બ્રિટન: લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકોનું દુ:સાહસ, પ્રદર્શનો વચ્ચે બ્રિટિશ સુરક્ષા દળો તૈનાત


  • Published By :
  • Published Date : 2023-10-02 21:23:23

ખાલિસ્તાન સમર્થકોએ સોમવારે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય હાઈ કમિશનની સુરક્ષા માટે ઘટના સ્થળે બ્રિટિશ સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા અને દેખાવકારોને હાઈ કમિશન તરફ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ગ્લાસગો, સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યાના થોડા દિવસો બાદ જ આ વિરોધ થયો હતો. ભારતે આ ઘટનાની જાણ બ્રિટિશ સરકારને કરી અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જે ગુરુદ્વારામાં દોરાઈસ્વામીને પ્રવેશ નકારવામાં આવ્યો હતો તેમણે પણ આ કૃત્યની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું હતું અને આ ઘટનાને "શિખ ધર્મસ્થળની શાંતિપૂર્ણ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાના હેતુથી ઉશ્કેરણીજનક વર્તન" તરીકે વર્ણવ્યું હતું.


બ્રિટનના મંત્રીએ ચિંતા વ્યક્ત કરી


ખાલિસ્તાન સમર્થકોના આવા વર્તન અંગે ઈન્ડો-પેસિફિક મંત્રી એની-મેરી ટ્રેવેલિયને પ્રતિક્રિયા આપી, તેને "ચિંતાજનક" ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિદેશી રાજદ્વારીઓની સુરક્ષા "અત્યંત મહત્વપૂર્ણ" છે અને યુકેમાં અમારા પૂજા સ્થાનો બધા માટે ખુલ્લા હોવા જોઈએ." ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા આવો જ વિરોધ જુલાઈમાં પણ કરવામાં આવ્યો હતો, જ્યાં વિરોધ પ્રદર્શકોએ વિક્રમ દોરાઈસ્વામી અને બર્મિંગહામમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ શશાંક વિક્રમની તસવીરો સાથેના પોસ્ટરો, ભારત વિરોધી નિવેદનો આપીને ઉશ્કેરતા રહે છે.


નિજ્જરની હત્યા બાદ દેખાવો વધ્યા

 

જૂનમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ વિદેશમાં આવા વિરોધ પ્રદર્શનોની ઘટનાઓ વધી છે. તે ભારતમાં વોન્ટેડ હતો અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેની ધરપકડ માટે ઈનામની જાહેરાત કરી હતી. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાનીઓ કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવી રહ્યા છે.



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.