વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ


  • Published By :
  • Published Date : 2024-01-10 20:12:36

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બુધવારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં ભારત 5 ટ્રિલિયન ડોલરથી વધુના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ સાથે જ સીતારમણે કહ્યું કે સરકારના અનુમાન મુજબ પણ વર્ષ 2047 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 30 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધતા સીતારમણે કહ્યું હતું કે, શક્ય છે કે આપણે 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જઈશું. આપણે વર્ષ 2027-28 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું અને તે સમય સુધીમાં દેશની જીડીપી પાંચ ટ્રિલિયન ડોલરને વટાવી જશે. એક અનુમાન છે કે વર્ષ 2047 સુધીમાં આપણી અર્થવ્યવસ્થા ઓછામાં ઓછા  3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે."  


ભારત 5મું સૌથી મોટું અર્થતંત્ર 


ભારત લગભગ 3.4 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. હાલમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મની જ તેનાથી આગળ છે. ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 7.3 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે, જ્યારે ગયા નાણાકીય વર્ષમાં તેનો વિકાસ દર 7.2 ટકા હતો. અંગે સીતારમણે કહ્યું કે વર્ષ 2023 સુધીના 23 વર્ષોમાં ભારતને  919 બિલિયન ડોલરનું ડાયરેક્ટ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ (FDI)આવ્યું છે. તેમાંથી 65 ટકા એટલે કે 595 અબજ ડોલરનું FDI નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા આઠ-નવ વર્ષના કાર્યકાળ દરમિયાન આવ્યું છે. નાણાકીય સમાવેશનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બેંક ખાતા ધરાવતા લોકોની સંખ્યા વધીને 50 કરોડ થઈ ગઈ છે જ્યારે 2014માં માત્ર 15 કરોડ લોકો પાસે બેંક ખાતા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.