ICG અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન: 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઈન પકડ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 12:42:18

ગુજરાતનો સમુદ્ર વિસ્તાર ડ્રગ્સ માફિયાઓ માટે નશીલા દ્વવ્યોની તસ્કરીનું મોકળું મેદાન બની ગયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ  ફરી એકવાર ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી કરોડો રૂપિયાનું હેરોઈન ઝડપી પાડ્યું છે. કચ્છ જિલ્લાના જખો સમુદ્ર વિસ્તારમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાકિસ્તાની બોટ સાથે 50 કિલો હેરોઈન પકડ્યું છે.  


6 પાકિસ્તાનીઓની ધરપકડ


ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)અને ગુજરાત ATS દ્વારા 50 કિલો હેરોઈન સાથે 06 પાકિસ્તાનીઓની અટકાયત કરવામાં આવી છે. ICG જહાજોએ  અને ATSએ પાકિસ્તાની બોટ  “AL SAKAR”ને દરિયામાં આતર્યું હતું. જહાજની તપાસ કરવામાં આવતા તેમાંથી આજે સવારે 350 કરોડ રૂપિયાની માર્કેટ કિંમતના 50 કિલો હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવી છે. તોફાની સમુદ્ર અને ખરાબ હવામાન વચ્ચે આ ઓપરેશન સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ પાકિસ્તાની બોટને વધુ તપાસ માટે જખૌ લાવવામાં આવી રહી છે. ત્યા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 


એક વર્ષમાં આ છઠ્ઠું ઓપરેશન 


સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે ATSએ છેલ્લા એક વર્ષમાં આ છઠ્ઠું ઓપરેશન પાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની બોટમાંથી આશરે 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઇન પકડવામાં આવ્યું હતું. એટલે કે તે ઓપરેશનના એક મહિના કરતાં ઓછા સમયમાં બીજું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ મહિનામાં આ બીજું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.