India Vs England Match : કાળી પટ્ટી પહેરીને ક્રિકેટના મેદાનમાં ઉતરી Indian Team, જાણો આની પાછળ શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-10-29 17:24:22

વર્લ્ડ કપ 2023ની મેચો રમાઈ રહી છે. આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે મુકાબલો થવાનો છે. બંને ટીમો વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ  છે. આ ટુર્નામેન્ટમાં ભારતની ટીમે પાંચ મેચ રમી લીધી છે અને ભારતની ટીમને દરેક મેચમાં જીત હાંસલ કરી છે. હમણાં તો બંને ટીમો વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે પરંતુ મેચ શરૂ થાય તે પહેલા ઈન્ડિયા ટીમના ખેલાડીઓ ગ્રાઉન્ડ પર કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા હતા. રાષ્ટ્રગાન વખતે પણ ખેલાડીઓ કાળી પટ્ટી પહેરેલા દેખાયા હતા.  

બીસીસીઆઈએ કર્યું ટ્વિટ 

ભારતીય ક્રિકેટરોએ કાળી પટ્ટી ઈન્ડિયન ટીમના પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીની યાદમાં બાંધી હતી. તેમની યાદમાં ખેલાડીઓએ બ્લૈક આર્મ બેન્ડ બાંધ્યો છે. આ અંગેની માહિતી બીસીસીઆઈ દ્વારા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની ટ્વિટ કરવામાં આવી છે. ટ્વિટમાં લખ્યું કે આઈસીસી મેન્સ ક્રિકેટ વિશ્વ કપ 2023માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મેચ શરૂ થવાની પહેલા ટીમ ઈન્ડિયા મહાન બિશન સિંહ બેદીની યાદમાં કાળી પટ્ટી પહેરશે. 

ind vs eng, world cup, bishan sigh bedi

Bishan Singh Bedi Death,ભૂતપૂર્વ કેપ્ટન અને લિજેન્ડરી સ્પિનર બિશન સિંહ  બેદીનું નિધન, 77 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ - former indian cricket  captain and legendary spinner bishan ...

77 વર્ષની ઉંમરે થયું ક્રિકેટરનું નિધન 

પૂર્વ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીનું નિધન 23 ઓક્ટોબરના રોજ થયું હતું. 77 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1946માં અમૃતસરમાં થયો હતો. રિપોર્ટ્સ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનથી ખેલ જગતમાં શોક વ્યાપી ગયો છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના કેપ્ટન રહ્યા હતા અને તેમનું નામ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ છે. ત્યારે આજે ટીમ ઈન્ડિયાએ પણ તેમને યાદ કર્યા છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .