શેરબજારમાં બન્યો નવો રેકોર્ડ; BSEનું માર્કેટ કેપ GDPથી પણ વધ્યું, પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર


  • Published By :
  • Published Date : 2023-11-29 18:07:14

દેશના અગ્રણી શેરબજાર બીએસઈમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે પહેલી વખત 4 ટ્રિલિયનના સ્તર પર પહોંચી ગયું છે. મુબઈ સ્ટોક માર્કેટના 30 શેરોવાળો સેન્સેક્સ શરૂઆતના ટ્રેડિંગમાં  305.44 પોઈન્ટ વધીને 66,479.64 પોઈન્ટ પર પહોંચી ગયો છે. શેર બજારમાં ખરીદારીના કારણે બિએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ બુધવારે સવારે ટ્રેડિંગમાં 3,33,26,881.49 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 83.31 રૂપિયાના વિનિમય મૂલ્ય પર આ રકમ 4 ટ્રિલિયન ડોલરથી વધુ છે.     


માર્કેટ કેપ 2023માં રૂ.51 લાખ કરોડ વધ્યું


વૈશ્વિક શેર બજારોમાં ભારતીય શેર માર્કેટ પ્રમાણે અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ બાદ પાંચમાં સ્થાન પર છે. જ્યારે નિફ્ટી કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી 10 ટકાથી વધુ મજબુત થયો છે. ભારતના માર્કેટ કેપ 2023માં લગભગ 51 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. આવું નાના અને મિડ કેપ શેરોમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને દલાલ સ્ટ્રીટ પર એક પછી એક આવનારા આઈપીઓના કારણે છે. ભારત મે 2021 માં 3 ટ્રિલિયન ડોલરની ક્લબમાં સામેલ થયું હતું. ઉલ્લેખનિય છે કે લગભગ 48 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપની સાથે અમેરિકા અત્યાર સુધીનું સૌથી મોટું ઈક્વિટી બજાર છે. ત્યાર બાદ ચીન (9.7 ટ્રિલિયન ડોલર) અને જાપાન 6 ટ્રિલિયન ડોલરનો નંબર આવે છે. 


એક વર્ષમાં માર્કેટ કેપ 15 ટકા વધ્યું 


બ્લૂમબર્ગના ડેટા મુજબ આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી ભારતનું માર્કેટ કેપ લગભગ 15 ટકા જેટલું વધ્યું છે. જ્યારે ચીનના માર્કેટ કેપમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે. ટોપ-10 માર્કેટ ક્લબમાં અમેરિકા એક માત્ર એવું માર્કેટ છે જે 17 ટકા સાથે ભારતની તુલનામાં તેજીથી આગળ વધી રહ્યું છે. આ વર્ષે દુનિયાના તમામ માર્કેટનું કુલ માર્કેટ કેપ 10 ટકા વધીને 106 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.