મધ્યપ્રદેશ: ભારતીય એરફોર્સના હેલિકોપ્ટરનું ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ, 6 જવાનોનો આબાદ બચાવ


  • Published By :
  • Published Date : 2023-10-01 12:10:03

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું ભોપાલથી લગભગ 60 કિલોમીટર દૂર એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, આ હેલિકોપ્ટરમાં છ જવાનો હતા. ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર બેરસિયાના ડુંગરિયા ગામમાં બનેલા ડેમ પાસે લેન્ડ થયું છે. ગ્રામજનોનું કહેવું છે કે હેલિકોપ્ટર લાંબા સમય સુધી ડેમની આસપાસ ચક્કર લગાવી રહ્યું હતું, ત્યારબાદ તે ફરીથી ખેતરમાં ઉતર્યું હતું. હાલ હેલિકોપ્ટરમાં સવાર સૈનિકો સેનાના એન્જિનિયરો અને ટેકનિશિયનોની રાહ જોઈ રહ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર ખેતરમાં ઉતર્યું છે. નજીકમાં એરફોર્સના જવાનો દેખાય છે. આ ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી સેંકડો લોકો હેલિકોપ્ટરને જોવા માટે ઉમટી પડ્યા છે.


એરફોર્સના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના ALH ધ્રુવ હેલિકોપ્ટરે ભોપાલ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને તકનીકી ખામીની તપાસ માટે એક ટીમને બોલાવવામાં આવી છે.


ઘટના અંગે IAFએ શું કહ્યું?


આ ઘટના અંગે વાયુસેનાએ જણાવ્યું કે, ભોપાલથી ચકેરી સુધીના રૂટિન ટ્રેનિંગ મિશન દરમિયાન ALH MK III હેલિકોપ્ટરે સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. આ લેન્ડિંગ ભોપાલ એરપોર્ટથી 50 કિલોમીટર દૂર ડુંગરિયા ડેમ પાસે થયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. "ટેકનિકલ મદદનીશો હેલિકોપ્ટરની તપાસ કરવા માટે પહોંચી રહ્યા છે."


અગાઉ ભિંડમાં થયું હતું અપાચેનું લેન્ડિંગ


ઉલ્લેનિય છે કે અગાઉ પણ એરફોર્સના અપાચે હેલિકોપ્ટરને મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ લેન્ડિંગ બિહારમાં નયાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના જખમૌલી ગામમાં સિંધ નદીમાં કરવામાં આવ્યું હતું. એરફોર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટરને રૂટિન ઓપરેશનલ ટ્રેનિંગ દરમિયાન ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અપાચે પાયલોટ અને હેલિકોપ્ટર બંને સુરક્ષિત છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.