705 ભારતીય નાગરિકો પાકિસ્તાનની જેલોમાં બંધ, ભારતે કેદીઓની મુક્તીની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-01-01 19:04:58

ભારત અને પાકિસ્તાને રવિવારે પોતપોતાની જેલોમાં બંધ કેદીઓ અને માંછીમારોની યાદી એક-બીજાને સોંપી હતી. તે જ પ્રમાણે બંને દેશોએ તેમની રાજકીય ચેનલોના મારફતે પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુવિધાઓના લિસ્ટનું પણ વહેંચ્યું હતું. બંને દેશો વચ્ચે આ પ્રકારની યાદીઓનું આ સતત 32મું આદાન-પ્રદાન હતું, સૌપ્રથમ 1 જાન્યુઆરી 1992થી તેની શરૂઆત થઈ હતી.


705 ભારતીયો પાક જંલમાં બંધ


વિદેશ મંત્રાલયએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા જે યાદી સોંપવામાં આવી છે પાકિસ્તાને પણ 705 ભારતીય કેદીઓની યાદી પણ શેર કરી છે.  તે મુજબ પાકિસ્તાની જેલોમાં 51 ભારતીય નાગરિકો અને 654 માંછીમારો બંધ છે. ભારતે આ કેદીઓની માગ કરી છે, વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 631 ભારતીય માંછીમારો અને બે ભારતીય નાગરિકો તેમની સજા પુરી કરી ચુક્યા છે. 


પરમાણુ મથકોની યાદીનું પણ કર્યું આદાન-પ્રદાન


ભારત અને પાકિસ્તાને રવિવારે એકબીજા સાથે તેમના પરમાણુ મથકોની યાદી પણ શેર કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રક્રિયા છેલ્લા 32 વર્ષથી ચાલી રહી છે. બંને દેશો પરમાણુ સંસ્થાઓ અને સુવિધાઓ પર હુમલો નહીં કરવાના કરાર હેઠળ આ યાદી શેર કરે છે. આ પ્રક્રિયા નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એક સાથે પૂર્ણ કરવામાં આવી હતી.


શા માટે માહિતી વહેંચવામાં આવે છે?


ભારત અને પાકિસ્તાન વચ્ચે 31 ડિસેમ્બર 1988ના રોજ કરવામાં આવી હતી, તેનો અમલ 27 જાન્યુઆરી 1991ના રોજ કરવામાં આવ્યો હતો. દર વર્ષના આરંભ વખતે બંને દેશો આ પ્રકારની માહિતી શેર કરતા રહે છે આ કવાયત છેલ્લા 32 વર્ષથી કરવામાં આવે છે. સમજુતી પ્રમાણે પ્રથમ યાદી 1 જાન્યુઆરી 1992ના રોજ શેર કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે 1 જાન્યુઆરીએ બંને દેશો આ યાદી શેર કરવામાં આવે છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.