Pakistan Jailમાં બંધ ભારતીય માછીમારો માદરે વતન પહોંચ્યા, પરિવારના મિલન વખતે સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ


  • Published By :
  • Published Date : 2023-11-13 13:45:13

તહેવારની ઉજવણી કરવા માટે જ્યારે બહાર રહેતો વ્યક્તિ પોતાના વતન આવે છે ત્યારે તેમની આંખોમાં અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે. તેમના મનમાં એક જ ખ્યાલ આવે કે પરિવાર સાથે તેઓ તહેવારની ઉજવણી કરવાના છે. પરિવારના સભ્યોમાંથી જ્યારે કોઈ તહેવાર મનાવવા માટે વતન આવે છે ત્યારે ઉજવણી ડબલ થઈ જતી હોય છે. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે પાકિસ્તાનની જેલમાંથી 80 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા ભારતીય માછીમારોને વાઘા બોર્ડર મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી માછીમારો માદરે વતન પહોંચ્યા હતા. ગીર સોમનાથના માછીમારો જ્યારે માદરે વતન પહોંચ્યા હતા ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે ભાવુક કરી દે તેવા છે... 

12 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામ્યા!

માછીમારોના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત દિવાળીના પર્વ પર 80 જેટલા માછીમારો માદરે વતન પહોંચ્યા છે. જ્યારે માછીમારો માદરે વતન પહોંચ્યા ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. 12 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામ્યા હતા અને પછી સરકારોને માછીમાર આગેવાનોએ વિનંતી કરી કે, કેદમાં રહેલા માછીમારોને યોગ્ય સારવાર આપવામાં આવે. ઘણા માછીમારોને પોતાના ઘરે જવાની પણ પરવાનગી આપે.


માદરે વતન માછીમારો પહોંચે તે માટે કરાઈ વિશેષ વ્યવસ્થા  

એક તરફ દિવાળીની ખુશી અને બીજી બાજુ આતિશબાજી. આ બધાની વચ્ચે પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા માછીમારો વેરાવળ પહોંચ્યા. માછીમારો માદરે વતન પહોંચે તે માટે બે સ્પેશિયલ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. વડોદરાથી વેરાવળ સુધી પોલીસ વિભાગ દ્વારા 80 માછીમારોને વેરાવળ લવાયા હતા. માછીમારોનું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને પૂછપરછ કરી માદરે વતન પહોંચતા જ માછીમારોના સ્વજનો રડી પડ્યા હતા. માછીમારોએ ભારત માતા કી જય બોલાવી હતી 


3 વર્ષ જેલમાં રહી માછીમારો માદરે વતન પરત ફર્યા 

હવે પ્રશ્ન થાય કે આ બધા માછીમારો પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યા? વાત એમ હતી કે ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણી વાર અજાણ્યે પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરી ગયા. જ્યારે માછીમારો સીમા પાર કરી પાકિસ્તાન પહોંચ્યા ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે. આ તમામ માછીમારોને વર્ષ 2020માં પાકિસ્તાનમાં પકડ્યા હતા ત્યારે 3 વર્ષ પાકિસ્તાનની જેલમાં રહીને તહેવારમાં નવા વર્ષે એ લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. આટલા વર્ષો બાદ પરિવારને જ્યારે આ લોકોએ જોયા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઘરે જ્યારે માછીમારો પરત ફર્યા ત્યારે કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.