705 ભારતીય નાગરિકો પાકિસ્તાનની જેલોમાં બંધ, ભારતે કેદીઓની મુક્તીની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-01-01 19:04:58

ભારત અને પાકિસ્તાને રવિવારે પોતપોતાની જેલોમાં બંધ કેદીઓ અને માંછીમારોની યાદી એક-બીજાને સોંપી હતી. તે જ પ્રમાણે બંને દેશોએ તેમની રાજકીય ચેનલોના મારફતે પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુવિધાઓના લિસ્ટનું પણ વહેંચ્યું હતું. બંને દેશો વચ્ચે આ પ્રકારની યાદીઓનું આ સતત 32મું આદાન-પ્રદાન હતું, સૌપ્રથમ 1 જાન્યુઆરી 1992થી તેની શરૂઆત થઈ હતી.


705 ભારતીયો પાક જંલમાં બંધ


વિદેશ મંત્રાલયએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા જે યાદી સોંપવામાં આવી છે પાકિસ્તાને પણ 705 ભારતીય કેદીઓની યાદી પણ શેર કરી છે.  તે મુજબ પાકિસ્તાની જેલોમાં 51 ભારતીય નાગરિકો અને 654 માંછીમારો બંધ છે. ભારતે આ કેદીઓની માગ કરી છે, વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 631 ભારતીય માંછીમારો અને બે ભારતીય નાગરિકો તેમની સજા પુરી કરી ચુક્યા છે. 


પરમાણુ મથકોની યાદીનું પણ કર્યું આદાન-પ્રદાન


ભારત અને પાકિસ્તાને રવિવારે એકબીજા સાથે તેમના પરમાણુ મથકોની યાદી પણ શેર કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રક્રિયા છેલ્લા 32 વર્ષથી ચાલી રહી છે. બંને દેશો પરમાણુ સંસ્થાઓ અને સુવિધાઓ પર હુમલો નહીં કરવાના કરાર હેઠળ આ યાદી શેર કરે છે. આ પ્રક્રિયા નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એક સાથે પૂર્ણ કરવામાં આવી હતી.


શા માટે માહિતી વહેંચવામાં આવે છે?


ભારત અને પાકિસ્તાન વચ્ચે 31 ડિસેમ્બર 1988ના રોજ કરવામાં આવી હતી, તેનો અમલ 27 જાન્યુઆરી 1991ના રોજ કરવામાં આવ્યો હતો. દર વર્ષના આરંભ વખતે બંને દેશો આ પ્રકારની માહિતી શેર કરતા રહે છે આ કવાયત છેલ્લા 32 વર્ષથી કરવામાં આવે છે. સમજુતી પ્રમાણે પ્રથમ યાદી 1 જાન્યુઆરી 1992ના રોજ શેર કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે 1 જાન્યુઆરીએ બંને દેશો આ યાદી શેર કરવામાં આવે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.