પ્રધાનમંત્રી તરીકે કેમ થઈ હતી લાલ બહાદુર શાસ્ત્રીજીની નિંદા? પિતાના અવસાન પછી પરિવારની જવાબદારી કોણે સંભાણી? Lal Bahadur Shashri


  • Published By :
  • Published Date : 2023-10-02 23:01:41

આજે આપણા રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય ગાંધીજી અને આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી છે. બાપુને તો દુનિયા જાણે છે અને દેશ સહિત દુનિયાના લોકો પણ બાપુ બાજુ પ્રેરાયા છે. પણ આજે વાત કરવી છે લાલ બહાદુર શાસ્ત્રીની. દેશના એવા નેતાની વાત કરીએ જેનું યોગદાન અમૂલ્યા છે. 

Lal Bahadur Shastri Jayanti 2019: 5 Top Quotes From India Second Prime  Minister

લાલ બહાદુર શાસ્ત્રીજીને પરિજનો નન્હે કહીને બોલાવતા

ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં મુંશી શારદા પ્રસાદ શ્રીવાસ્તવ અને રામદુલારી માને ત્યાં 2 ઓક્ટોબર 1904ના એક દીકરાનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું લાલબહાદુર શ્રીવાસ્તવ. પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા આથી ત્યાંના લોકોમાં તેમનું બહુ માન. લોકો તેના પિતાને મુંશીજી કહીને જ બોલાવતા હતા. પછી લાલબહાદુર શાસ્ત્રીજીના પિતાએ મહેસૂલ વિભાગમાં ક્લાર્કની નોકરી લઈ લીધી. લાલબહાદુર શાસ્ત્રીજી પરિવારમાં સૌથી નાના હતા. માટે તેમને પ્રેમથી બધા નન્હે કહીને જ બોલાવતા હતા. નન્હે જ્યારે 18 મહિનાના થયા ત્યારે તેમના પરિવારમાં એક દુખદ બનાવ બન્યો. લાલ બહાદુર શાસ્ત્રીજીના પિતાનું નિધન થઈ ગયું હતું. પછી રામદુલારી પોતાના પિતા હજારીલાલને ઘરે રહેવા મિર્ઝાપુર ચાલ્યા ગયા. પણ અફસોસ નાનાની જીવન અવધી પણ લાંબી ન રહી, નાનાનું નિધન થયું તો બાપ વગરના નન્હેની જવાબદારી તેમના માસા રઘુનાથ પ્રસાદે લીધી. માસાએ નન્હેના પરિવારને ખૂબ સહાય કરી. 

Lal Bahadur Shastri Jayanti 2020 : જાણો, શાસ્ત્રીજી વિશે કેટલીક બાબતો... |  lal bahadur shastri jayanti 2020 everyone should know these things about  lal bahadur shastri

શ્રીવાસ્તવ અટક હતી તો નામ પાછળ શાસ્ત્રી કેમ લખતા? 

નાનાના જ ઘરમાં નન્હેએ પ્રાથમિક શિક્ષા લીધી. પછીની શિક્ષા તેમણે હરિશ્ચંદ્ર હાઈસ્કૂલ અને પછી લાલ બહાદુર શાસ્ત્રીજીએ કાશી વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો. કાશીથી શાસ્ત્રીની ડિગ્રી મેળવીને તેમણે પોતાની અટક પાછળ શ્રીવાસ્તવની જગ્યાએ શાસ્ત્રી લખવાનું શરૂ કર્યું. તેમનું માનવું હતું કે શ્રીવાસ્તવ જાતિસૂચક નામ હતું. જ્યારે શાસ્ત્રી એક ઉપાધી હતી. અને પછી લાલબહાદુરની નામ પાછળ શાસ્ત્રી જ લખાવા અને બોલાવા લાગ્યું. પછીથી તેમની જીવનની યાત્રા ખૂબ આગળ ચાલી. આગળના દિવસોમાં તેમણે મરો નહીં પણ મારો એવો નારો આપ્યો અને આનાથી દેશમાં એક અલગ જહાલવાદી ક્રાંતિ ચાલી. પછી તેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો. જે આજે પણ દેશના મોઢા પર સાંભળવા મળે છે. 1921માં ગાંધીજીએ અસહયોગનું આંદોલન ચલાવ્યું હતું જેમાં લાલબહાદુર શાસ્ત્રીજીને જેલ પણ થઈ હતી. પછી તેમણે જેલ મુક્ત થઈને રાષ્ટ્રવાદી વિશ્વવિદ્યાલય કાશી વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો અને શાસ્ત્રોમાં વિદ્વાનની ઉપાધી મેળવી. સંસ્કૃતમાં સ્નાતક થઈ શાસ્ત્રીજી રાષ્ટ્રવાદી સંસ્થા સ્વયં સેવક સંઘમાં જોડાયા. અને અહીંથી તેમના જીવનની રાજનીતિની શરૂઆત થઈ. 

