India Vs England Match : કાળી પટ્ટી પહેરીને ક્રિકેટના મેદાનમાં ઉતરી Indian Team, જાણો આની પાછળ શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-10-29 17:24:22

વર્લ્ડ કપ 2023ની મેચો રમાઈ રહી છે. આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે મુકાબલો થવાનો છે. બંને ટીમો વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ  છે. આ ટુર્નામેન્ટમાં ભારતની ટીમે પાંચ મેચ રમી લીધી છે અને ભારતની ટીમને દરેક મેચમાં જીત હાંસલ કરી છે. હમણાં તો બંને ટીમો વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે પરંતુ મેચ શરૂ થાય તે પહેલા ઈન્ડિયા ટીમના ખેલાડીઓ ગ્રાઉન્ડ પર કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા હતા. રાષ્ટ્રગાન વખતે પણ ખેલાડીઓ કાળી પટ્ટી પહેરેલા દેખાયા હતા.  

બીસીસીઆઈએ કર્યું ટ્વિટ 

ભારતીય ક્રિકેટરોએ કાળી પટ્ટી ઈન્ડિયન ટીમના પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીની યાદમાં બાંધી હતી. તેમની યાદમાં ખેલાડીઓએ બ્લૈક આર્મ બેન્ડ બાંધ્યો છે. આ અંગેની માહિતી બીસીસીઆઈ દ્વારા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની ટ્વિટ કરવામાં આવી છે. ટ્વિટમાં લખ્યું કે આઈસીસી મેન્સ ક્રિકેટ વિશ્વ કપ 2023માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મેચ શરૂ થવાની પહેલા ટીમ ઈન્ડિયા મહાન બિશન સિંહ બેદીની યાદમાં કાળી પટ્ટી પહેરશે. 

ind vs eng, world cup, bishan sigh bedi

Bishan Singh Bedi Death,ભૂતપૂર્વ કેપ્ટન અને લિજેન્ડરી સ્પિનર બિશન સિંહ  બેદીનું નિધન, 77 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ - former indian cricket  captain and legendary spinner bishan ...

77 વર્ષની ઉંમરે થયું ક્રિકેટરનું નિધન 

પૂર્વ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીનું નિધન 23 ઓક્ટોબરના રોજ થયું હતું. 77 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1946માં અમૃતસરમાં થયો હતો. રિપોર્ટ્સ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનથી ખેલ જગતમાં શોક વ્યાપી ગયો છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના કેપ્ટન રહ્યા હતા અને તેમનું નામ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ છે. ત્યારે આજે ટીમ ઈન્ડિયાએ પણ તેમને યાદ કર્યા છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે