અમેરિકા હવે તો બહાર આવો રંગભેદમાંથી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-09 13:49:16

વિશ્વની મહાસત્તા અમેરિકા આમ તો દાવો કરે છે કે તેમના ત્યાં સમાનતા , આઝાદી , ભાઈચારો છે . પરંતુ હમણાં જે હરકત અમેરિકાના અલાસ્કા રાજ્યના એનકોરેજ એરપોર્ટની બહાર આવી છે તેનાથી સાફ સાફ એ વસ્તુ છતી થાય છે કે અમેરિકા હજુ પણ રેસિઝમમાંથી બહાર નથી આવ્યું . થયું એવું કે આપણા ભારતના એક વ્યવસાયી શ્રુતિ ચતુર્વેદી જયારે અમેરિકાના અલાસ્કા રાજ્યમાં ગયા હતા ત્યારે ત્યાં એક એરપોર્ટ આવેલું છે તેનું નામ છે એનકોરેજ . તેના ગ્રાઉન્ડ સ્ટાફે તેમને કસ્ટડીમાં  ૮ કલાક ગોંધી રાખ્યા હતા . 

Stripped, no restroom break: Indian woman narrates 8-hour detention ordeal  at US airport | Latest News India - Hindustan Times

શ્રુતિ ચતુર્વેદી જેઓ આપણા દેશના એક જાણીતા બિઝનેસવુમન છે . હમણાં જ થોડાક સમય પેહલા જયારે તેઓ અમેરિકાના અલાસ્કામાં ફરવા ગયા હતા . ત્યારે અલાસ્કા રાજ્યના એનકોરેજ એરપોર્ટ પરથી ભારત પાછા ફરતી વખતે  તેમની પૂછપરછ એફબીઆઈ દ્વારા કરવામાં આવી હતી .  કારણ માત્ર એટલું હતું કે , તેમની પાસે જે પાવરબેન્ક હતી તેની બેગ પર આ એરપોર્ટના સુરક્ષાકર્મીઓને શંકા ગઈ હતી . એક પુરુષ ઓફિસર દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી , કેટલાય સમય સુધી તેમને બાથરૂમ ના જવા દેવામાં આવ્યા સાથે જ તેમની પાસેથી ગરમ કપડાં , મોબાઈલ , સામાન લઈ લેવામાં આવ્યો હતો . શ્રુતિ ચતુર્વેદીએ આ સમગ્ર જાણકારી પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને આપી હતી . 

આઠ કલાકની પૂછતાછ બાદ તેમને કઈ મળ્યું નઈ . આટલુંજ નહિ શ્રુતિનો સામાન  હજી પણ આ એનકોરેજ એરપોર્ટ પર જ છે . શ્રુતિને પોતાના મૂળભૂત અધિકાર વંચિત રખાયા હતા એટલેકે તેમને એક ફોન આ એફબીઆઈના અધિકારીઓએ નહોતો કરવા દીધો . એક વસ્તુ સાફ છે કે , ભારતીયો અવારનવાર આવા રેસિઝમનો સામનો કરતા રહે છે. અહીં આ વસ્તુ પેહલીવાર નથી બની કે અમેરિકાની એરપોર્ટ ઓથોરિટીએ આવો ખરાબ વ્યવહાર કર્યો હોય . વાત છે ૨૦૧૧ની છે જયારે આપણા ભારતના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડો. એ પી જે અબ્દુલ કલામ ન્યુયોર્કથી ભારત આવવા માટે ૨૯ સપ્ટેમ્બરના ૨૦૧૧ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બેસી ગયા હતા. પરંતુ ન્યુયોર્કની એરપોર્ટ ઓથોરિટીએ તે ફ્લાઇટને ઉડવા ના દીધી , ફ્લાઇટના દરવાજા ખોલાવ્યા , કલામ સરના જેકેટ અને બૂટને તપાસ માટે લઈ લેવાયા . આ કારણે ડો . એ પી જે અબ્દુલ કલામએ ઘણા લાંબા સમય સુધી બુટ વગર બેસી ફ્લાઈટમાં જ બેસી રેહવું પડ્યું હતું. જોકે પાછળથી ભારત સરકારે વિરોધ કરતા અમેરિકાએ માફી માંગી હતી . ટૂંકમાં અમેરિકાએ આ રેસિઝમની નીતિ છોડવી જ રહી .  બધા બહારના લોકોને  એક સરખી રીતે જોવાની આ પ્રણાલી અમેરિકાએ બદલવી જોઈએ. 

A.P.J. Abdul Kalam | Biography, History, Career, Books, Awards, & Facts |  Britannica



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.