ભારતનો GDP દર 6.5 ટકા રહેશે, વધતી મોંઘવારી ચિંતાજનક: વિશ્વ બેંક


  • Published By :
  • Published Date : 2022-12-06 15:31:39

વિશ્વ બેંકએ ચાલું નાણાકિય વર્ષમાં ભારતનો વૃધ્ધી દર વધારીને 6.9 ટકા પર રહેવાનું અનુમાન વ્યક્ત કર્યો છે. ભારતે કડક નાણાકિય નિતી અપનાવી તથા કોમોડિટીના વધેલા ભાવના કારણે ભારતની આર્થિક વૃધ્ધી પર અસર થઈ છે. જો કે તેમ છતાં પણ ભારત સૌથી ઝડપથી વૃધ્ધી પ્રાપ્ત કરતી ઇકોનોમીમાં સામેલ થઈ શકે છે. વિકાશશીલ અર્થતંત્રોમાં ભારત આર્થિક વિકાસ રોકાણકારોનું મુખ્ય રોકાણ કેન્દ્ર બની શકે છે.


ભારતમાં મોંઘવારી 7.1 ટકા


આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2022-23માં સરેરાશ રિટેલ મોંઘવારી દર 7.1 ટકા રહી શકે છે. કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ  (CPI) પર પર આધારીત મોંઘવારી દરમાં થોડી રાહત મળી શકે છે. પરંતું હવે કેન્દ્રિય મધ્યસ્થ બેંકએ 6 ટકા ના માન્ય સ્તરથી ઉપર છે. જે આ વર્ષે જાન્યુઆરીમાં 6 ટકાથી ઉપર છે. આરબીઆઈની નાણાકિય નિતી નક્કી કરતા સમયે રિટેલ મોંઘવારી દર પર પણ ધ્યાનમાં રાખે છે. ઓક્ટોમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી ઘટીને 6.77 ટકા પર આવી ગઈ છે. જે સપ્ટેમ્બર 2022માં 7.41 ટકા પર રહી હતી. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ ઘટવાથી મુખ્યરૂપથી મોંઘવારી દરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જો કે આ સતત 10 મહિનામાં આરબીઆઈના કંમ્ફર્ટ લેવલથી ઉપર રહ્યું છે


આરબીઆઈની બેઠક પર નજર


ભારતીય રિઝર્વ બેંકની નાણાકિય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક સોમવારે શરૂ થશે. બીઓબીના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવિસે કહ્યું કે આરબીઆઈ એવા સમયે તેના નાણાકિય નિતી રજુ કરશે જ્યારે જીડીપી વૃધ્ધી દર સુસ્ત પડી ગયો છે અને મોઘવારી હજુ પણ 6 ટકાની ઉપર યથાવત છે. જો  કે આ વખતે આરબીઆઈ ફરી એક વખત વ્યાજ દરમાં વધારો તો કરશે પણ તે સંભવત  0.25-0.35 ટકા જેટલો જ હશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.