કારના વેચાણમાં ભારતે જાપાનને પછાડ્યું, વિશ્વનું ત્રીજુ ઓટો માર્કેટ બન્યું


  • Published By :
  • Published Date : 2023-01-06 21:18:47

ભારત સહિત વિશ્વના દેશોમાં મંદીની આશંકા છે તેમ છતાં પણ દેશના ઓટોમોબાઈલ સેક્ટર માટે ગત વર્ષ ખૂબ જ સારું રહ્યું હતું. ગત વર્ષે ઓટોમોબાઈલ કંપનીઓએ રેકોર્ડબ્રેક વાહનોનું વેચાણ કર્યું છે. વાહન ઉદ્યોગોના આંકડા પ્રમાણે ભારતે 2022માં વાહન વેચાણમાં જાપાનને પણ પાછળ પાડી દીધું છે. જેમાં તે પહેલી વખત ત્રીજુ સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે. નિક્કઈ એશિયાએ શુક્રવારે આ જાણકારી આપી છે. 


જાપાન કરતા વધું વેચાણ


ભારતમાં નવા વાહનોનું કુલ વેચાણ ઓછામાં ઓછા 42 લાખ 50 હજાર યુનિટ રહ્યું જે જાપાનમાં વેચાયેલી 42 લાખ યુનિટથી વધુ છે. Society of Indian Automobile Manufacturers (SIAM) ના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી અને નવેમ્બર 2022 વચ્ચે ભારતમાં કુલ 41 લાખ 30 હજાર નવા વાહનોની ડિલિવરી થઈ હતી. ભારતમાં સૌથી મોટી કાર કંપની મારૂતી સુઝુકી દ્વારા રવિવારે રિપોર્ટ આપવામાં આવી છે કે ડિસેમ્બર મહિનામાં થયેલા વેચાણને પણ જો ઉમેરવામાં આવે તો તે કુલ મળીને લગભગ 4.25 મિલિયન યુનિટ્સ થઈ જાય છે.


2022માં 15.28 ટકા વેચાણ વધ્યું


દેશમાં વાહનોનું છૂટક વેચાણ 2022માં 15.28 ટકા વધીને 2,11,20,441 યુનિટ થયું છે. 2021માં રિટેલ માર્કેટમાં કુલ 1,83,21,760 વાહનોનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) એ જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ 2022 માં, વાહનોના કુલ છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો થયો છે. 2020 ની સરખામણીમાં, તેણે 17 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.


2019 કરતાં વેચાણ 10 ટકા ઓછું 


જોકે, કોવિડ પહેલા એટલે કે 2019 કરતાં વાહનોનું વેચાણ હજુ પણ 10 ટકા ઓછું રહ્યું. 2022માં કોમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ 8,65,344 યુનિટ સુધી પહોંચ્યું હતું. જે 2021માં વેચાયેલા 6,55,696 વાહનો કરતાં 31.97 ટકા વધુ છે. કોમર્શિયલ વાહનોનું વેચાણ 2019ની નજીક પહોંચી ગયું છે. થ્રી-વ્હીલરનું વેચાણ 71.47 ટકા વધીને 6,40,559 યુનિટ થયું છે.


પેસેન્જર વાહનો અને ટ્રેક્ટરોએ રેકોર્ડ બનાવ્યો


ગયા વર્ષે એટલે કે 2022માં 34,31,497 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. આ આંકડો 2021માં વેચાયેલા 29,49,182 પેસેન્જર વાહનો કરતાં 16.35% વધુ છે. FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, પેસેન્જર વાહનોનું આ અત્યાર સુધીનું સૌથી વધુ છૂટક વેચાણ છે. ટ્રેક્ટરનું વેચાણ વધીને રેકોર્ડ 7.94 લાખ થયું છે. 2021માં 7,69,638 ટ્રેક્ટર વેચાયા હતા. વેચાણ 2020 અને 2019 કરતાં વધુ સારું રહ્યું છે.


મોંઘવારીએ ટુ વ્હીલરની સ્પીડ રોકી


ટુ-વ્હીલરનું વેચાણ 2022માં 13.37% વધીને 1,53,88,062 યુનિટ પહોંચી ગયું છે. જોકે, ડિસેમ્બરમાં વેચાણ 11.19% ઘટીને 11,33,138 યુનિટ થયું હતું. મોંઘવારી અને ઇ-વાહનોની કિંમત અને માંગમાં વધારો થવાને કારણે વેચાણમાં ઘટાડો થયો છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.