દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ભારતીય નૌકાદળ દિવસ


  • Published By :
  • Published Date : 2022-12-04 11:38:29

4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે. નૌસેનાની સફળતા તેમજ વિરતાને યાદ રાખવા આ દિવસે ભારતીય નૌસેના દિવસ ઉજવાય છે. 4 ડિસેમ્બરના રોજ 1971માં ભારતીય નૌસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. 1971માં જ્યારે ભારત- પાકિસ્તાનનું યુદ્ધ થયું હોય ત્યારે પાકિસ્તાને એરપોર્ટ પર હુમલો કર્યો હતો. તેનો જવાબ આપવા ભારતની નૌકાદળે પાકિસ્તાન પાસે બોમ્બ વિસ્ફોટ કરી વિમાન ઉડાવી દીધું હતું. આ હુમલામાં પાકિસ્તાનના અનેક જવાનો મરી ગયા હતા. ભારતીય નૌસેનાના આ શૌર્યને યાદ રાખવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં  આવે છે.

નૌકાદળ News in Gujarati, Latest નૌકાદળ news, photos, videos | Zee News  Gujarati

આજે ભારતીય નૌકાદળ દિવસ. શું થયું હતું 1971 માં? દરિયાના પ્રખર પ્રહરી ભારતીય  નેવીની જાંબાઝ દાસ્તાન - Trending Gujarat

નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં છે પ્રખ્યાત

ભારતની દરિયાઈ સીમા ઘણી વિશાળ છે. લાંબી દરિયાઈ સીમા હોવાને કારણે તેની સુરક્ષા કરવી મુશ્કેલ થઈ જાય છે. પરંતુ ભારતીય નૌસેના આ કાર્યને ખૂબ સુંદર રીતે કરી રહી છે. નૌકાદળ ન માત્ર દરિયાઈ સીમાની રક્ષા કરે છે પરંતુ કુદરતી આફતમાં પણ તેઓ પોતાની ફરજ નિભાવે છે. ભારતીય નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાને 1971માં જ્યારે ભારત પર હુમલો કર્યો હતો તે દરમિયાન પાકિસ્તાનને પરાજીત કરવામાં નૌકાદળે મહત્વની ભૂમિકા ભજવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામના 

ભારતીય નૌકાદળની વીરતાને ઉપરાંત તેમના સાહસને પ્રોત્સાહન આપવા દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળ દિવસ મનાવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપણા જવાનોને આ દિવસની શુભકામના પાઠવી છે. વીડિયો ટ્વિટ કરી વડાપ્રધાન મોદીએ તેમના અપાયેલા બલિદાનને યાદ કર્યા છે.              




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.