ભારતીય સેનામાં વર્ષ 2027 સુધી 1 લાખ જવાનો ઘટાડવામાં આવશે, આર્મી ચીફે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-01-12 15:58:25

ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનોની સંખ્યા ઘટાડવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સરકાર તથા સેનાએ આ દિશામાં ચાર વર્ષ પહેલાથી જ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તે સમયે સંરક્ષણ બાબતોની સ્ટેન્ડિંગ કમિટીને પણ તત્કાલિન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ( સીડીએસ)એ તેની જાણકારી આપી હતી. ઈન્ડિયન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું  કે સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને તે વર્ષ 2027 સુધીમાં પુરી કરી લેવામાં આવશે. એટલે કે ત્યા સુધીમાં સેનાના 1 લાખ જવાનો ઓછા કરવામાં આવશે. 


2027 સુધી ઓપ્ટિમાઈઝેન પ્રક્રિયા પુરી થશે


જનરલ પાંડેએ જણાવ્યું કે ઓપ્ટિમાઈઝેન પ્રક્રિયા હેઠળ સેનાના અનેક યુનિટને ઘટાડવામાં આવશે. જેમ કે અમે એનિમલ ટ્રાન્સપોર્ટ યુનિટને ઘટાડવાનું અગાઉથી જ શરૂ કરી દીધું છે. કેમ કે હવે એનિમલ ટ્રાન્સપોર્ટની જગ્યાએ લોજીસ્ટિક ડ્રોન, ઓલ ટેરેન વ્હીકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે જ પ્રકારે વર્ષોથી  ચાલતી ફૂડ ઈન્સ્પેક્શન યુનિટ લેબ ઘટાડી દેવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં તેને બંધ કરી દેવામા આવશે. અમે ઓપ્ટિમાઈઝેનનો પ્લાન બનાવ્યો હતો અને તેને ફેઝવાઈઝ શરૂ કરવામાં આવશે. વર્ષ 2027 સુધી આ પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે, એટલે કે ત્યાં સુધી લગભગ એક લાખ સૈનિકો ઓછા કરવામાં આવશે. 


શા માટે ઓપ્ટિમાઈઝેન શરૂ કરાયું?


સંસદની સંરક્ષણ બાબતોની સ્ટેન્ડિંગ કમિટીએ જણાવ્યું હતું કે જ્યારે વીપી મલિક આર્મી ચીફ હતા ત્યારે તેમણે 50 હજાર જવાની ઘટાડવા અંગે વિચાર્યું હતું. જો કે હવે તે લક્ષ્ય લગભગ એક લાખ સૈનિકો ઘટાડવાનું છે. કમિટીને જણાવવામાં આવ્યું હતું કે જવાનોની સંખ્યા ઘટાડવામાં આવ્યા બાદ જે પૈસા બચશે તેને ઉપયોગ  સેનાને ટેકનોલોજીમાં શસક્ત બનાવવા પાછળ ખર્ચવામાં આવશે. સરકારે પણ સેનાને આ રકમનો ઉપયોગ  ટેકનોલોજી પાછળ કરવાનું આશ્વાસન આપ્યું છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે