બ્રિટન: લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકોનું દુ:સાહસ, પ્રદર્શનો વચ્ચે બ્રિટિશ સુરક્ષા દળો તૈનાત


  • Published By :
  • Published Date : 2023-10-02 21:23:23

ખાલિસ્તાન સમર્થકોએ સોમવારે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય હાઈ કમિશનની સુરક્ષા માટે ઘટના સ્થળે બ્રિટિશ સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા અને દેખાવકારોને હાઈ કમિશન તરફ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ગ્લાસગો, સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યાના થોડા દિવસો બાદ જ આ વિરોધ થયો હતો. ભારતે આ ઘટનાની જાણ બ્રિટિશ સરકારને કરી અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જે ગુરુદ્વારામાં દોરાઈસ્વામીને પ્રવેશ નકારવામાં આવ્યો હતો તેમણે પણ આ કૃત્યની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું હતું અને આ ઘટનાને "શિખ ધર્મસ્થળની શાંતિપૂર્ણ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાના હેતુથી ઉશ્કેરણીજનક વર્તન" તરીકે વર્ણવ્યું હતું.


બ્રિટનના મંત્રીએ ચિંતા વ્યક્ત કરી


ખાલિસ્તાન સમર્થકોના આવા વર્તન અંગે ઈન્ડો-પેસિફિક મંત્રી એની-મેરી ટ્રેવેલિયને પ્રતિક્રિયા આપી, તેને "ચિંતાજનક" ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિદેશી રાજદ્વારીઓની સુરક્ષા "અત્યંત મહત્વપૂર્ણ" છે અને યુકેમાં અમારા પૂજા સ્થાનો બધા માટે ખુલ્લા હોવા જોઈએ." ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા આવો જ વિરોધ જુલાઈમાં પણ કરવામાં આવ્યો હતો, જ્યાં વિરોધ પ્રદર્શકોએ વિક્રમ દોરાઈસ્વામી અને બર્મિંગહામમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ શશાંક વિક્રમની તસવીરો સાથેના પોસ્ટરો, ભારત વિરોધી નિવેદનો આપીને ઉશ્કેરતા રહે છે.


નિજ્જરની હત્યા બાદ દેખાવો વધ્યા

 

જૂનમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ વિદેશમાં આવા વિરોધ પ્રદર્શનોની ઘટનાઓ વધી છે. તે ભારતમાં વોન્ટેડ હતો અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેની ધરપકડ માટે ઈનામની જાહેરાત કરી હતી. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાનીઓ કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવી રહ્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .