શેરબજારમાં બન્યો નવો રેકોર્ડ; BSEનું માર્કેટ કેપ GDPથી પણ વધ્યું, પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર


  • Published By :
  • Published Date : 2023-11-29 18:07:14

દેશના અગ્રણી શેરબજાર બીએસઈમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે પહેલી વખત 4 ટ્રિલિયનના સ્તર પર પહોંચી ગયું છે. મુબઈ સ્ટોક માર્કેટના 30 શેરોવાળો સેન્સેક્સ શરૂઆતના ટ્રેડિંગમાં  305.44 પોઈન્ટ વધીને 66,479.64 પોઈન્ટ પર પહોંચી ગયો છે. શેર બજારમાં ખરીદારીના કારણે બિએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ બુધવારે સવારે ટ્રેડિંગમાં 3,33,26,881.49 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 83.31 રૂપિયાના વિનિમય મૂલ્ય પર આ રકમ 4 ટ્રિલિયન ડોલરથી વધુ છે.     


માર્કેટ કેપ 2023માં રૂ.51 લાખ કરોડ વધ્યું


વૈશ્વિક શેર બજારોમાં ભારતીય શેર માર્કેટ પ્રમાણે અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ બાદ પાંચમાં સ્થાન પર છે. જ્યારે નિફ્ટી કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી 10 ટકાથી વધુ મજબુત થયો છે. ભારતના માર્કેટ કેપ 2023માં લગભગ 51 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. આવું નાના અને મિડ કેપ શેરોમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને દલાલ સ્ટ્રીટ પર એક પછી એક આવનારા આઈપીઓના કારણે છે. ભારત મે 2021 માં 3 ટ્રિલિયન ડોલરની ક્લબમાં સામેલ થયું હતું. ઉલ્લેખનિય છે કે લગભગ 48 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપની સાથે અમેરિકા અત્યાર સુધીનું સૌથી મોટું ઈક્વિટી બજાર છે. ત્યાર બાદ ચીન (9.7 ટ્રિલિયન ડોલર) અને જાપાન 6 ટ્રિલિયન ડોલરનો નંબર આવે છે. 


એક વર્ષમાં માર્કેટ કેપ 15 ટકા વધ્યું 


બ્લૂમબર્ગના ડેટા મુજબ આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી ભારતનું માર્કેટ કેપ લગભગ 15 ટકા જેટલું વધ્યું છે. જ્યારે ચીનના માર્કેટ કેપમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે. ટોપ-10 માર્કેટ ક્લબમાં અમેરિકા એક માત્ર એવું માર્કેટ છે જે 17 ટકા સાથે ભારતની તુલનામાં તેજીથી આગળ વધી રહ્યું છે. આ વર્ષે દુનિયાના તમામ માર્કેટનું કુલ માર્કેટ કેપ 10 ટકા વધીને 106 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.