લાલ બહાદુર શાસ્ત્રી - જાણો ભારતના એક એવા PM વિશે જેમની પાસે નહોતુ પોતાનુ  ઘર, લોન લઈને ખરીદી હતી કાર

કોણ હતા લાલ બહાદુર શાસ્ત્રીજીના રાજકીય ગુરુ?

શાસ્ત્રીજી સાચા ગાંધીવાદી નેતા હતા. તેમણે ગાંધીજીથી પ્રેરાઈ સાદાઈમાં જ જીવન ગુજાર્યું. ભારતની સ્વતંત્રતાની ચળવળમાં સક્રિયતાથી તેમની ભાગીદારી રહી. જો કે અંગ્રેજો સામે વિરોધ કરવાના કારણે તેમને જેલમાં પણ રહેવું પડ્યું. તેમના રાજનીતિના ગુરુ રહ્યા પુરુષોત્તમદાસ ટંડન અને પંડીત ગોવિંદ બલ્લભ પંત. જો કે પછીથી નેહરુજી પણ તેમના આદર્શ રહ્યા. 1929માં જ્યારે શાસ્ક્ષીજી ઈલ્હાબાદ રહેતા હતા ત્યારે તેમનો પરિચય નેહરુજી સાથે થયો. પછીથી શાસ્ત્રીજીની નેહરુજી સાથે નીકટતા વધી અને નાની ઉંચાઈવાળા શાસ્ત્રીજી દિવસેને દિવસે વ્યક્તિત્વની દ્રષ્ટિએ વિરાટ બનતા ગયા. આવી જ રીતે તે નેહરુજીના મંત્રીમંડળમાં ગૃહમંત્રી પણ રહ્યા હતા. નેહરુજીની તબીયત જ્યારે ખરાબ થતી ત્યારે તેમને શાસ્ત્રીજીની જ મદદ મળતી હતી. જો કે પછી નેહરૂજીના મૃત્યુ પછી શાસ્ક્ષીજી ભારના પ્રધાનમંત્રી બન્યા હતા. 

Lal Bahadur Shastri and Sunil Shastri: the murder released

યુદ્ધ રોકવા તાસ્કંદ ગયા અને...

શાસ્ત્રીજીના સમયમાં ભારત અનેક સમસ્યાઓ સામે લડી રહ્યું હતું માટે તેમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ સંઘર્ષમય રહ્યો. શાસ્ત્રીજીએ ખેડૂતો અને જવાનો પર ખૂબ ધ્યાન આપ્યું કારણ કે યુદ્ધનો એ સમય ભારત જોઈ રહ્યું હતું. દેશના સાચા હીરો અત્યારે અને ત્યારે પણ જવાન અને કિસાન જ હતા. શાસ્ત્રીજીએ આર્થિક સમસ્યાઓને સારી રીતે હેન્ડલ ન કરી તેના કારણે તેમને ટિકાનો સામનો પણ ઘણો કરવો પડ્યો હતો. 1965ના  પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતની ખૂબ પ્રશંસા કરવામાં આવી. એક વર્ષ પછી રશિયાના તાસ્કંદમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયૂબ ખાન સાથે યુદ્ધ ન કરવાની સંધી પર હસ્તાક્ષર કરવા ગયા ત્યારે તેમનું નિધન થયું. જો કે નિધન મામલે હજુ પણ ઘણા સવાલો છે. 1966માં શાસ્ત્રીજીને ભારત રત્નથી સન્માનીત કરવામાં આવ્યા. આજે દેશ તેમની સાદગી, ઈમાનદારી અને દેશભક્તિના કારણે યાદ કરે છે. જય હિંદ, જય ભારત. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.