ભારતીય સેનામાં વર્ષ 2027 સુધી 1 લાખ જવાનો ઘટાડવામાં આવશે, આર્મી ચીફે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-01-12 15:58:25

ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનોની સંખ્યા ઘટાડવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સરકાર તથા સેનાએ આ દિશામાં ચાર વર્ષ પહેલાથી જ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તે સમયે સંરક્ષણ બાબતોની સ્ટેન્ડિંગ કમિટીને પણ તત્કાલિન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ( સીડીએસ)એ તેની જાણકારી આપી હતી. ઈન્ડિયન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું  કે સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને તે વર્ષ 2027 સુધીમાં પુરી કરી લેવામાં આવશે. એટલે કે ત્યા સુધીમાં સેનાના 1 લાખ જવાનો ઓછા કરવામાં આવશે. 


2027 સુધી ઓપ્ટિમાઈઝેન પ્રક્રિયા પુરી થશે


જનરલ પાંડેએ જણાવ્યું કે ઓપ્ટિમાઈઝેન પ્રક્રિયા હેઠળ સેનાના અનેક યુનિટને ઘટાડવામાં આવશે. જેમ કે અમે એનિમલ ટ્રાન્સપોર્ટ યુનિટને ઘટાડવાનું અગાઉથી જ શરૂ કરી દીધું છે. કેમ કે હવે એનિમલ ટ્રાન્સપોર્ટની જગ્યાએ લોજીસ્ટિક ડ્રોન, ઓલ ટેરેન વ્હીકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે જ પ્રકારે વર્ષોથી  ચાલતી ફૂડ ઈન્સ્પેક્શન યુનિટ લેબ ઘટાડી દેવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં તેને બંધ કરી દેવામા આવશે. અમે ઓપ્ટિમાઈઝેનનો પ્લાન બનાવ્યો હતો અને તેને ફેઝવાઈઝ શરૂ કરવામાં આવશે. વર્ષ 2027 સુધી આ પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે, એટલે કે ત્યાં સુધી લગભગ એક લાખ સૈનિકો ઓછા કરવામાં આવશે. 


શા માટે ઓપ્ટિમાઈઝેન શરૂ કરાયું?


સંસદની સંરક્ષણ બાબતોની સ્ટેન્ડિંગ કમિટીએ જણાવ્યું હતું કે જ્યારે વીપી મલિક આર્મી ચીફ હતા ત્યારે તેમણે 50 હજાર જવાની ઘટાડવા અંગે વિચાર્યું હતું. જો કે હવે તે લક્ષ્ય લગભગ એક લાખ સૈનિકો ઘટાડવાનું છે. કમિટીને જણાવવામાં આવ્યું હતું કે જવાનોની સંખ્યા ઘટાડવામાં આવ્યા બાદ જે પૈસા બચશે તેને ઉપયોગ  સેનાને ટેકનોલોજીમાં શસક્ત બનાવવા પાછળ ખર્ચવામાં આવશે. સરકારે પણ સેનાને આ રકમનો ઉપયોગ  ટેકનોલોજી પાછળ કરવાનું આશ્વાસન આપ્યું છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.