કારના વેચાણમાં ભારતે જાપાનને પછાડ્યું, વિશ્વનું ત્રીજુ ઓટો માર્કેટ બન્યું


  • Published By :
  • Published Date : 2023-01-06 21:18:47

ભારત સહિત વિશ્વના દેશોમાં મંદીની આશંકા છે તેમ છતાં પણ દેશના ઓટોમોબાઈલ સેક્ટર માટે ગત વર્ષ ખૂબ જ સારું રહ્યું હતું. ગત વર્ષે ઓટોમોબાઈલ કંપનીઓએ રેકોર્ડબ્રેક વાહનોનું વેચાણ કર્યું છે. વાહન ઉદ્યોગોના આંકડા પ્રમાણે ભારતે 2022માં વાહન વેચાણમાં જાપાનને પણ પાછળ પાડી દીધું છે. જેમાં તે પહેલી વખત ત્રીજુ સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે. નિક્કઈ એશિયાએ શુક્રવારે આ જાણકારી આપી છે. 


જાપાન કરતા વધું વેચાણ


ભારતમાં નવા વાહનોનું કુલ વેચાણ ઓછામાં ઓછા 42 લાખ 50 હજાર યુનિટ રહ્યું જે જાપાનમાં વેચાયેલી 42 લાખ યુનિટથી વધુ છે. Society of Indian Automobile Manufacturers (SIAM) ના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી અને નવેમ્બર 2022 વચ્ચે ભારતમાં કુલ 41 લાખ 30 હજાર નવા વાહનોની ડિલિવરી થઈ હતી. ભારતમાં સૌથી મોટી કાર કંપની મારૂતી સુઝુકી દ્વારા રવિવારે રિપોર્ટ આપવામાં આવી છે કે ડિસેમ્બર મહિનામાં થયેલા વેચાણને પણ જો ઉમેરવામાં આવે તો તે કુલ મળીને લગભગ 4.25 મિલિયન યુનિટ્સ થઈ જાય છે.


2022માં 15.28 ટકા વેચાણ વધ્યું


દેશમાં વાહનોનું છૂટક વેચાણ 2022માં 15.28 ટકા વધીને 2,11,20,441 યુનિટ થયું છે. 2021માં રિટેલ માર્કેટમાં કુલ 1,83,21,760 વાહનોનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) એ જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ 2022 માં, વાહનોના કુલ છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો થયો છે. 2020 ની સરખામણીમાં, તેણે 17 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.


2019 કરતાં વેચાણ 10 ટકા ઓછું 


જોકે, કોવિડ પહેલા એટલે કે 2019 કરતાં વાહનોનું વેચાણ હજુ પણ 10 ટકા ઓછું રહ્યું. 2022માં કોમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ 8,65,344 યુનિટ સુધી પહોંચ્યું હતું. જે 2021માં વેચાયેલા 6,55,696 વાહનો કરતાં 31.97 ટકા વધુ છે. કોમર્શિયલ વાહનોનું વેચાણ 2019ની નજીક પહોંચી ગયું છે. થ્રી-વ્હીલરનું વેચાણ 71.47 ટકા વધીને 6,40,559 યુનિટ થયું છે.


પેસેન્જર વાહનો અને ટ્રેક્ટરોએ રેકોર્ડ બનાવ્યો


ગયા વર્ષે એટલે કે 2022માં 34,31,497 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. આ આંકડો 2021માં વેચાયેલા 29,49,182 પેસેન્જર વાહનો કરતાં 16.35% વધુ છે. FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, પેસેન્જર વાહનોનું આ અત્યાર સુધીનું સૌથી વધુ છૂટક વેચાણ છે. ટ્રેક્ટરનું વેચાણ વધીને રેકોર્ડ 7.94 લાખ થયું છે. 2021માં 7,69,638 ટ્રેક્ટર વેચાયા હતા. વેચાણ 2020 અને 2019 કરતાં વધુ સારું રહ્યું છે.


મોંઘવારીએ ટુ વ્હીલરની સ્પીડ રોકી


ટુ-વ્હીલરનું વેચાણ 2022માં 13.37% વધીને 1,53,88,062 યુનિટ પહોંચી ગયું છે. જોકે, ડિસેમ્બરમાં વેચાણ 11.19% ઘટીને 11,33,138 યુનિટ થયું હતું. મોંઘવારી અને ઇ-વાહનોની કિંમત અને માંગમાં વધારો થવાને કારણે વેચાણમાં ઘટાડો થયો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.