મધ્યપ્રદેશ: ભારતીય એરફોર્સના હેલિકોપ્ટરનું ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ, 6 જવાનોનો આબાદ બચાવ


  • Published By :
  • Published Date : 2023-10-01 12:10:03

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું ભોપાલથી લગભગ 60 કિલોમીટર દૂર એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, આ હેલિકોપ્ટરમાં છ જવાનો હતા. ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર બેરસિયાના ડુંગરિયા ગામમાં બનેલા ડેમ પાસે લેન્ડ થયું છે. ગ્રામજનોનું કહેવું છે કે હેલિકોપ્ટર લાંબા સમય સુધી ડેમની આસપાસ ચક્કર લગાવી રહ્યું હતું, ત્યારબાદ તે ફરીથી ખેતરમાં ઉતર્યું હતું. હાલ હેલિકોપ્ટરમાં સવાર સૈનિકો સેનાના એન્જિનિયરો અને ટેકનિશિયનોની રાહ જોઈ રહ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર ખેતરમાં ઉતર્યું છે. નજીકમાં એરફોર્સના જવાનો દેખાય છે. આ ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી સેંકડો લોકો હેલિકોપ્ટરને જોવા માટે ઉમટી પડ્યા છે.


એરફોર્સના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના ALH ધ્રુવ હેલિકોપ્ટરે ભોપાલ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને તકનીકી ખામીની તપાસ માટે એક ટીમને બોલાવવામાં આવી છે.


ઘટના અંગે IAFએ શું કહ્યું?


આ ઘટના અંગે વાયુસેનાએ જણાવ્યું કે, ભોપાલથી ચકેરી સુધીના રૂટિન ટ્રેનિંગ મિશન દરમિયાન ALH MK III હેલિકોપ્ટરે સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. આ લેન્ડિંગ ભોપાલ એરપોર્ટથી 50 કિલોમીટર દૂર ડુંગરિયા ડેમ પાસે થયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. "ટેકનિકલ મદદનીશો હેલિકોપ્ટરની તપાસ કરવા માટે પહોંચી રહ્યા છે."


અગાઉ ભિંડમાં થયું હતું અપાચેનું લેન્ડિંગ


ઉલ્લેનિય છે કે અગાઉ પણ એરફોર્સના અપાચે હેલિકોપ્ટરને મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ લેન્ડિંગ બિહારમાં નયાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના જખમૌલી ગામમાં સિંધ નદીમાં કરવામાં આવ્યું હતું. એરફોર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટરને રૂટિન ઓપરેશનલ ટ્રેનિંગ દરમિયાન ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અપાચે પાયલોટ અને હેલિકોપ્ટર બંને સુરક્ષિત છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.