પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 માછીમારો સ્વદેશ પરત, માછીમારોના પરિવારોજનોમાં ખુશીનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-06-05 18:52:30

પાકિસ્તાનની કરાંચી જેલમાં બંધ 200 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે. માછીમારોને ગુરુવારે પંજાબમાં અમૃતસર નજીક વાઘા બોર્ડર પર ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અમૃતસરથી કોચુવેલી એક્સપ્રેસમાં બેસાડવામાં આવ્યા હતા. આજે તેઓ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યાં હતાં. આજે વડોદરાથી આ તમામ માછીમારોને બસ મારફતે પોતાના વતન જવા માટે રવાના કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ માછીમારોને પાકિસ્તાન કોસ્ટગાર્ડ દ્વારા વર્ષ 2019થી 2022 દરમિયાન અરબી સમુદ્રમાં માછીમારી કરતી વેળાએ પકડીને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા.


ગુજરાતના 171 માછીમારો સહિત 200 માછીમારો


ભારત અને ગુજરાત સરકારના પ્રયાસોથી પાકિસ્તાનના કબ્જામાં રહેલા ગુજરાત રાજ્યની બોટોમાં પકડાયેલા ગુજરાતના 171 માછીમારો સહિત 200 માછીમારો ટ્રેન મારફતે ભારત પરત ફર્યા હતા. પાકિસ્તાન જેલથી મુક્તિ બાદ માછીમારો 2 જૂને વાઘા બોર્ડર આવતાં ભારતીય સત્તા અધિકારીઓને સોંપવામાં આવ્યાં હતાં.


ગુજરાતના આ જિલ્લાના છે માછીમારો


આ માછીમારોમાંથી  171 માછીમારો ગુજરાતના છે. તેમાં પણ મોટાભાગના માછીમારો ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને જૂનાગઢ જિલ્લાના છે. જેઓે ગુજરાત મત્સ્યોદ્યોગ ખાતાની ટીમ દ્વારા વડોદરાથી રવાના કરવામાં આવ્યા હતાં. આ માછીમારો પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં સબડતા હતા.171 માછીમારો વતન પરત ફરતા માછીમારોના પરિવારજનોમાં તથા માછીમાર સમાજમાં ખુશીનો માહોલ છે.


અગાઉ 198 માછીમારો મુક્ત કરાયા હતા


એક મહિનાથી ઓછા સમયમાં પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોની આ બીજી બેચ સ્વદેશ આવી છે. પાકિસ્તાને ગયા મહિનાની 11 તારીખે ગુજરાતના 184 સહિત કુલ 198 માછીમારોને મુક્ત કર્યા હતા. આજે અન્ય 200ની આ બેચને ગુરુવારે કરાચીની લેન્ડી જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. એંધી ફાઉન્ડેશન, કરાચીની મદદથી, માછીમારો લાહોર જવા માટે ટ્રેનમાં ચડ્યા અને બીજા દિવસે લાહોરથી બસમાં વાઘા બોર્ડર પર લાવવામાં આવ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.