એક દાયકામાં 70 હજાર ભારતીયોએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા, 40% સાથે ગોવા મોખરે, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-06-27 20:40:06

છેલ્લા એક દાયકામાં લગભગ 70,000 ભારતીયોએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, 2011 અને 2022 વચ્ચે, 69,303 ભારતીયોએ દેશના વિવિધ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. પાસપોર્ટ સરેન્ડર કરનારા 90 ટકા લોકો ગોવા, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, દિલ્હી અને ચંદીગઢના છે. એક અખબાર દ્વારા કરવામાં આવેલી RTI  (Right to Information)ના જવાબમાં MEA (વિદેશ મંત્રાલય) દ્વારા શેર કરવામાં આવેલા આંકડા મુજબ, 2011 અને 2022 વચ્ચે સરેન્ડર કરવામાં આવેલા 69,303 પાસપોર્ટમાંથી 40.45 ટકા ગોવામાં પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસમાં સરેન્ડર કરવામાં આવ્યા હતા.


કયા રાજ્યમાં કેટલા લોકોએ પાસપોર્ટ સરેન્ડર કર્યા?


ગોવામાં સૌથી વધુ પાસપોર્ટ સરેન્ડર થયા દેશમાં 69,303 પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ 28,031 પાસપોર્ટ ગોવામાં સરન્ડર થયા હતા. આ પછી પંજાબનો નંબર આવે છે. પંજાબમાં (ચંદીગઢ યુટી સહિત) 9557એ આત્મસમર્પણ કર્યું. આ પાસપોર્ટ અમૃતસર, જલંધર અને ચંદીગઢમાં સરેન્ડર કરવામાં આવ્યા હતા. પંજાબ પછી ગુજરાતનો નંબર આવે છે. ગુજરાતના અમદાવાદ અને સુરત આરપીઓમાં 8918 સરેન્ડર થયા હતા.મહારાષ્ટ્રમાં, 6545 લોકોએ નાગપુર, પુણે અને મુંબઈ/થાણે સ્થિત RPO પર તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. જો દેશના દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો અહીં પહેલો નંબર કેરળનો આવે છે. કેરળમાં 3650 પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા. તમિલનાડુમાં પાસપોર્ટ સરેન્ડર કરનારાઓની સંખ્યા 2946 છે.


પાસપોર્ટ સરેન્ડર કરનારા લોકોની સંખ્યા વધી


ભારતમાં RPOમાં સરેન્ડર કરાયેલા પાસપોર્ટનું વર્ષ મુજબનું વિશ્લેષણ દર્શાવે છે કે 2011માં માત્ર 239 પાસપોર્ટ સરેન્ડર થયા હતા, પરંતુ પછીના બે વર્ષમાં આ સંખ્યામાં વધારો થયો હતો. વર્ષ 2012માં 11,492 પાસપોર્ટ સરેન્ડર થયા હતા અને 2013માં 23,511 પાસપોર્ટ સરેન્ડર થયા હતા. વર્ષ 2012 અને 2013ને બાદ કરો તો, ગોવામાં દર વર્ષે સૌથી વધુ પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા. 2014 માં, સમગ્ર દેશમાં 90% પાસપોર્ટ ગોવાના RPOમાં સરેન્ડર કરવામાં આવ્યા હતા.


પોર્ટુગલ સાથેનું કનેક્શન એક મોટું કારણ 


ગોવાના લોકોએ સૌથી વધુ સંખ્યામાં તેમનો ભારતીય પાસપોર્ટ પાસપોર્ટ સરેન્ડર કર્યો છે. તેનું કારણ એ છે કે પોર્ટુગલ 1961 પહેલા ગોવામાં જન્મેલા લોકોને અને તેમની બે ભાવિ પેઢીઓને પોર્ટુગીઝ નાગરિક તરીકે રજિસ્ટર કરાવવાનો વિકલ્પ આપે છે. ગોવા વર્ષ 1961માં પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું. ઘણા દેશોમાં પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવતા લોકોને વિઝા-મુક્ત પ્રવેશ આપવામાં આવે છે. આ દેશોમાં UK અને EUનો પણ સમાવેશ થાય છે. પોર્ટુગલ 1986 થી EU (યુરોપિયન યુનિયન) નું સભ્ય છે.



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.