ભારતનો GDP દર 6.5 ટકા રહેશે, વધતી મોંઘવારી ચિંતાજનક: વિશ્વ બેંક


  • Published By :
  • Published Date : 2022-12-06 15:31:39

વિશ્વ બેંકએ ચાલું નાણાકિય વર્ષમાં ભારતનો વૃધ્ધી દર વધારીને 6.9 ટકા પર રહેવાનું અનુમાન વ્યક્ત કર્યો છે. ભારતે કડક નાણાકિય નિતી અપનાવી તથા કોમોડિટીના વધેલા ભાવના કારણે ભારતની આર્થિક વૃધ્ધી પર અસર થઈ છે. જો કે તેમ છતાં પણ ભારત સૌથી ઝડપથી વૃધ્ધી પ્રાપ્ત કરતી ઇકોનોમીમાં સામેલ થઈ શકે છે. વિકાશશીલ અર્થતંત્રોમાં ભારત આર્થિક વિકાસ રોકાણકારોનું મુખ્ય રોકાણ કેન્દ્ર બની શકે છે.


ભારતમાં મોંઘવારી 7.1 ટકા


આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2022-23માં સરેરાશ રિટેલ મોંઘવારી દર 7.1 ટકા રહી શકે છે. કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ  (CPI) પર પર આધારીત મોંઘવારી દરમાં થોડી રાહત મળી શકે છે. પરંતું હવે કેન્દ્રિય મધ્યસ્થ બેંકએ 6 ટકા ના માન્ય સ્તરથી ઉપર છે. જે આ વર્ષે જાન્યુઆરીમાં 6 ટકાથી ઉપર છે. આરબીઆઈની નાણાકિય નિતી નક્કી કરતા સમયે રિટેલ મોંઘવારી દર પર પણ ધ્યાનમાં રાખે છે. ઓક્ટોમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી ઘટીને 6.77 ટકા પર આવી ગઈ છે. જે સપ્ટેમ્બર 2022માં 7.41 ટકા પર રહી હતી. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ ઘટવાથી મુખ્યરૂપથી મોંઘવારી દરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જો કે આ સતત 10 મહિનામાં આરબીઆઈના કંમ્ફર્ટ લેવલથી ઉપર રહ્યું છે


આરબીઆઈની બેઠક પર નજર


ભારતીય રિઝર્વ બેંકની નાણાકિય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક સોમવારે શરૂ થશે. બીઓબીના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવિસે કહ્યું કે આરબીઆઈ એવા સમયે તેના નાણાકિય નિતી રજુ કરશે જ્યારે જીડીપી વૃધ્ધી દર સુસ્ત પડી ગયો છે અને મોઘવારી હજુ પણ 6 ટકાની ઉપર યથાવત છે. જો  કે આ વખતે આરબીઆઈ ફરી એક વખત વ્યાજ દરમાં વધારો તો કરશે પણ તે સંભવત  0.25-0.35 ટકા જેટલો જ હશે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.