ભારતીય સેનામાં વર્ષ 2027 સુધી 1 લાખ જવાનો ઘટાડવામાં આવશે, આર્મી ચીફે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-01-12 15:58:25

ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનોની સંખ્યા ઘટાડવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સરકાર તથા સેનાએ આ દિશામાં ચાર વર્ષ પહેલાથી જ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તે સમયે સંરક્ષણ બાબતોની સ્ટેન્ડિંગ કમિટીને પણ તત્કાલિન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ( સીડીએસ)એ તેની જાણકારી આપી હતી. ઈન્ડિયન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું  કે સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને તે વર્ષ 2027 સુધીમાં પુરી કરી લેવામાં આવશે. એટલે કે ત્યા સુધીમાં સેનાના 1 લાખ જવાનો ઓછા કરવામાં આવશે. 


2027 સુધી ઓપ્ટિમાઈઝેન પ્રક્રિયા પુરી થશે


જનરલ પાંડેએ જણાવ્યું કે ઓપ્ટિમાઈઝેન પ્રક્રિયા હેઠળ સેનાના અનેક યુનિટને ઘટાડવામાં આવશે. જેમ કે અમે એનિમલ ટ્રાન્સપોર્ટ યુનિટને ઘટાડવાનું અગાઉથી જ શરૂ કરી દીધું છે. કેમ કે હવે એનિમલ ટ્રાન્સપોર્ટની જગ્યાએ લોજીસ્ટિક ડ્રોન, ઓલ ટેરેન વ્હીકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે જ પ્રકારે વર્ષોથી  ચાલતી ફૂડ ઈન્સ્પેક્શન યુનિટ લેબ ઘટાડી દેવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં તેને બંધ કરી દેવામા આવશે. અમે ઓપ્ટિમાઈઝેનનો પ્લાન બનાવ્યો હતો અને તેને ફેઝવાઈઝ શરૂ કરવામાં આવશે. વર્ષ 2027 સુધી આ પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે, એટલે કે ત્યાં સુધી લગભગ એક લાખ સૈનિકો ઓછા કરવામાં આવશે. 


શા માટે ઓપ્ટિમાઈઝેન શરૂ કરાયું?


સંસદની સંરક્ષણ બાબતોની સ્ટેન્ડિંગ કમિટીએ જણાવ્યું હતું કે જ્યારે વીપી મલિક આર્મી ચીફ હતા ત્યારે તેમણે 50 હજાર જવાની ઘટાડવા અંગે વિચાર્યું હતું. જો કે હવે તે લક્ષ્ય લગભગ એક લાખ સૈનિકો ઘટાડવાનું છે. કમિટીને જણાવવામાં આવ્યું હતું કે જવાનોની સંખ્યા ઘટાડવામાં આવ્યા બાદ જે પૈસા બચશે તેને ઉપયોગ  સેનાને ટેકનોલોજીમાં શસક્ત બનાવવા પાછળ ખર્ચવામાં આવશે. સરકારે પણ સેનાને આ રકમનો ઉપયોગ  ટેકનોલોજી પાછળ કરવાનું આશ્વાસન આપ્યું છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.