એક દાયકામાં 70 હજાર ભારતીયોએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા, 40% સાથે ગોવા મોખરે, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-06-27 20:40:06

છેલ્લા એક દાયકામાં લગભગ 70,000 ભારતીયોએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, 2011 અને 2022 વચ્ચે, 69,303 ભારતીયોએ દેશના વિવિધ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. પાસપોર્ટ સરેન્ડર કરનારા 90 ટકા લોકો ગોવા, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, દિલ્હી અને ચંદીગઢના છે. એક અખબાર દ્વારા કરવામાં આવેલી RTI  (Right to Information)ના જવાબમાં MEA (વિદેશ મંત્રાલય) દ્વારા શેર કરવામાં આવેલા આંકડા મુજબ, 2011 અને 2022 વચ્ચે સરેન્ડર કરવામાં આવેલા 69,303 પાસપોર્ટમાંથી 40.45 ટકા ગોવામાં પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસમાં સરેન્ડર કરવામાં આવ્યા હતા.


કયા રાજ્યમાં કેટલા લોકોએ પાસપોર્ટ સરેન્ડર કર્યા?


ગોવામાં સૌથી વધુ પાસપોર્ટ સરેન્ડર થયા દેશમાં 69,303 પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ 28,031 પાસપોર્ટ ગોવામાં સરન્ડર થયા હતા. આ પછી પંજાબનો નંબર આવે છે. પંજાબમાં (ચંદીગઢ યુટી સહિત) 9557એ આત્મસમર્પણ કર્યું. આ પાસપોર્ટ અમૃતસર, જલંધર અને ચંદીગઢમાં સરેન્ડર કરવામાં આવ્યા હતા. પંજાબ પછી ગુજરાતનો નંબર આવે છે. ગુજરાતના અમદાવાદ અને સુરત આરપીઓમાં 8918 સરેન્ડર થયા હતા.મહારાષ્ટ્રમાં, 6545 લોકોએ નાગપુર, પુણે અને મુંબઈ/થાણે સ્થિત RPO પર તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. જો દેશના દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો અહીં પહેલો નંબર કેરળનો આવે છે. કેરળમાં 3650 પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા. તમિલનાડુમાં પાસપોર્ટ સરેન્ડર કરનારાઓની સંખ્યા 2946 છે.


પાસપોર્ટ સરેન્ડર કરનારા લોકોની સંખ્યા વધી


ભારતમાં RPOમાં સરેન્ડર કરાયેલા પાસપોર્ટનું વર્ષ મુજબનું વિશ્લેષણ દર્શાવે છે કે 2011માં માત્ર 239 પાસપોર્ટ સરેન્ડર થયા હતા, પરંતુ પછીના બે વર્ષમાં આ સંખ્યામાં વધારો થયો હતો. વર્ષ 2012માં 11,492 પાસપોર્ટ સરેન્ડર થયા હતા અને 2013માં 23,511 પાસપોર્ટ સરેન્ડર થયા હતા. વર્ષ 2012 અને 2013ને બાદ કરો તો, ગોવામાં દર વર્ષે સૌથી વધુ પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા. 2014 માં, સમગ્ર દેશમાં 90% પાસપોર્ટ ગોવાના RPOમાં સરેન્ડર કરવામાં આવ્યા હતા.


પોર્ટુગલ સાથેનું કનેક્શન એક મોટું કારણ 


ગોવાના લોકોએ સૌથી વધુ સંખ્યામાં તેમનો ભારતીય પાસપોર્ટ પાસપોર્ટ સરેન્ડર કર્યો છે. તેનું કારણ એ છે કે પોર્ટુગલ 1961 પહેલા ગોવામાં જન્મેલા લોકોને અને તેમની બે ભાવિ પેઢીઓને પોર્ટુગીઝ નાગરિક તરીકે રજિસ્ટર કરાવવાનો વિકલ્પ આપે છે. ગોવા વર્ષ 1961માં પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું. ઘણા દેશોમાં પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવતા લોકોને વિઝા-મુક્ત પ્રવેશ આપવામાં આવે છે. આ દેશોમાં UK અને EUનો પણ સમાવેશ થાય છે. પોર્ટુગલ 1986 થી EU (યુરોપિયન યુનિયન) નું સભ્ય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે