ઈન્ડિયન નેવીનું દિલધડક ઓપરેશન, MV Lila Norfolk જહાજમાં ફસાયેલા 15 ભારતીયોનું સફળ રેસ્ક્યૂ


  • Published By :
  • Published Date : 2024-01-05 22:26:28

ભારતીય નૌકાદળે સોમાલિયા નજીક ચાંચિયાઓની ચુંગાલમાં ફસાયેલા એમવી લીલા નોરફોક જહાજમાં સવાર 15 ભારતીય ક્રૂ મેમ્બરને બચાવી લીધા છે. મરીન કમાંડો માર્કોસે (Marine Commando Marcos) સોમાલિયા (Somalia) પાસે અપહરણ કરાયેલ જહાજ (Cargo Ship Hijack) માંથી 15 લોકોને સુરક્ષિત છોડાવ્યા છે. મરીન કમાંડો માર્કોસ INS ચેન્નાઈ યુદ્ધ જહાજ સાથે 15 લોકોના જીવ બચાવવા માટે પહોંચ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા આ ઓપરેશન બાદ એમવી લીલા નોરફોકમાં સવાર 15 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. નેવી અધિકારીએ આ ઓપરેશન અંગે જણાવ્યું કે અરબી સમુદ્રમાં કાર્યરત ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે હાઇજેક કરાયેલા જહાજમાં કુલ 21 ક્રૂ મેમ્બર સવાર હતા. દરેકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.


ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના


ભારતીય નૌકાદળની હિંમત અને તાકાતના કારણે આ ઓપરેશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, એમવી લીલા નોરફોક જહાજમાં સવાર ક્રૂ સહિત 15 ભારતીયો સુરક્ષિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે અરબી સમુદ્રમાં કાર્યરત ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ પ્રદેશમાં વેપારી જહાજો પર હુમલાને રોકવા માટે ભારતીય નૌકાદળના ચાર યુદ્ધ જહાજોને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે.


ચાંચિયાઓની ચુંગાલમાં 15 ભારતીયો ફસાયા  


4 જાન્યુઆરીએ, એક દિવસ અગાઉ, યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO)એ રિપોર્ટ આપ્યો હતો કે લાઇબેરિયન-ધ્વજવાળું કાર્ગો જહાજ એમવી લીલા નોર્ફોક હાઇજેક કરવામાં આવ્યું છે. UKMTO એ બ્રિટિશ લશ્કરી સંસ્થા છે. તે વ્યૂહાત્મક જળમાર્ગોમાં વિવિધ જહાજોની હિલચાલ પર નજર રાખે છે. હાઇજેક કરાયેલા આ જહાજમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર પણ હતા. આ પછી ભારતીય નૌકાદળ એક્શનમાં આવ્યું અને શુક્રવારે એટલે કે આજે તેના યુદ્ધ જહાજ INS ચેન્નાઈ સાથે આવી પહોંચ્યું. એવી માહિતી પણ મળી હતી કે જહાજમાં પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર લોકો સવાર હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે