અમેરિકા હવે તો બહાર આવો રંગભેદમાંથી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-09 13:49:16

વિશ્વની મહાસત્તા અમેરિકા આમ તો દાવો કરે છે કે તેમના ત્યાં સમાનતા , આઝાદી , ભાઈચારો છે . પરંતુ હમણાં જે હરકત અમેરિકાના અલાસ્કા રાજ્યના એનકોરેજ એરપોર્ટની બહાર આવી છે તેનાથી સાફ સાફ એ વસ્તુ છતી થાય છે કે અમેરિકા હજુ પણ રેસિઝમમાંથી બહાર નથી આવ્યું . થયું એવું કે આપણા ભારતના એક વ્યવસાયી શ્રુતિ ચતુર્વેદી જયારે અમેરિકાના અલાસ્કા રાજ્યમાં ગયા હતા ત્યારે ત્યાં એક એરપોર્ટ આવેલું છે તેનું નામ છે એનકોરેજ . તેના ગ્રાઉન્ડ સ્ટાફે તેમને કસ્ટડીમાં  ૮ કલાક ગોંધી રાખ્યા હતા . 

Stripped, no restroom break: Indian woman narrates 8-hour detention ordeal  at US airport | Latest News India - Hindustan Times

શ્રુતિ ચતુર્વેદી જેઓ આપણા દેશના એક જાણીતા બિઝનેસવુમન છે . હમણાં જ થોડાક સમય પેહલા જયારે તેઓ અમેરિકાના અલાસ્કામાં ફરવા ગયા હતા . ત્યારે અલાસ્કા રાજ્યના એનકોરેજ એરપોર્ટ પરથી ભારત પાછા ફરતી વખતે  તેમની પૂછપરછ એફબીઆઈ દ્વારા કરવામાં આવી હતી .  કારણ માત્ર એટલું હતું કે , તેમની પાસે જે પાવરબેન્ક હતી તેની બેગ પર આ એરપોર્ટના સુરક્ષાકર્મીઓને શંકા ગઈ હતી . એક પુરુષ ઓફિસર દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી , કેટલાય સમય સુધી તેમને બાથરૂમ ના જવા દેવામાં આવ્યા સાથે જ તેમની પાસેથી ગરમ કપડાં , મોબાઈલ , સામાન લઈ લેવામાં આવ્યો હતો . શ્રુતિ ચતુર્વેદીએ આ સમગ્ર જાણકારી પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને આપી હતી . 

આઠ કલાકની પૂછતાછ બાદ તેમને કઈ મળ્યું નઈ . આટલુંજ નહિ શ્રુતિનો સામાન  હજી પણ આ એનકોરેજ એરપોર્ટ પર જ છે . શ્રુતિને પોતાના મૂળભૂત અધિકાર વંચિત રખાયા હતા એટલેકે તેમને એક ફોન આ એફબીઆઈના અધિકારીઓએ નહોતો કરવા દીધો . એક વસ્તુ સાફ છે કે , ભારતીયો અવારનવાર આવા રેસિઝમનો સામનો કરતા રહે છે. અહીં આ વસ્તુ પેહલીવાર નથી બની કે અમેરિકાની એરપોર્ટ ઓથોરિટીએ આવો ખરાબ વ્યવહાર કર્યો હોય . વાત છે ૨૦૧૧ની છે જયારે આપણા ભારતના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડો. એ પી જે અબ્દુલ કલામ ન્યુયોર્કથી ભારત આવવા માટે ૨૯ સપ્ટેમ્બરના ૨૦૧૧ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બેસી ગયા હતા. પરંતુ ન્યુયોર્કની એરપોર્ટ ઓથોરિટીએ તે ફ્લાઇટને ઉડવા ના દીધી , ફ્લાઇટના દરવાજા ખોલાવ્યા , કલામ સરના જેકેટ અને બૂટને તપાસ માટે લઈ લેવાયા . આ કારણે ડો . એ પી જે અબ્દુલ કલામએ ઘણા લાંબા સમય સુધી બુટ વગર બેસી ફ્લાઈટમાં જ બેસી રેહવું પડ્યું હતું. જોકે પાછળથી ભારત સરકારે વિરોધ કરતા અમેરિકાએ માફી માંગી હતી . ટૂંકમાં અમેરિકાએ આ રેસિઝમની નીતિ છોડવી જ રહી .  બધા બહારના લોકોને  એક સરખી રીતે જોવાની આ પ્રણાલી અમેરિકાએ બદલવી જોઈએ. 

A.P.J. Abdul Kalam | Biography, History, Career, Books, Awards, & Facts |  Britannica



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.