India-Pakistanની મેચ દરમિયાન વરસાદ પાડશે વિધ્ન! જાણો વરસાદને લઈ Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-29 17:24:22

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ ઓક્ટોબર મહિના દરમિયાન જામશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓક્ટોબર મહિના દરમિયાન વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે ગુજરાતમાં વરસાદ આવશે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જામશે જેને લઈ ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. મહત્વનું છે કે 14 ઓક્ટોબર દરમિયાન ભારત પાકિસ્તાનની મેચ પણ યોજાવાની છે. તે સમય દરમિયાન વરસાદ વિધ્ન ઉત્પન્ન કરી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

Image

આ જગ્યાઓ પર આવતી કાલે થઈ શકે છે વરસાદ 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. હમણાં તો વરસાદે વિરામ લીધો છે પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી. અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. એક તરફ વરસાદ વિદાય લેવાની આરે છે તો બીજી તરફ ઓક્ટોબરમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 30મી સપ્ટેમ્બરે પણ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અને દીવમાં થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી થવાની શક્યતા છે. 

Image

ઓક્ટોબર મહિનામાં સક્રિય થશે ચક્રવાતની સિસ્ટમ 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાનું છે જેને કારણે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની મેહર જોવા મળી શકે છે. 14 ઓક્ટોબર સુધીમાં ચક્રવાત ગંભીર રૂપ ધારણ કરી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. મોટુ ચક્રવાત સક્રિય થવાનું છે જેને કારણે ગુજરાતમાં ઓક્ટોબર મહિના દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળશે.

Image

Image

ભારત પાકિસ્તાન મેચમાં વરસાદ કરી શકે છે વિધ્ન!

અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે  6થી 9 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થશે જેને કારણે ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની છે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ કરશે. નવરાત્રીની તો મજા વરસાદ બગાડશે પરંતુ ભારત પાકિસ્તાનની મેચની પણ મજા વરસાદ બગાડશે તે વાત અંબાલાલ પટેલની આગાહી પરથી લાગી રહી છે.  





ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી