ભારતે પાકિસ્તાની વિમાનો માટે બંધ કર્યું પોતાનું એર સ્પેસ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-01 12:42:58

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ  શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે. 

Pakistan's PIA to resume flights to Europe on Jan. 10 after 4-1/2 year ban  | Reuters

ભારત સરકારે જાહેરાત કરી છે કે  ૨૩ મેં સુધી પાકિસ્તાનની તમામ ફલાઇટો માટે ભારતીય એર સ્પેસ બંધ રહેશે . પહલગામના આતંકી હુમલા બાદ ભારતની પાકિસ્તાનના અર્થતંત્ર ખુબ મોટી સર્જીકલ સ્ટ્રીક છે. ભારત તરફથી આ માટે NOTAM એટલેકે ધ નોટિસ ટુ એરમેનએ આ માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે થી પાકિસ્તાનમાં રજીસ્ટરડ કોઈ પણ વિમાન સાથે જ પાકિસ્તાન એરલાઈન્સ દ્વારા ઓપરેટેડ , માલિકી અને લીઝ ધરાવનાર વિમાન સાથે જ કોઈ પણ મિલિટરી વિમાન ભારતની એરસ્પેસમાં પ્રવેશ નઈ કરી શકે . આ પ્રતિબંધ ૨૩ મેં સુધી લાગુ રહેશે.  આપને જણાવી દયિકે દર અઠવાડીએ પાકિસ્તાનની ૮૦૦ ફ્લાઈટ્સ ભારતના એરસ્પેસમાંથી પસાર થાય છે.  આનાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પાડવાની સંભાવના છે. પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સની ખુબ મોટી સંખ્યામાં ફલાઈટ્સ દર અઠવાડીએ મલેશિયા , કુઆલા લંપુર જાય છે . ભારતની લશ્કરી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં જોરદાર ગભરાટનો માહોલ છે. 

Pahalgam terror attack: PM Modi chairs 'super cabinet' meet after CCS  huddle. Overall security situation reviewed | Today News

વાત કરીએ ભારતની તો આપણા ત્યાં પહલગામ હુમલાને લઇને સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે જેની પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ જાહેરહિતની અરજીમાં એક ન્યાયિક આયોગના ગઠનની માંગ કરવામાં આવી છે. જ્યારથી પહલગામના આતંકી હુમલાની તપાસની જવાબદારી NIA એટલેકે નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમને મળી છે ત્યારથી જમ્મુકાશ્મીરમાં જોરદાર તપાસનો ધમધમાટ ચાલુ છે. NIA એ પહલગામની બાઇસારન ઘાટીમાં ૩D મેપિંગ પણ કર્યું છે. સાથેજ જોરદાર સર્ચ ઓપરેશન ચાલુ છે. આ આતંકી હુમલાને લઇને ૧૦૦ જણની પૂછપરછ ચાલુ છે. આ ઉપરાંત ફોરેનસિક ટીમે મહત્વના સબૂત એકઠા કરવાનું શરુ કરી દીધું છે.  ભારતીય સેનાની કાર્યવાહી પણ ચાલુ છે હવે આતંકી ફારૂક ડેડવાનું ઘર ઉડાડી નાખવામાં આવ્યું છે. અત્યારસુધીમાં ૧૦ આતંકીઓના ઘરને ભારતીય સેના દ્વારા નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે . આમ ભારતની આતંકવાદની વિરુદ્ધમાં જોરદાર ગતિવિધિ ચાલુ છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.