India-Pakistanની મેચ દરમિયાન વરસાદ પાડશે વિધ્ન! જાણો વરસાદને લઈ Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-29 17:24:22

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ ઓક્ટોબર મહિના દરમિયાન જામશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓક્ટોબર મહિના દરમિયાન વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે ગુજરાતમાં વરસાદ આવશે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જામશે જેને લઈ ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. મહત્વનું છે કે 14 ઓક્ટોબર દરમિયાન ભારત પાકિસ્તાનની મેચ પણ યોજાવાની છે. તે સમય દરમિયાન વરસાદ વિધ્ન ઉત્પન્ન કરી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

Image

આ જગ્યાઓ પર આવતી કાલે થઈ શકે છે વરસાદ 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. હમણાં તો વરસાદે વિરામ લીધો છે પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી. અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. એક તરફ વરસાદ વિદાય લેવાની આરે છે તો બીજી તરફ ઓક્ટોબરમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 30મી સપ્ટેમ્બરે પણ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અને દીવમાં થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી થવાની શક્યતા છે. 

Image

ઓક્ટોબર મહિનામાં સક્રિય થશે ચક્રવાતની સિસ્ટમ 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાનું છે જેને કારણે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની મેહર જોવા મળી શકે છે. 14 ઓક્ટોબર સુધીમાં ચક્રવાત ગંભીર રૂપ ધારણ કરી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. મોટુ ચક્રવાત સક્રિય થવાનું છે જેને કારણે ગુજરાતમાં ઓક્ટોબર મહિના દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળશે.

Image

Image

ભારત પાકિસ્તાન મેચમાં વરસાદ કરી શકે છે વિધ્ન!

અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે  6થી 9 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થશે જેને કારણે ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની છે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ કરશે. નવરાત્રીની તો મજા વરસાદ બગાડશે પરંતુ ભારત પાકિસ્તાનની મેચની પણ મજા વરસાદ બગાડશે તે વાત અંબાલાલ પટેલની આગાહી પરથી લાગી રહી છે.  





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.