જૂન 2024થી અંતરિક્ષમાં ફસાયેલ ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ જલ્દી જ ધરતી પર પાછા ફરશે..


  • Published By :
  • Published Date : 2025-02-14 16:02:33

નાસા માટે કાર્યરત ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ જૂન 2024માં બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને આઈએસએસ(ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) જવા રવાના થયા હતા. તેઓને અંતરિક્ષમાં મહત્તમ 10 દિવસ જ રોકાવાનુ હતુ. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ યાનમાં કંઈક ટેકનિકલ ખામી હોવાની જાણ થતા તેઓ હજી સુધી પરત ન ફરી શક્યા અને આટલા લાંબા સમય સુધી તેમને અંતરિક્ષમાં રહેવું પડ્યુ. પરંતુ હાલ નાસા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સ્પેસએક્સનું ક્રુ-10 મિશન તૈયાર છે અને આ વખતે કેપ્સુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી કરીને બંને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે ધરતી પર પાછા લાવી શકાય. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર તેમજ પાછળથી ત્યાં પહોંચેલા અન્ય બે અંતરિક્ષયાત્રીઓ અંદાજિત તારીખ 12 માર્ચ 2025નાં રોજ ધરતી પર પાછા ફરશે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવુ છે કે, બાઈડન પ્રશાસનમાં બન્નેં યાત્રીઓને ધરતી પર પાછા લાવવા પુરતા પ્રયાસો જ કરવામાં આવ્યા નથી. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.