ભારતે પાકિસ્તાની વિમાનો માટે બંધ કર્યું પોતાનું એર સ્પેસ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-01 12:42:58

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ  શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે. 

Pakistan's PIA to resume flights to Europe on Jan. 10 after 4-1/2 year ban  | Reuters

ભારત સરકારે જાહેરાત કરી છે કે  ૨૩ મેં સુધી પાકિસ્તાનની તમામ ફલાઇટો માટે ભારતીય એર સ્પેસ બંધ રહેશે . પહલગામના આતંકી હુમલા બાદ ભારતની પાકિસ્તાનના અર્થતંત્ર ખુબ મોટી સર્જીકલ સ્ટ્રીક છે. ભારત તરફથી આ માટે NOTAM એટલેકે ધ નોટિસ ટુ એરમેનએ આ માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે થી પાકિસ્તાનમાં રજીસ્ટરડ કોઈ પણ વિમાન સાથે જ પાકિસ્તાન એરલાઈન્સ દ્વારા ઓપરેટેડ , માલિકી અને લીઝ ધરાવનાર વિમાન સાથે જ કોઈ પણ મિલિટરી વિમાન ભારતની એરસ્પેસમાં પ્રવેશ નઈ કરી શકે . આ પ્રતિબંધ ૨૩ મેં સુધી લાગુ રહેશે.  આપને જણાવી દયિકે દર અઠવાડીએ પાકિસ્તાનની ૮૦૦ ફ્લાઈટ્સ ભારતના એરસ્પેસમાંથી પસાર થાય છે.  આનાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પાડવાની સંભાવના છે. પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સની ખુબ મોટી સંખ્યામાં ફલાઈટ્સ દર અઠવાડીએ મલેશિયા , કુઆલા લંપુર જાય છે . ભારતની લશ્કરી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં જોરદાર ગભરાટનો માહોલ છે. 

Pahalgam terror attack: PM Modi chairs 'super cabinet' meet after CCS  huddle. Overall security situation reviewed | Today News

વાત કરીએ ભારતની તો આપણા ત્યાં પહલગામ હુમલાને લઇને સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે જેની પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ જાહેરહિતની અરજીમાં એક ન્યાયિક આયોગના ગઠનની માંગ કરવામાં આવી છે. જ્યારથી પહલગામના આતંકી હુમલાની તપાસની જવાબદારી NIA એટલેકે નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમને મળી છે ત્યારથી જમ્મુકાશ્મીરમાં જોરદાર તપાસનો ધમધમાટ ચાલુ છે. NIA એ પહલગામની બાઇસારન ઘાટીમાં ૩D મેપિંગ પણ કર્યું છે. સાથેજ જોરદાર સર્ચ ઓપરેશન ચાલુ છે. આ આતંકી હુમલાને લઇને ૧૦૦ જણની પૂછપરછ ચાલુ છે. આ ઉપરાંત ફોરેનસિક ટીમે મહત્વના સબૂત એકઠા કરવાનું શરુ કરી દીધું છે.  ભારતીય સેનાની કાર્યવાહી પણ ચાલુ છે હવે આતંકી ફારૂક ડેડવાનું ઘર ઉડાડી નાખવામાં આવ્યું છે. અત્યારસુધીમાં ૧૦ આતંકીઓના ઘરને ભારતીય સેના દ્વારા નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે . આમ ભારતની આતંકવાદની વિરુદ્ધમાં જોરદાર ગતિવિધિ ચાલુ છે. 



આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?