ભારતીય સેનામાં વર્ષ 2027 સુધી 1 લાખ જવાનો ઘટાડવામાં આવશે, આર્મી ચીફે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-01-12 15:58:25

ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનોની સંખ્યા ઘટાડવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સરકાર તથા સેનાએ આ દિશામાં ચાર વર્ષ પહેલાથી જ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તે સમયે સંરક્ષણ બાબતોની સ્ટેન્ડિંગ કમિટીને પણ તત્કાલિન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ( સીડીએસ)એ તેની જાણકારી આપી હતી. ઈન્ડિયન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું  કે સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને તે વર્ષ 2027 સુધીમાં પુરી કરી લેવામાં આવશે. એટલે કે ત્યા સુધીમાં સેનાના 1 લાખ જવાનો ઓછા કરવામાં આવશે. 


2027 સુધી ઓપ્ટિમાઈઝેન પ્રક્રિયા પુરી થશે


જનરલ પાંડેએ જણાવ્યું કે ઓપ્ટિમાઈઝેન પ્રક્રિયા હેઠળ સેનાના અનેક યુનિટને ઘટાડવામાં આવશે. જેમ કે અમે એનિમલ ટ્રાન્સપોર્ટ યુનિટને ઘટાડવાનું અગાઉથી જ શરૂ કરી દીધું છે. કેમ કે હવે એનિમલ ટ્રાન્સપોર્ટની જગ્યાએ લોજીસ્ટિક ડ્રોન, ઓલ ટેરેન વ્હીકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે જ પ્રકારે વર્ષોથી  ચાલતી ફૂડ ઈન્સ્પેક્શન યુનિટ લેબ ઘટાડી દેવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં તેને બંધ કરી દેવામા આવશે. અમે ઓપ્ટિમાઈઝેનનો પ્લાન બનાવ્યો હતો અને તેને ફેઝવાઈઝ શરૂ કરવામાં આવશે. વર્ષ 2027 સુધી આ પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે, એટલે કે ત્યાં સુધી લગભગ એક લાખ સૈનિકો ઓછા કરવામાં આવશે. 


શા માટે ઓપ્ટિમાઈઝેન શરૂ કરાયું?


સંસદની સંરક્ષણ બાબતોની સ્ટેન્ડિંગ કમિટીએ જણાવ્યું હતું કે જ્યારે વીપી મલિક આર્મી ચીફ હતા ત્યારે તેમણે 50 હજાર જવાની ઘટાડવા અંગે વિચાર્યું હતું. જો કે હવે તે લક્ષ્ય લગભગ એક લાખ સૈનિકો ઘટાડવાનું છે. કમિટીને જણાવવામાં આવ્યું હતું કે જવાનોની સંખ્યા ઘટાડવામાં આવ્યા બાદ જે પૈસા બચશે તેને ઉપયોગ  સેનાને ટેકનોલોજીમાં શસક્ત બનાવવા પાછળ ખર્ચવામાં આવશે. સરકારે પણ સેનાને આ રકમનો ઉપયોગ  ટેકનોલોજી પાછળ કરવાનું આશ્વાસન આપ્યું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.