બ્રિટન: લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકોનું દુ:સાહસ, પ્રદર્શનો વચ્ચે બ્રિટિશ સુરક્ષા દળો તૈનાત


  • Published By :
  • Published Date : 2023-10-02 21:23:23

ખાલિસ્તાન સમર્થકોએ સોમવારે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય હાઈ કમિશનની સુરક્ષા માટે ઘટના સ્થળે બ્રિટિશ સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા અને દેખાવકારોને હાઈ કમિશન તરફ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ગ્લાસગો, સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યાના થોડા દિવસો બાદ જ આ વિરોધ થયો હતો. ભારતે આ ઘટનાની જાણ બ્રિટિશ સરકારને કરી અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જે ગુરુદ્વારામાં દોરાઈસ્વામીને પ્રવેશ નકારવામાં આવ્યો હતો તેમણે પણ આ કૃત્યની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું હતું અને આ ઘટનાને "શિખ ધર્મસ્થળની શાંતિપૂર્ણ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાના હેતુથી ઉશ્કેરણીજનક વર્તન" તરીકે વર્ણવ્યું હતું.


બ્રિટનના મંત્રીએ ચિંતા વ્યક્ત કરી


ખાલિસ્તાન સમર્થકોના આવા વર્તન અંગે ઈન્ડો-પેસિફિક મંત્રી એની-મેરી ટ્રેવેલિયને પ્રતિક્રિયા આપી, તેને "ચિંતાજનક" ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિદેશી રાજદ્વારીઓની સુરક્ષા "અત્યંત મહત્વપૂર્ણ" છે અને યુકેમાં અમારા પૂજા સ્થાનો બધા માટે ખુલ્લા હોવા જોઈએ." ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકો દ્વારા આવો જ વિરોધ જુલાઈમાં પણ કરવામાં આવ્યો હતો, જ્યાં વિરોધ પ્રદર્શકોએ વિક્રમ દોરાઈસ્વામી અને બર્મિંગહામમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ શશાંક વિક્રમની તસવીરો સાથેના પોસ્ટરો, ભારત વિરોધી નિવેદનો આપીને ઉશ્કેરતા રહે છે.


નિજ્જરની હત્યા બાદ દેખાવો વધ્યા

 

જૂનમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ વિદેશમાં આવા વિરોધ પ્રદર્શનોની ઘટનાઓ વધી છે. તે ભારતમાં વોન્ટેડ હતો અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેની ધરપકડ માટે ઈનામની જાહેરાત કરી હતી. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાનીઓ કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવી રહ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.