India-Pakistanની મેચ દરમિયાન વરસાદ પાડશે વિધ્ન! જાણો વરસાદને લઈ Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-29 17:24:22

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ ઓક્ટોબર મહિના દરમિયાન જામશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓક્ટોબર મહિના દરમિયાન વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે ગુજરાતમાં વરસાદ આવશે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જામશે જેને લઈ ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. મહત્વનું છે કે 14 ઓક્ટોબર દરમિયાન ભારત પાકિસ્તાનની મેચ પણ યોજાવાની છે. તે સમય દરમિયાન વરસાદ વિધ્ન ઉત્પન્ન કરી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

Image

આ જગ્યાઓ પર આવતી કાલે થઈ શકે છે વરસાદ 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. હમણાં તો વરસાદે વિરામ લીધો છે પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી. અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. એક તરફ વરસાદ વિદાય લેવાની આરે છે તો બીજી તરફ ઓક્ટોબરમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 30મી સપ્ટેમ્બરે પણ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અને દીવમાં થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી થવાની શક્યતા છે. 

Image

ઓક્ટોબર મહિનામાં સક્રિય થશે ચક્રવાતની સિસ્ટમ 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાનું છે જેને કારણે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની મેહર જોવા મળી શકે છે. 14 ઓક્ટોબર સુધીમાં ચક્રવાત ગંભીર રૂપ ધારણ કરી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. મોટુ ચક્રવાત સક્રિય થવાનું છે જેને કારણે ગુજરાતમાં ઓક્ટોબર મહિના દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળશે.

Image

Image

ભારત પાકિસ્તાન મેચમાં વરસાદ કરી શકે છે વિધ્ન!

અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે  6થી 9 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થશે જેને કારણે ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની છે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ કરશે. નવરાત્રીની તો મજા વરસાદ બગાડશે પરંતુ ભારત પાકિસ્તાનની મેચની પણ મજા વરસાદ બગાડશે તે વાત અંબાલાલ પટેલની આગાહી પરથી લાગી રહી છે.  





ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.