ભારતે પાકિસ્તાની વિમાનો માટે બંધ કર્યું પોતાનું એર સ્પેસ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-01 12:42:58

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ  શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે. 

Pakistan's PIA to resume flights to Europe on Jan. 10 after 4-1/2 year ban  | Reuters

ભારત સરકારે જાહેરાત કરી છે કે  ૨૩ મેં સુધી પાકિસ્તાનની તમામ ફલાઇટો માટે ભારતીય એર સ્પેસ બંધ રહેશે . પહલગામના આતંકી હુમલા બાદ ભારતની પાકિસ્તાનના અર્થતંત્ર ખુબ મોટી સર્જીકલ સ્ટ્રીક છે. ભારત તરફથી આ માટે NOTAM એટલેકે ધ નોટિસ ટુ એરમેનએ આ માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે થી પાકિસ્તાનમાં રજીસ્ટરડ કોઈ પણ વિમાન સાથે જ પાકિસ્તાન એરલાઈન્સ દ્વારા ઓપરેટેડ , માલિકી અને લીઝ ધરાવનાર વિમાન સાથે જ કોઈ પણ મિલિટરી વિમાન ભારતની એરસ્પેસમાં પ્રવેશ નઈ કરી શકે . આ પ્રતિબંધ ૨૩ મેં સુધી લાગુ રહેશે.  આપને જણાવી દયિકે દર અઠવાડીએ પાકિસ્તાનની ૮૦૦ ફ્લાઈટ્સ ભારતના એરસ્પેસમાંથી પસાર થાય છે.  આનાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પાડવાની સંભાવના છે. પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સની ખુબ મોટી સંખ્યામાં ફલાઈટ્સ દર અઠવાડીએ મલેશિયા , કુઆલા લંપુર જાય છે . ભારતની લશ્કરી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં જોરદાર ગભરાટનો માહોલ છે. 

Pahalgam terror attack: PM Modi chairs 'super cabinet' meet after CCS  huddle. Overall security situation reviewed | Today News

વાત કરીએ ભારતની તો આપણા ત્યાં પહલગામ હુમલાને લઇને સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે જેની પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ જાહેરહિતની અરજીમાં એક ન્યાયિક આયોગના ગઠનની માંગ કરવામાં આવી છે. જ્યારથી પહલગામના આતંકી હુમલાની તપાસની જવાબદારી NIA એટલેકે નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમને મળી છે ત્યારથી જમ્મુકાશ્મીરમાં જોરદાર તપાસનો ધમધમાટ ચાલુ છે. NIA એ પહલગામની બાઇસારન ઘાટીમાં ૩D મેપિંગ પણ કર્યું છે. સાથેજ જોરદાર સર્ચ ઓપરેશન ચાલુ છે. આ આતંકી હુમલાને લઇને ૧૦૦ જણની પૂછપરછ ચાલુ છે. આ ઉપરાંત ફોરેનસિક ટીમે મહત્વના સબૂત એકઠા કરવાનું શરુ કરી દીધું છે.  ભારતીય સેનાની કાર્યવાહી પણ ચાલુ છે હવે આતંકી ફારૂક ડેડવાનું ઘર ઉડાડી નાખવામાં આવ્યું છે. અત્યારસુધીમાં ૧૦ આતંકીઓના ઘરને ભારતીય સેના દ્વારા નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે . આમ ભારતની આતંકવાદની વિરુદ્ધમાં જોરદાર ગતિવિધિ ચાલુ છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.