705 ભારતીય નાગરિકો પાકિસ્તાનની જેલોમાં બંધ, ભારતે કેદીઓની મુક્તીની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-01-01 19:04:58

ભારત અને પાકિસ્તાને રવિવારે પોતપોતાની જેલોમાં બંધ કેદીઓ અને માંછીમારોની યાદી એક-બીજાને સોંપી હતી. તે જ પ્રમાણે બંને દેશોએ તેમની રાજકીય ચેનલોના મારફતે પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુવિધાઓના લિસ્ટનું પણ વહેંચ્યું હતું. બંને દેશો વચ્ચે આ પ્રકારની યાદીઓનું આ સતત 32મું આદાન-પ્રદાન હતું, સૌપ્રથમ 1 જાન્યુઆરી 1992થી તેની શરૂઆત થઈ હતી.


705 ભારતીયો પાક જંલમાં બંધ


વિદેશ મંત્રાલયએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા જે યાદી સોંપવામાં આવી છે પાકિસ્તાને પણ 705 ભારતીય કેદીઓની યાદી પણ શેર કરી છે.  તે મુજબ પાકિસ્તાની જેલોમાં 51 ભારતીય નાગરિકો અને 654 માંછીમારો બંધ છે. ભારતે આ કેદીઓની માગ કરી છે, વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 631 ભારતીય માંછીમારો અને બે ભારતીય નાગરિકો તેમની સજા પુરી કરી ચુક્યા છે. 


પરમાણુ મથકોની યાદીનું પણ કર્યું આદાન-પ્રદાન


ભારત અને પાકિસ્તાને રવિવારે એકબીજા સાથે તેમના પરમાણુ મથકોની યાદી પણ શેર કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રક્રિયા છેલ્લા 32 વર્ષથી ચાલી રહી છે. બંને દેશો પરમાણુ સંસ્થાઓ અને સુવિધાઓ પર હુમલો નહીં કરવાના કરાર હેઠળ આ યાદી શેર કરે છે. આ પ્રક્રિયા નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એક સાથે પૂર્ણ કરવામાં આવી હતી.


શા માટે માહિતી વહેંચવામાં આવે છે?


ભારત અને પાકિસ્તાન વચ્ચે 31 ડિસેમ્બર 1988ના રોજ કરવામાં આવી હતી, તેનો અમલ 27 જાન્યુઆરી 1991ના રોજ કરવામાં આવ્યો હતો. દર વર્ષના આરંભ વખતે બંને દેશો આ પ્રકારની માહિતી શેર કરતા રહે છે આ કવાયત છેલ્લા 32 વર્ષથી કરવામાં આવે છે. સમજુતી પ્રમાણે પ્રથમ યાદી 1 જાન્યુઆરી 1992ના રોજ શેર કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે 1 જાન્યુઆરીએ બંને દેશો આ યાદી શેર કરવામાં આવે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.