શેરબજારમાં બન્યો નવો રેકોર્ડ; BSEનું માર્કેટ કેપ GDPથી પણ વધ્યું, પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર


  • Published By :
  • Published Date : 2023-11-29 18:07:14

દેશના અગ્રણી શેરબજાર બીએસઈમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે પહેલી વખત 4 ટ્રિલિયનના સ્તર પર પહોંચી ગયું છે. મુબઈ સ્ટોક માર્કેટના 30 શેરોવાળો સેન્સેક્સ શરૂઆતના ટ્રેડિંગમાં  305.44 પોઈન્ટ વધીને 66,479.64 પોઈન્ટ પર પહોંચી ગયો છે. શેર બજારમાં ખરીદારીના કારણે બિએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ બુધવારે સવારે ટ્રેડિંગમાં 3,33,26,881.49 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 83.31 રૂપિયાના વિનિમય મૂલ્ય પર આ રકમ 4 ટ્રિલિયન ડોલરથી વધુ છે.     


માર્કેટ કેપ 2023માં રૂ.51 લાખ કરોડ વધ્યું


વૈશ્વિક શેર બજારોમાં ભારતીય શેર માર્કેટ પ્રમાણે અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ બાદ પાંચમાં સ્થાન પર છે. જ્યારે નિફ્ટી કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી 10 ટકાથી વધુ મજબુત થયો છે. ભારતના માર્કેટ કેપ 2023માં લગભગ 51 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. આવું નાના અને મિડ કેપ શેરોમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને દલાલ સ્ટ્રીટ પર એક પછી એક આવનારા આઈપીઓના કારણે છે. ભારત મે 2021 માં 3 ટ્રિલિયન ડોલરની ક્લબમાં સામેલ થયું હતું. ઉલ્લેખનિય છે કે લગભગ 48 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપની સાથે અમેરિકા અત્યાર સુધીનું સૌથી મોટું ઈક્વિટી બજાર છે. ત્યાર બાદ ચીન (9.7 ટ્રિલિયન ડોલર) અને જાપાન 6 ટ્રિલિયન ડોલરનો નંબર આવે છે. 


એક વર્ષમાં માર્કેટ કેપ 15 ટકા વધ્યું 


બ્લૂમબર્ગના ડેટા મુજબ આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી ભારતનું માર્કેટ કેપ લગભગ 15 ટકા જેટલું વધ્યું છે. જ્યારે ચીનના માર્કેટ કેપમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે. ટોપ-10 માર્કેટ ક્લબમાં અમેરિકા એક માત્ર એવું માર્કેટ છે જે 17 ટકા સાથે ભારતની તુલનામાં તેજીથી આગળ વધી રહ્યું છે. આ વર્ષે દુનિયાના તમામ માર્કેટનું કુલ માર્કેટ કેપ 10 ટકા વધીને 106 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે.



મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.