર્ટનરશીપ તૂટી હતી. ત્યાર પછી એક બાદ એક ખેલાડી ટીમોની વિકેટ પડી ગઈ હતી. 36 રનના ગાળામાં 191 રન પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઇ હતી.

191 રન પર પાકિસ્તાની ટીમ ઓલઆઉટ થઈ ગઈ

પાકિસ્તાનની 155 રન પર બે વિકેટ પડી હતી ત્યાર પછી ત્રીજી વિકેટ પડી અને મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની પાર્ટનરશીપ તૂટી હતી. ત્યાર પછી એક બાદ એક ખેલાડી ટીમોની વિકેટ પડી ગઈ હતી. 36 રનના ગાળામાં 191 રન પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઇ હતી. પાકિસ્તાનની ટીમ 191 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. 

live-india-vs-pakistan-score-icc-world-cup-2023-ind-vs-pak-scorecard-updates-from-narendra-modi-stadium-in-ahmedabad-214325

 42.5 ઓવરમાં પાકિસ્તાની ટીમ ઓલ આઉટ થઈ 

જ્યારે મેચ શરૂ થઈ ત્યારે પાકિસ્તાની ટીમ મજબૂત દેખાઈ રહી હતી. શરૂઆતી પાર્ટનરશીપ સારી હતી પરંતુ ધીરે ધીરે વિકેટો પડતી ગઈ. 42.5 ઓવરમાં 191 રન પાકિસ્તાની ખેલાડી બનાવી ચૂક્યા હતા. પહેલી બે વિકેટ પડી ત્યારે 155 રન હતા પરંતુ 36 રનમાં પાકિસ્તાને 8 વિકેટો ગુમાવી છે. ભારત માટે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. રવિન્દ્ર જાડેજા. કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ ઝડપી હતી. જોવા જેવી વાત એ હતી કે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાને સારી બેટિંગ કરી હતી. બાબર આઝમે 50 રન બનાવ્યા હતા જ્યારે રિઝવાને 49 રન ફટકાર્યા હતા. ઈમામે 36 રન બનાવ્યા હતા. 


  

Image

  


બંને ટીમના પ્લેઈંગ 11ની વાત કરીએ તો - 


ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ


પાકિસ્તાન: અબ્દુલ્લા શફીક, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), સાઉદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હારિસ રઉફ, શાહિન આફ્રિદી, હસન અલી 

Image



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.