Global Hunger Indexમાં ભારતનું સ્થાન પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાથી પણ પાછળ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:46:26

GHIમાં 9.9થી ઓછો સ્કોર ધરાવતા દેશો લૉ રિસ્ક કેટેગરીમાં આવે છે
ચીનનો સ્કોર 5થી ઓછો, જે એશિયન દેશોમાં સૌથી સારો છે
બુરુન્ડુ, સોમાલિયા, સાઉથ સુદાન અને સિરિયાની સ્થિતિ અતિગંભીર ગણાવાઈ

India has ranked 107 on the Global Hunger Index (GHI), 2022, out of 121  countries, lagging behind most south Asian countries.

121 દેશોમાંથી ભારત છેક 107મા ક્રમે, 2021ની સરખામણીએ ચાલુ વર્ષે દેશમાં સ્થિતિ વધુ વણસી, દેશમાં 22.4 કરોડ લોકો કુપોષિત. GHIમાં સામેલ એશિયાના 16 દેશોમાં ચીન સૌથી આગળ. આફ્રિકાના બુરુન્ડુ, સોમાલિયા, સાઉથ સુદાન અને ગલ્ફ દેશ સિરિયાની સ્થિતિ અતિગંભીર ગણાવાઈ. ઉંચાઈ અનુસાર વજન અને બાળમૃત્યુદરમાં ઘટાડા બાબતે ભારતનું પર્ફોમન્સ પ્રમાણમાં સુધરી રહ્યું છે.

India ranks 107 on Global Hunger Index 2022, records highest child wasting  rate

ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં સામેલ 121 દેશોમાં ભારતનો ક્રમ છેક 107 આવ્યો છે. 29.1 સ્કોર સાથે ભારતમાં સ્થિતિ ગંભીર હોવાની ટકોર આ રિપોર્ટમાં કરાઈ છે. 2021માં ભારતનું સ્થાન 116 દેશોમાંથી 101મા ક્રમે હતું, જે ચાલુ વર્ષે સરકીને 107 પર પહોંચ્યું છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI)દુનિયાભરના દેશો તેમજ પ્રાંતોમાં લોકોને કેટલા પ્રમાણમાં પૂરતો આહાર પ્રાપ્ત થાય છે તેના પર અભ્યાસ કરે છે. GHIમાં કુપોષણ, ઉંચાઈ અનુસાર વજન, ઉંમર અનુસાર ઉંચાઈ અને પાંચ વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર એમ કુલ ચાર માપદંડોનો સમાવેશ કરવામાં આવે છે. ઉંમર અનુસાર ઉંચાઈ અને બાળ મૃત્યુદરમાં 2014થી GHIમાં ભારતનું પર્ફોમન્સ સતત સુધરી રહ્યું છે. જોકે, ઉંચાઈ અનુસાર વજન અને કુપોષણની બાબતમાં દેશની સ્થિતિ ખાસ નથી બદલાઈ.

Rural poor staring at starvation, elderly most vulnerable: NGO

ભારતનો સ્કોર 29.1 છે, જે તેને ગંભીર કેટેગરીમાં મૂકેછે. 9.9 કે તેનાથી ઓછો સ્કોર 'લો રિસ્ક'માં આવે છે, જ્યારે 35-49.9નો સ્કોર ચેતવણીરુપ અને તેનાથી વધુ સ્કોર અતિભયજનક સ્થિતિનો સંકેત આપે છે. 2022ના રેન્કિંગ પર નજર કરવામાં આવે તો ભારતના બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર, પાકિસ્તાન જેવા દેશો આ બાબતે ભારતથી સારી સ્થિતિમાં છે, જ્યારે 5થી ઓછા સ્કોર સાથે ચીન આ યાદીમાં સામેલ એશિયાના 16 દેશોમાં સૌથી ટોચ પર છે. જ્યારે બુરુન્ડુ, સોમાલિયા, સાઉથ સુદાન અને સિરિયાની સ્થિતિ અતિગંભીર ગણાવાઈ છે.

India slips to 107th position in Global Hunger Index in 2022 | India  News,The Indian Express

પૂર્વ કેન્દ્રિય નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે GHIમાં ભારતના સ્થાનને ગંભીર બાબત ગણાવતા પીએમ મોદી પર નિશાન તાક્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી ક્યારે કુપોષણ, ભૂખમરા તેમજ બાળમૃત્યુદર જેવા મુદ્દા પર વાત કરશે? દેશમાં 22.4 કરોડ લોકો કુપોષિત છે, દેશ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 121 દેશોમાંથી 107મા ક્રમે આવી અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે.સૌ પ્રથમ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2006માં રિલીઝ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ વૈશ્વિક, પ્રાંતિય અને રાષ્ટ્રીય સ્તરે લોકોને પોષણયુક્ત ભોજન કેટલા અંશે મળી રહે છે તેની સ્થિતિનું આકલન કરવા માટે થાય છે.

Image




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.