આવી ગયું છે ભારતનું પહેલું UPI ATM મશીન, પૈસા કાઢવા માટે નહીં પડે ડેબિટ કાર્ડની જરૂર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-07 15:45:14

સમયની સાથે સાથે ટેક્નોલોજી પણ અપડેટ થઈ રહી છે. એક સમય હતો જ્યારે લોકો કેશ રાખતા હતા પરંતુ હવે ડિઝીટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકો વળી રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટ હવે લોકોની પહેલી પસંદ બન્યું છે. અનેક લોકો ડિઝિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ અનેક લોકો હજી પણ એવા છે જે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ નથી કરતા. ત્યારે લોકોને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની મદદથી યુપીઆઈ એટીએમની શરૂઆત થઈ છે. આમાં ડેબિટ કાર્ડની જરૂર નથી માત્ર યૂપીઆઈની મદદથી આસાનીથી પૈસા નીકાળી શકાય છે.  

આ કંપનીની મદદથી બનાવાયું છે આ એટીએમ 

દેશમાં યુપીઆઈ એટલે યૂનિફાઈડ પેમેંટ્સ ઈંટરફેસનો ઉપયોગ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો ડિઝિટલ પેમેન્ટોનો ઉપયોહગ કરી કેશલેશ બની ગયા છે. ત્યારે જાપાનની Hitachi કંપનીએ નેશનલ પેમેંટ્સ  કોરપોરેશન ઓફ ઈન્ડિયાની સાથે મળીને પહેલું યૂપીઆઈ-એટીએમ લોન્ચ કર્યું છે. આમાં યુપીઆઈની મદદથી ગ્રાહક એટીએમમાંથી કેશ નીકાળી શકશે. ડિઝીટલાઈઝેશનમાં વધુ એક કદમ આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. 


પિયુષ ગોયલે વીડિયો કર્યો શેર 

મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં આ એટીએમનો ઉપયોગ પાંચ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. પિયુષ ગોયલે આનો વીડિયો શેર કર્યો છે. મહત્વનું છે કે એટીએમમાંથી કેશ ઉપાડવા માટે આપણને ડેબિટ કાર્ડની જરૂર પડે છે. જો ડેબિટ કાર્ડ ન હોય તો આપણે પૈસા નથી કાઢી શક્તા. ત્યારે હવે યૂપીઆઈની મદદથી આપણે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી કેશ નીકાળી શકીશું.


પૈસા નીકાળવાની આ રહી પ્રોસેસ... 

કેટલા પૈસા જોઈએ છે તેવી માહિતી કેવી રીતે એડ કરવાની તેવો પ્રશ્ન તમારા મનમાં ઉઠ્યો હશે. તો આ રહી આખી પ્રોસેસ જેને લઈ યુપીઆઈની મદદથી આપણે પૈસા કાઢી શકીશું. પહેલા એટીએમમાં કેટલા પૈસા ઉપાડવાના છે તે રકમ એન્ટર કરવાની. તે બાદ તમારી સમક્ષ QR-Code આવશે. કોડ દેખાયા બાદ તેને સ્કેન કરવાનું. તે બાદ યુપીઆઈ પીન એન્ટર કરવાની અને આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી એટીએમ મશીનમાંથી કેશ કલેટ્ક કરી લેવાનું.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .