કારના વેચાણમાં ભારતે જાપાનને પછાડ્યું, વિશ્વનું ત્રીજુ ઓટો માર્કેટ બન્યું


  • Published By :
  • Published Date : 2023-01-06 21:18:47

ભારત સહિત વિશ્વના દેશોમાં મંદીની આશંકા છે તેમ છતાં પણ દેશના ઓટોમોબાઈલ સેક્ટર માટે ગત વર્ષ ખૂબ જ સારું રહ્યું હતું. ગત વર્ષે ઓટોમોબાઈલ કંપનીઓએ રેકોર્ડબ્રેક વાહનોનું વેચાણ કર્યું છે. વાહન ઉદ્યોગોના આંકડા પ્રમાણે ભારતે 2022માં વાહન વેચાણમાં જાપાનને પણ પાછળ પાડી દીધું છે. જેમાં તે પહેલી વખત ત્રીજુ સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે. નિક્કઈ એશિયાએ શુક્રવારે આ જાણકારી આપી છે. 


જાપાન કરતા વધું વેચાણ


ભારતમાં નવા વાહનોનું કુલ વેચાણ ઓછામાં ઓછા 42 લાખ 50 હજાર યુનિટ રહ્યું જે જાપાનમાં વેચાયેલી 42 લાખ યુનિટથી વધુ છે. Society of Indian Automobile Manufacturers (SIAM) ના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી અને નવેમ્બર 2022 વચ્ચે ભારતમાં કુલ 41 લાખ 30 હજાર નવા વાહનોની ડિલિવરી થઈ હતી. ભારતમાં સૌથી મોટી કાર કંપની મારૂતી સુઝુકી દ્વારા રવિવારે રિપોર્ટ આપવામાં આવી છે કે ડિસેમ્બર મહિનામાં થયેલા વેચાણને પણ જો ઉમેરવામાં આવે તો તે કુલ મળીને લગભગ 4.25 મિલિયન યુનિટ્સ થઈ જાય છે.


2022માં 15.28 ટકા વેચાણ વધ્યું


દેશમાં વાહનોનું છૂટક વેચાણ 2022માં 15.28 ટકા વધીને 2,11,20,441 યુનિટ થયું છે. 2021માં રિટેલ માર્કેટમાં કુલ 1,83,21,760 વાહનોનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) એ જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ 2022 માં, વાહનોના કુલ છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો થયો છે. 2020 ની સરખામણીમાં, તેણે 17 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.


2019 કરતાં વેચાણ 10 ટકા ઓછું 


જોકે, કોવિડ પહેલા એટલે કે 2019 કરતાં વાહનોનું વેચાણ હજુ પણ 10 ટકા ઓછું રહ્યું. 2022માં કોમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ 8,65,344 યુનિટ સુધી પહોંચ્યું હતું. જે 2021માં વેચાયેલા 6,55,696 વાહનો કરતાં 31.97 ટકા વધુ છે. કોમર્શિયલ વાહનોનું વેચાણ 2019ની નજીક પહોંચી ગયું છે. થ્રી-વ્હીલરનું વેચાણ 71.47 ટકા વધીને 6,40,559 યુનિટ થયું છે.


પેસેન્જર વાહનો અને ટ્રેક્ટરોએ રેકોર્ડ બનાવ્યો


ગયા વર્ષે એટલે કે 2022માં 34,31,497 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. આ આંકડો 2021માં વેચાયેલા 29,49,182 પેસેન્જર વાહનો કરતાં 16.35% વધુ છે. FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, પેસેન્જર વાહનોનું આ અત્યાર સુધીનું સૌથી વધુ છૂટક વેચાણ છે. ટ્રેક્ટરનું વેચાણ વધીને રેકોર્ડ 7.94 લાખ થયું છે. 2021માં 7,69,638 ટ્રેક્ટર વેચાયા હતા. વેચાણ 2020 અને 2019 કરતાં વધુ સારું રહ્યું છે.


મોંઘવારીએ ટુ વ્હીલરની સ્પીડ રોકી


ટુ-વ્હીલરનું વેચાણ 2022માં 13.37% વધીને 1,53,88,062 યુનિટ પહોંચી ગયું છે. જોકે, ડિસેમ્બરમાં વેચાણ 11.19% ઘટીને 11,33,138 યુનિટ થયું હતું. મોંઘવારી અને ઇ-વાહનોની કિંમત અને માંગમાં વધારો થવાને કારણે વેચાણમાં ઘટાડો થયો છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.