અમેરિકા હવે તો બહાર આવો રંગભેદમાંથી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-09 13:49:16

વિશ્વની મહાસત્તા અમેરિકા આમ તો દાવો કરે છે કે તેમના ત્યાં સમાનતા , આઝાદી , ભાઈચારો છે . પરંતુ હમણાં જે હરકત અમેરિકાના અલાસ્કા રાજ્યના એનકોરેજ એરપોર્ટની બહાર આવી છે તેનાથી સાફ સાફ એ વસ્તુ છતી થાય છે કે અમેરિકા હજુ પણ રેસિઝમમાંથી બહાર નથી આવ્યું . થયું એવું કે આપણા ભારતના એક વ્યવસાયી શ્રુતિ ચતુર્વેદી જયારે અમેરિકાના અલાસ્કા રાજ્યમાં ગયા હતા ત્યારે ત્યાં એક એરપોર્ટ આવેલું છે તેનું નામ છે એનકોરેજ . તેના ગ્રાઉન્ડ સ્ટાફે તેમને કસ્ટડીમાં  ૮ કલાક ગોંધી રાખ્યા હતા . 

Stripped, no restroom break: Indian woman narrates 8-hour detention ordeal  at US airport | Latest News India - Hindustan Times

શ્રુતિ ચતુર્વેદી જેઓ આપણા દેશના એક જાણીતા બિઝનેસવુમન છે . હમણાં જ થોડાક સમય પેહલા જયારે તેઓ અમેરિકાના અલાસ્કામાં ફરવા ગયા હતા . ત્યારે અલાસ્કા રાજ્યના એનકોરેજ એરપોર્ટ પરથી ભારત પાછા ફરતી વખતે  તેમની પૂછપરછ એફબીઆઈ દ્વારા કરવામાં આવી હતી .  કારણ માત્ર એટલું હતું કે , તેમની પાસે જે પાવરબેન્ક હતી તેની બેગ પર આ એરપોર્ટના સુરક્ષાકર્મીઓને શંકા ગઈ હતી . એક પુરુષ ઓફિસર દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી , કેટલાય સમય સુધી તેમને બાથરૂમ ના જવા દેવામાં આવ્યા સાથે જ તેમની પાસેથી ગરમ કપડાં , મોબાઈલ , સામાન લઈ લેવામાં આવ્યો હતો . શ્રુતિ ચતુર્વેદીએ આ સમગ્ર જાણકારી પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને આપી હતી . 

આઠ કલાકની પૂછતાછ બાદ તેમને કઈ મળ્યું નઈ . આટલુંજ નહિ શ્રુતિનો સામાન  હજી પણ આ એનકોરેજ એરપોર્ટ પર જ છે . શ્રુતિને પોતાના મૂળભૂત અધિકાર વંચિત રખાયા હતા એટલેકે તેમને એક ફોન આ એફબીઆઈના અધિકારીઓએ નહોતો કરવા દીધો . એક વસ્તુ સાફ છે કે , ભારતીયો અવારનવાર આવા રેસિઝમનો સામનો કરતા રહે છે. અહીં આ વસ્તુ પેહલીવાર નથી બની કે અમેરિકાની એરપોર્ટ ઓથોરિટીએ આવો ખરાબ વ્યવહાર કર્યો હોય . વાત છે ૨૦૧૧ની છે જયારે આપણા ભારતના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડો. એ પી જે અબ્દુલ કલામ ન્યુયોર્કથી ભારત આવવા માટે ૨૯ સપ્ટેમ્બરના ૨૦૧૧ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બેસી ગયા હતા. પરંતુ ન્યુયોર્કની એરપોર્ટ ઓથોરિટીએ તે ફ્લાઇટને ઉડવા ના દીધી , ફ્લાઇટના દરવાજા ખોલાવ્યા , કલામ સરના જેકેટ અને બૂટને તપાસ માટે લઈ લેવાયા . આ કારણે ડો . એ પી જે અબ્દુલ કલામએ ઘણા લાંબા સમય સુધી બુટ વગર બેસી ફ્લાઈટમાં જ બેસી રેહવું પડ્યું હતું. જોકે પાછળથી ભારત સરકારે વિરોધ કરતા અમેરિકાએ માફી માંગી હતી . ટૂંકમાં અમેરિકાએ આ રેસિઝમની નીતિ છોડવી જ રહી .  બધા બહારના લોકોને  એક સરખી રીતે જોવાની આ પ્રણાલી અમેરિકાએ બદલવી જોઈએ. 

A.P.J. Abdul Kalam | Biography, History, Career, Books, Awards, & Facts |  Britannica



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.