Pakistan Jailમાં બંધ ભારતીય માછીમારો માદરે વતન પહોંચ્યા, પરિવારના મિલન વખતે સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ


  • Published By :
  • Published Date : 2023-11-13 13:45:13

તહેવારની ઉજવણી કરવા માટે જ્યારે બહાર રહેતો વ્યક્તિ પોતાના વતન આવે છે ત્યારે તેમની આંખોમાં અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે. તેમના મનમાં એક જ ખ્યાલ આવે કે પરિવાર સાથે તેઓ તહેવારની ઉજવણી કરવાના છે. પરિવારના સભ્યોમાંથી જ્યારે કોઈ તહેવાર મનાવવા માટે વતન આવે છે ત્યારે ઉજવણી ડબલ થઈ જતી હોય છે. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે પાકિસ્તાનની જેલમાંથી 80 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા ભારતીય માછીમારોને વાઘા બોર્ડર મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી માછીમારો માદરે વતન પહોંચ્યા હતા. ગીર સોમનાથના માછીમારો જ્યારે માદરે વતન પહોંચ્યા હતા ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે ભાવુક કરી દે તેવા છે... 

12 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામ્યા!

માછીમારોના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત દિવાળીના પર્વ પર 80 જેટલા માછીમારો માદરે વતન પહોંચ્યા છે. જ્યારે માછીમારો માદરે વતન પહોંચ્યા ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. 12 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામ્યા હતા અને પછી સરકારોને માછીમાર આગેવાનોએ વિનંતી કરી કે, કેદમાં રહેલા માછીમારોને યોગ્ય સારવાર આપવામાં આવે. ઘણા માછીમારોને પોતાના ઘરે જવાની પણ પરવાનગી આપે.


માદરે વતન માછીમારો પહોંચે તે માટે કરાઈ વિશેષ વ્યવસ્થા  

એક તરફ દિવાળીની ખુશી અને બીજી બાજુ આતિશબાજી. આ બધાની વચ્ચે પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા માછીમારો વેરાવળ પહોંચ્યા. માછીમારો માદરે વતન પહોંચે તે માટે બે સ્પેશિયલ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. વડોદરાથી વેરાવળ સુધી પોલીસ વિભાગ દ્વારા 80 માછીમારોને વેરાવળ લવાયા હતા. માછીમારોનું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને પૂછપરછ કરી માદરે વતન પહોંચતા જ માછીમારોના સ્વજનો રડી પડ્યા હતા. માછીમારોએ ભારત માતા કી જય બોલાવી હતી 


3 વર્ષ જેલમાં રહી માછીમારો માદરે વતન પરત ફર્યા 

હવે પ્રશ્ન થાય કે આ બધા માછીમારો પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યા? વાત એમ હતી કે ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણી વાર અજાણ્યે પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરી ગયા. જ્યારે માછીમારો સીમા પાર કરી પાકિસ્તાન પહોંચ્યા ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે. આ તમામ માછીમારોને વર્ષ 2020માં પાકિસ્તાનમાં પકડ્યા હતા ત્યારે 3 વર્ષ પાકિસ્તાનની જેલમાં રહીને તહેવારમાં નવા વર્ષે એ લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. આટલા વર્ષો બાદ પરિવારને જ્યારે આ લોકોએ જોયા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઘરે જ્યારે માછીમારો પરત ફર્યા ત્યારે કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.