દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ભારતીય નૌકાદળ દિવસ


  • Published By :
  • Published Date : 2022-12-04 11:38:29

4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે. નૌસેનાની સફળતા તેમજ વિરતાને યાદ રાખવા આ દિવસે ભારતીય નૌસેના દિવસ ઉજવાય છે. 4 ડિસેમ્બરના રોજ 1971માં ભારતીય નૌસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. 1971માં જ્યારે ભારત- પાકિસ્તાનનું યુદ્ધ થયું હોય ત્યારે પાકિસ્તાને એરપોર્ટ પર હુમલો કર્યો હતો. તેનો જવાબ આપવા ભારતની નૌકાદળે પાકિસ્તાન પાસે બોમ્બ વિસ્ફોટ કરી વિમાન ઉડાવી દીધું હતું. આ હુમલામાં પાકિસ્તાનના અનેક જવાનો મરી ગયા હતા. ભારતીય નૌસેનાના આ શૌર્યને યાદ રાખવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં  આવે છે.

નૌકાદળ News in Gujarati, Latest નૌકાદળ news, photos, videos | Zee News  Gujarati

આજે ભારતીય નૌકાદળ દિવસ. શું થયું હતું 1971 માં? દરિયાના પ્રખર પ્રહરી ભારતીય  નેવીની જાંબાઝ દાસ્તાન - Trending Gujarat

નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં છે પ્રખ્યાત

ભારતની દરિયાઈ સીમા ઘણી વિશાળ છે. લાંબી દરિયાઈ સીમા હોવાને કારણે તેની સુરક્ષા કરવી મુશ્કેલ થઈ જાય છે. પરંતુ ભારતીય નૌસેના આ કાર્યને ખૂબ સુંદર રીતે કરી રહી છે. નૌકાદળ ન માત્ર દરિયાઈ સીમાની રક્ષા કરે છે પરંતુ કુદરતી આફતમાં પણ તેઓ પોતાની ફરજ નિભાવે છે. ભારતીય નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાને 1971માં જ્યારે ભારત પર હુમલો કર્યો હતો તે દરમિયાન પાકિસ્તાનને પરાજીત કરવામાં નૌકાદળે મહત્વની ભૂમિકા ભજવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામના 

ભારતીય નૌકાદળની વીરતાને ઉપરાંત તેમના સાહસને પ્રોત્સાહન આપવા દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળ દિવસ મનાવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપણા જવાનોને આ દિવસની શુભકામના પાઠવી છે. વીડિયો ટ્વિટ કરી વડાપ્રધાન મોદીએ તેમના અપાયેલા બલિદાનને યાદ કર્યા છે.              




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.