ભારતે પાકિસ્તાની વિમાનો માટે બંધ કર્યું પોતાનું એર સ્પેસ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-01 12:42:58

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ  શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે. 

Pakistan's PIA to resume flights to Europe on Jan. 10 after 4-1/2 year ban  | Reuters

ભારત સરકારે જાહેરાત કરી છે કે  ૨૩ મેં સુધી પાકિસ્તાનની તમામ ફલાઇટો માટે ભારતીય એર સ્પેસ બંધ રહેશે . પહલગામના આતંકી હુમલા બાદ ભારતની પાકિસ્તાનના અર્થતંત્ર ખુબ મોટી સર્જીકલ સ્ટ્રીક છે. ભારત તરફથી આ માટે NOTAM એટલેકે ધ નોટિસ ટુ એરમેનએ આ માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે થી પાકિસ્તાનમાં રજીસ્ટરડ કોઈ પણ વિમાન સાથે જ પાકિસ્તાન એરલાઈન્સ દ્વારા ઓપરેટેડ , માલિકી અને લીઝ ધરાવનાર વિમાન સાથે જ કોઈ પણ મિલિટરી વિમાન ભારતની એરસ્પેસમાં પ્રવેશ નઈ કરી શકે . આ પ્રતિબંધ ૨૩ મેં સુધી લાગુ રહેશે.  આપને જણાવી દયિકે દર અઠવાડીએ પાકિસ્તાનની ૮૦૦ ફ્લાઈટ્સ ભારતના એરસ્પેસમાંથી પસાર થાય છે.  આનાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પાડવાની સંભાવના છે. પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સની ખુબ મોટી સંખ્યામાં ફલાઈટ્સ દર અઠવાડીએ મલેશિયા , કુઆલા લંપુર જાય છે . ભારતની લશ્કરી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં જોરદાર ગભરાટનો માહોલ છે. 

Pahalgam terror attack: PM Modi chairs 'super cabinet' meet after CCS  huddle. Overall security situation reviewed | Today News

વાત કરીએ ભારતની તો આપણા ત્યાં પહલગામ હુમલાને લઇને સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે જેની પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ જાહેરહિતની અરજીમાં એક ન્યાયિક આયોગના ગઠનની માંગ કરવામાં આવી છે. જ્યારથી પહલગામના આતંકી હુમલાની તપાસની જવાબદારી NIA એટલેકે નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમને મળી છે ત્યારથી જમ્મુકાશ્મીરમાં જોરદાર તપાસનો ધમધમાટ ચાલુ છે. NIA એ પહલગામની બાઇસારન ઘાટીમાં ૩D મેપિંગ પણ કર્યું છે. સાથેજ જોરદાર સર્ચ ઓપરેશન ચાલુ છે. આ આતંકી હુમલાને લઇને ૧૦૦ જણની પૂછપરછ ચાલુ છે. આ ઉપરાંત ફોરેનસિક ટીમે મહત્વના સબૂત એકઠા કરવાનું શરુ કરી દીધું છે.  ભારતીય સેનાની કાર્યવાહી પણ ચાલુ છે હવે આતંકી ફારૂક ડેડવાનું ઘર ઉડાડી નાખવામાં આવ્યું છે. અત્યારસુધીમાં ૧૦ આતંકીઓના ઘરને ભારતીય સેના દ્વારા નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે . આમ ભારતની આતંકવાદની વિરુદ્ધમાં જોરદાર ગતિવિધિ ચાલુ છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.