પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 માછીમારો સ્વદેશ પરત, માછીમારોના પરિવારોજનોમાં ખુશીનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-06-05 18:52:30

પાકિસ્તાનની કરાંચી જેલમાં બંધ 200 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે. માછીમારોને ગુરુવારે પંજાબમાં અમૃતસર નજીક વાઘા બોર્ડર પર ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અમૃતસરથી કોચુવેલી એક્સપ્રેસમાં બેસાડવામાં આવ્યા હતા. આજે તેઓ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યાં હતાં. આજે વડોદરાથી આ તમામ માછીમારોને બસ મારફતે પોતાના વતન જવા માટે રવાના કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ માછીમારોને પાકિસ્તાન કોસ્ટગાર્ડ દ્વારા વર્ષ 2019થી 2022 દરમિયાન અરબી સમુદ્રમાં માછીમારી કરતી વેળાએ પકડીને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા.


ગુજરાતના 171 માછીમારો સહિત 200 માછીમારો


ભારત અને ગુજરાત સરકારના પ્રયાસોથી પાકિસ્તાનના કબ્જામાં રહેલા ગુજરાત રાજ્યની બોટોમાં પકડાયેલા ગુજરાતના 171 માછીમારો સહિત 200 માછીમારો ટ્રેન મારફતે ભારત પરત ફર્યા હતા. પાકિસ્તાન જેલથી મુક્તિ બાદ માછીમારો 2 જૂને વાઘા બોર્ડર આવતાં ભારતીય સત્તા અધિકારીઓને સોંપવામાં આવ્યાં હતાં.


ગુજરાતના આ જિલ્લાના છે માછીમારો


આ માછીમારોમાંથી  171 માછીમારો ગુજરાતના છે. તેમાં પણ મોટાભાગના માછીમારો ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને જૂનાગઢ જિલ્લાના છે. જેઓે ગુજરાત મત્સ્યોદ્યોગ ખાતાની ટીમ દ્વારા વડોદરાથી રવાના કરવામાં આવ્યા હતાં. આ માછીમારો પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં સબડતા હતા.171 માછીમારો વતન પરત ફરતા માછીમારોના પરિવારજનોમાં તથા માછીમાર સમાજમાં ખુશીનો માહોલ છે.


અગાઉ 198 માછીમારો મુક્ત કરાયા હતા


એક મહિનાથી ઓછા સમયમાં પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોની આ બીજી બેચ સ્વદેશ આવી છે. પાકિસ્તાને ગયા મહિનાની 11 તારીખે ગુજરાતના 184 સહિત કુલ 198 માછીમારોને મુક્ત કર્યા હતા. આજે અન્ય 200ની આ બેચને ગુરુવારે કરાચીની લેન્ડી જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. એંધી ફાઉન્ડેશન, કરાચીની મદદથી, માછીમારો લાહોર જવા માટે ટ્રેનમાં ચડ્યા અને બીજા દિવસે લાહોરથી બસમાં વાઘા બોર્ડર પર લાવવામાં આવ્યા હતા.



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?