705 ભારતીય નાગરિકો પાકિસ્તાનની જેલોમાં બંધ, ભારતે કેદીઓની મુક્તીની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-01-01 19:04:58

ભારત અને પાકિસ્તાને રવિવારે પોતપોતાની જેલોમાં બંધ કેદીઓ અને માંછીમારોની યાદી એક-બીજાને સોંપી હતી. તે જ પ્રમાણે બંને દેશોએ તેમની રાજકીય ચેનલોના મારફતે પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુવિધાઓના લિસ્ટનું પણ વહેંચ્યું હતું. બંને દેશો વચ્ચે આ પ્રકારની યાદીઓનું આ સતત 32મું આદાન-પ્રદાન હતું, સૌપ્રથમ 1 જાન્યુઆરી 1992થી તેની શરૂઆત થઈ હતી.


705 ભારતીયો પાક જંલમાં બંધ


વિદેશ મંત્રાલયએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા જે યાદી સોંપવામાં આવી છે પાકિસ્તાને પણ 705 ભારતીય કેદીઓની યાદી પણ શેર કરી છે.  તે મુજબ પાકિસ્તાની જેલોમાં 51 ભારતીય નાગરિકો અને 654 માંછીમારો બંધ છે. ભારતે આ કેદીઓની માગ કરી છે, વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 631 ભારતીય માંછીમારો અને બે ભારતીય નાગરિકો તેમની સજા પુરી કરી ચુક્યા છે. 


પરમાણુ મથકોની યાદીનું પણ કર્યું આદાન-પ્રદાન


ભારત અને પાકિસ્તાને રવિવારે એકબીજા સાથે તેમના પરમાણુ મથકોની યાદી પણ શેર કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રક્રિયા છેલ્લા 32 વર્ષથી ચાલી રહી છે. બંને દેશો પરમાણુ સંસ્થાઓ અને સુવિધાઓ પર હુમલો નહીં કરવાના કરાર હેઠળ આ યાદી શેર કરે છે. આ પ્રક્રિયા નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એક સાથે પૂર્ણ કરવામાં આવી હતી.


શા માટે માહિતી વહેંચવામાં આવે છે?


ભારત અને પાકિસ્તાન વચ્ચે 31 ડિસેમ્બર 1988ના રોજ કરવામાં આવી હતી, તેનો અમલ 27 જાન્યુઆરી 1991ના રોજ કરવામાં આવ્યો હતો. દર વર્ષના આરંભ વખતે બંને દેશો આ પ્રકારની માહિતી શેર કરતા રહે છે આ કવાયત છેલ્લા 32 વર્ષથી કરવામાં આવે છે. સમજુતી પ્રમાણે પ્રથમ યાદી 1 જાન્યુઆરી 1992ના રોજ શેર કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે 1 જાન્યુઆરીએ બંને દેશો આ યાદી શેર કરવામાં આવે છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.