India-Pakistanની મેચ દરમિયાન વરસાદ પાડશે વિધ્ન! જાણો વરસાદને લઈ Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-29 17:24:22

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ ઓક્ટોબર મહિના દરમિયાન જામશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓક્ટોબર મહિના દરમિયાન વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે ગુજરાતમાં વરસાદ આવશે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જામશે જેને લઈ ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. મહત્વનું છે કે 14 ઓક્ટોબર દરમિયાન ભારત પાકિસ્તાનની મેચ પણ યોજાવાની છે. તે સમય દરમિયાન વરસાદ વિધ્ન ઉત્પન્ન કરી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

Image

આ જગ્યાઓ પર આવતી કાલે થઈ શકે છે વરસાદ 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. હમણાં તો વરસાદે વિરામ લીધો છે પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી. અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. એક તરફ વરસાદ વિદાય લેવાની આરે છે તો બીજી તરફ ઓક્ટોબરમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 30મી સપ્ટેમ્બરે પણ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અને દીવમાં થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી થવાની શક્યતા છે. 

Image

ઓક્ટોબર મહિનામાં સક્રિય થશે ચક્રવાતની સિસ્ટમ 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાનું છે જેને કારણે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની મેહર જોવા મળી શકે છે. 14 ઓક્ટોબર સુધીમાં ચક્રવાત ગંભીર રૂપ ધારણ કરી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. મોટુ ચક્રવાત સક્રિય થવાનું છે જેને કારણે ગુજરાતમાં ઓક્ટોબર મહિના દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળશે.

Image

Image

ભારત પાકિસ્તાન મેચમાં વરસાદ કરી શકે છે વિધ્ન!

અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે  6થી 9 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થશે જેને કારણે ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની છે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ કરશે. નવરાત્રીની તો મજા વરસાદ બગાડશે પરંતુ ભારત પાકિસ્તાનની મેચની પણ મજા વરસાદ બગાડશે તે વાત અંબાલાલ પટેલની આગાહી પરથી લાગી રહી છે.  





રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.