આવી ગયું છે ભારતનું પહેલું UPI ATM મશીન, પૈસા કાઢવા માટે નહીં પડે ડેબિટ કાર્ડની જરૂર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-07 15:45:14

સમયની સાથે સાથે ટેક્નોલોજી પણ અપડેટ થઈ રહી છે. એક સમય હતો જ્યારે લોકો કેશ રાખતા હતા પરંતુ હવે ડિઝીટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકો વળી રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટ હવે લોકોની પહેલી પસંદ બન્યું છે. અનેક લોકો ડિઝિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ અનેક લોકો હજી પણ એવા છે જે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ નથી કરતા. ત્યારે લોકોને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની મદદથી યુપીઆઈ એટીએમની શરૂઆત થઈ છે. આમાં ડેબિટ કાર્ડની જરૂર નથી માત્ર યૂપીઆઈની મદદથી આસાનીથી પૈસા નીકાળી શકાય છે.  

આ કંપનીની મદદથી બનાવાયું છે આ એટીએમ 

દેશમાં યુપીઆઈ એટલે યૂનિફાઈડ પેમેંટ્સ ઈંટરફેસનો ઉપયોગ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો ડિઝિટલ પેમેન્ટોનો ઉપયોહગ કરી કેશલેશ બની ગયા છે. ત્યારે જાપાનની Hitachi કંપનીએ નેશનલ પેમેંટ્સ  કોરપોરેશન ઓફ ઈન્ડિયાની સાથે મળીને પહેલું યૂપીઆઈ-એટીએમ લોન્ચ કર્યું છે. આમાં યુપીઆઈની મદદથી ગ્રાહક એટીએમમાંથી કેશ નીકાળી શકશે. ડિઝીટલાઈઝેશનમાં વધુ એક કદમ આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. 


પિયુષ ગોયલે વીડિયો કર્યો શેર 

મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં આ એટીએમનો ઉપયોગ પાંચ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. પિયુષ ગોયલે આનો વીડિયો શેર કર્યો છે. મહત્વનું છે કે એટીએમમાંથી કેશ ઉપાડવા માટે આપણને ડેબિટ કાર્ડની જરૂર પડે છે. જો ડેબિટ કાર્ડ ન હોય તો આપણે પૈસા નથી કાઢી શક્તા. ત્યારે હવે યૂપીઆઈની મદદથી આપણે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી કેશ નીકાળી શકીશું.


પૈસા નીકાળવાની આ રહી પ્રોસેસ... 

કેટલા પૈસા જોઈએ છે તેવી માહિતી કેવી રીતે એડ કરવાની તેવો પ્રશ્ન તમારા મનમાં ઉઠ્યો હશે. તો આ રહી આખી પ્રોસેસ જેને લઈ યુપીઆઈની મદદથી આપણે પૈસા કાઢી શકીશું. પહેલા એટીએમમાં કેટલા પૈસા ઉપાડવાના છે તે રકમ એન્ટર કરવાની. તે બાદ તમારી સમક્ષ QR-Code આવશે. કોડ દેખાયા બાદ તેને સ્કેન કરવાનું. તે બાદ યુપીઆઈ પીન એન્ટર કરવાની અને આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી એટીએમ મશીનમાંથી કેશ કલેટ્ક કરી લેવાનું.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.