India Vs England Match : કાળી પટ્ટી પહેરીને ક્રિકેટના મેદાનમાં ઉતરી Indian Team, જાણો આની પાછળ શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-10-29 17:24:22

વર્લ્ડ કપ 2023ની મેચો રમાઈ રહી છે. આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે મુકાબલો થવાનો છે. બંને ટીમો વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ  છે. આ ટુર્નામેન્ટમાં ભારતની ટીમે પાંચ મેચ રમી લીધી છે અને ભારતની ટીમને દરેક મેચમાં જીત હાંસલ કરી છે. હમણાં તો બંને ટીમો વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે પરંતુ મેચ શરૂ થાય તે પહેલા ઈન્ડિયા ટીમના ખેલાડીઓ ગ્રાઉન્ડ પર કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા હતા. રાષ્ટ્રગાન વખતે પણ ખેલાડીઓ કાળી પટ્ટી પહેરેલા દેખાયા હતા.  

બીસીસીઆઈએ કર્યું ટ્વિટ 

ભારતીય ક્રિકેટરોએ કાળી પટ્ટી ઈન્ડિયન ટીમના પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીની યાદમાં બાંધી હતી. તેમની યાદમાં ખેલાડીઓએ બ્લૈક આર્મ બેન્ડ બાંધ્યો છે. આ અંગેની માહિતી બીસીસીઆઈ દ્વારા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની ટ્વિટ કરવામાં આવી છે. ટ્વિટમાં લખ્યું કે આઈસીસી મેન્સ ક્રિકેટ વિશ્વ કપ 2023માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મેચ શરૂ થવાની પહેલા ટીમ ઈન્ડિયા મહાન બિશન સિંહ બેદીની યાદમાં કાળી પટ્ટી પહેરશે. 

ind vs eng, world cup, bishan sigh bedi

Bishan Singh Bedi Death,ભૂતપૂર્વ કેપ્ટન અને લિજેન્ડરી સ્પિનર બિશન સિંહ  બેદીનું નિધન, 77 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ - former indian cricket  captain and legendary spinner bishan ...

77 વર્ષની ઉંમરે થયું ક્રિકેટરનું નિધન 

પૂર્વ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીનું નિધન 23 ઓક્ટોબરના રોજ થયું હતું. 77 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1946માં અમૃતસરમાં થયો હતો. રિપોર્ટ્સ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનથી ખેલ જગતમાં શોક વ્યાપી ગયો છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના કેપ્ટન રહ્યા હતા અને તેમનું નામ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ છે. ત્યારે આજે ટીમ ઈન્ડિયાએ પણ તેમને યાદ કર્યા છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.