જૂન 2024થી અંતરિક્ષમાં ફસાયેલ ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ જલ્દી જ ધરતી પર પાછા ફરશે..


  • Published By :
  • Published Date : 2025-02-14 16:02:33

નાસા માટે કાર્યરત ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ જૂન 2024માં બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને આઈએસએસ(ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) જવા રવાના થયા હતા. તેઓને અંતરિક્ષમાં મહત્તમ 10 દિવસ જ રોકાવાનુ હતુ. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ યાનમાં કંઈક ટેકનિકલ ખામી હોવાની જાણ થતા તેઓ હજી સુધી પરત ન ફરી શક્યા અને આટલા લાંબા સમય સુધી તેમને અંતરિક્ષમાં રહેવું પડ્યુ. પરંતુ હાલ નાસા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સ્પેસએક્સનું ક્રુ-10 મિશન તૈયાર છે અને આ વખતે કેપ્સુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી કરીને બંને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે ધરતી પર પાછા લાવી શકાય. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર તેમજ પાછળથી ત્યાં પહોંચેલા અન્ય બે અંતરિક્ષયાત્રીઓ અંદાજિત તારીખ 12 માર્ચ 2025નાં રોજ ધરતી પર પાછા ફરશે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવુ છે કે, બાઈડન પ્રશાસનમાં બન્નેં યાત્રીઓને ધરતી પર પાછા લાવવા પુરતા પ્રયાસો જ કરવામાં આવ્યા નથી. 



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .