શેરબજારમાં બન્યો નવો રેકોર્ડ; BSEનું માર્કેટ કેપ GDPથી પણ વધ્યું, પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર


  • Published By :
  • Published Date : 2023-11-29 18:07:14

દેશના અગ્રણી શેરબજાર બીએસઈમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે પહેલી વખત 4 ટ્રિલિયનના સ્તર પર પહોંચી ગયું છે. મુબઈ સ્ટોક માર્કેટના 30 શેરોવાળો સેન્સેક્સ શરૂઆતના ટ્રેડિંગમાં  305.44 પોઈન્ટ વધીને 66,479.64 પોઈન્ટ પર પહોંચી ગયો છે. શેર બજારમાં ખરીદારીના કારણે બિએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ બુધવારે સવારે ટ્રેડિંગમાં 3,33,26,881.49 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 83.31 રૂપિયાના વિનિમય મૂલ્ય પર આ રકમ 4 ટ્રિલિયન ડોલરથી વધુ છે.     


માર્કેટ કેપ 2023માં રૂ.51 લાખ કરોડ વધ્યું


વૈશ્વિક શેર બજારોમાં ભારતીય શેર માર્કેટ પ્રમાણે અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ બાદ પાંચમાં સ્થાન પર છે. જ્યારે નિફ્ટી કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી 10 ટકાથી વધુ મજબુત થયો છે. ભારતના માર્કેટ કેપ 2023માં લગભગ 51 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. આવું નાના અને મિડ કેપ શેરોમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને દલાલ સ્ટ્રીટ પર એક પછી એક આવનારા આઈપીઓના કારણે છે. ભારત મે 2021 માં 3 ટ્રિલિયન ડોલરની ક્લબમાં સામેલ થયું હતું. ઉલ્લેખનિય છે કે લગભગ 48 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપની સાથે અમેરિકા અત્યાર સુધીનું સૌથી મોટું ઈક્વિટી બજાર છે. ત્યાર બાદ ચીન (9.7 ટ્રિલિયન ડોલર) અને જાપાન 6 ટ્રિલિયન ડોલરનો નંબર આવે છે. 


એક વર્ષમાં માર્કેટ કેપ 15 ટકા વધ્યું 


બ્લૂમબર્ગના ડેટા મુજબ આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી ભારતનું માર્કેટ કેપ લગભગ 15 ટકા જેટલું વધ્યું છે. જ્યારે ચીનના માર્કેટ કેપમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે. ટોપ-10 માર્કેટ ક્લબમાં અમેરિકા એક માત્ર એવું માર્કેટ છે જે 17 ટકા સાથે ભારતની તુલનામાં તેજીથી આગળ વધી રહ્યું છે. આ વર્ષે દુનિયાના તમામ માર્કેટનું કુલ માર્કેટ કેપ 10 ટકા વધીને 106 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.