એક દાયકામાં 70 હજાર ભારતીયોએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા, 40% સાથે ગોવા મોખરે, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-06-27 20:40:06

છેલ્લા એક દાયકામાં લગભગ 70,000 ભારતીયોએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, 2011 અને 2022 વચ્ચે, 69,303 ભારતીયોએ દેશના વિવિધ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. પાસપોર્ટ સરેન્ડર કરનારા 90 ટકા લોકો ગોવા, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, દિલ્હી અને ચંદીગઢના છે. એક અખબાર દ્વારા કરવામાં આવેલી RTI  (Right to Information)ના જવાબમાં MEA (વિદેશ મંત્રાલય) દ્વારા શેર કરવામાં આવેલા આંકડા મુજબ, 2011 અને 2022 વચ્ચે સરેન્ડર કરવામાં આવેલા 69,303 પાસપોર્ટમાંથી 40.45 ટકા ગોવામાં પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસમાં સરેન્ડર કરવામાં આવ્યા હતા.


કયા રાજ્યમાં કેટલા લોકોએ પાસપોર્ટ સરેન્ડર કર્યા?


ગોવામાં સૌથી વધુ પાસપોર્ટ સરેન્ડર થયા દેશમાં 69,303 પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ 28,031 પાસપોર્ટ ગોવામાં સરન્ડર થયા હતા. આ પછી પંજાબનો નંબર આવે છે. પંજાબમાં (ચંદીગઢ યુટી સહિત) 9557એ આત્મસમર્પણ કર્યું. આ પાસપોર્ટ અમૃતસર, જલંધર અને ચંદીગઢમાં સરેન્ડર કરવામાં આવ્યા હતા. પંજાબ પછી ગુજરાતનો નંબર આવે છે. ગુજરાતના અમદાવાદ અને સુરત આરપીઓમાં 8918 સરેન્ડર થયા હતા.મહારાષ્ટ્રમાં, 6545 લોકોએ નાગપુર, પુણે અને મુંબઈ/થાણે સ્થિત RPO પર તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. જો દેશના દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો અહીં પહેલો નંબર કેરળનો આવે છે. કેરળમાં 3650 પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા. તમિલનાડુમાં પાસપોર્ટ સરેન્ડર કરનારાઓની સંખ્યા 2946 છે.


પાસપોર્ટ સરેન્ડર કરનારા લોકોની સંખ્યા વધી


ભારતમાં RPOમાં સરેન્ડર કરાયેલા પાસપોર્ટનું વર્ષ મુજબનું વિશ્લેષણ દર્શાવે છે કે 2011માં માત્ર 239 પાસપોર્ટ સરેન્ડર થયા હતા, પરંતુ પછીના બે વર્ષમાં આ સંખ્યામાં વધારો થયો હતો. વર્ષ 2012માં 11,492 પાસપોર્ટ સરેન્ડર થયા હતા અને 2013માં 23,511 પાસપોર્ટ સરેન્ડર થયા હતા. વર્ષ 2012 અને 2013ને બાદ કરો તો, ગોવામાં દર વર્ષે સૌથી વધુ પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા. 2014 માં, સમગ્ર દેશમાં 90% પાસપોર્ટ ગોવાના RPOમાં સરેન્ડર કરવામાં આવ્યા હતા.


પોર્ટુગલ સાથેનું કનેક્શન એક મોટું કારણ 


ગોવાના લોકોએ સૌથી વધુ સંખ્યામાં તેમનો ભારતીય પાસપોર્ટ પાસપોર્ટ સરેન્ડર કર્યો છે. તેનું કારણ એ છે કે પોર્ટુગલ 1961 પહેલા ગોવામાં જન્મેલા લોકોને અને તેમની બે ભાવિ પેઢીઓને પોર્ટુગીઝ નાગરિક તરીકે રજિસ્ટર કરાવવાનો વિકલ્પ આપે છે. ગોવા વર્ષ 1961માં પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું. ઘણા દેશોમાં પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવતા લોકોને વિઝા-મુક્ત પ્રવેશ આપવામાં આવે છે. આ દેશોમાં UK અને EUનો પણ સમાવેશ થાય છે. પોર્ટુગલ 1986 થી EU (યુરોપિયન યુનિયન) નું સભ્ય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.