વિશ્વમાં મંદીનો માર, પણ ભારતીય શેરબજારમાં આગ ઝરતી તેજી શા માટે? જાણો કારણ


  • Published By :
  • Published Date : 2022-12-19 17:30:36

વૈશ્વિક અર્થતંત્ર ઐતિહાસિક રીતે ઊંચા સ્તરના ફુગાવા, વૃદ્ધિમાં મંદી અને ઊર્જાના વધતા ભાવ સામે લડી રહ્યું છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના અને રશિયા-યુક્રેન યુધ્ધના કારણે ભયાનક મંદીની સ્થિતી સર્જાઈ છે, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, અને જાપાનમાં સતત શેર બજાર તુટી રહ્યા છે. વિશ્વની અગ્રણી કંપનીઓ છટણી કરી રહી છે. જો કે આ પરિસ્થિતીમાં પણ ભારતના શેર બજારોમાં ફુલગુલાબી તેજી જોવા મળી રહી છે. અર્થતંત્રના નિષ્ણાતો ભારતની આ તેજીને છેતરામણી ગણાવે છે જો કે ભારતીય શેર માર્કેટ શા માટે ઉછાળા મારી રહ્યું છે અને નિતનવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આજે પણ સેન્સેક્સ 468 પોઈન્ટ વધીને 61, 806 જ્યારે નિફ્ટી 151 પોઈન્ટ ઉછળીને 18,420 થયો છે.


સ્થાનિકો રોકાણકારોનો ઉત્સાહ


વિશ્વના શેર બજારોથી વિપરીત ભારતીય શેર માર્કેટમાં તેજીનું મુખ્ય કારણ ભારતના લોકોનું બદલાયેલું વલણ છે. ભારતના લોકો હવે શેર બજારમાં મળતા જબરદસ્ત રિટર્નથી આકર્ષાયા છે. એક સમયે શેર બજાર એટલે સટ્ટા બજાર એવી માન્યતા હતી પણ કોરોના કાળ બાદ રિટેલ ઈન્વેસ્ટરોએ મોટા પ્રમાણમાં શેર બજારમાં મૂડી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. આજે પણ દેશમાં 10 કરોડથી વધુ રિટેલ રોકાણકારો છે અને રસપ્રદ બાબત એ છે કે આ સંખ્યા સતત વધી રહી છે. આ રિટેલ રોકાણકારો દેશમાં મોટા પ્રમાણમાં તેમની બચતનું રોકાણ શેર બજારમાં કરે છે. તે  જ પ્રકારે અપ્રત્યક્ષ રીતે એટલે કે મ્યુચ્યુએલ ફંડ મારફતે પણ લોકો દર મહિને SIP સ્વરૂપે પૈસા રોકાણ કરે છે. જેમ કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ પ્રવાહ 2021 ના સમાન સમયગાળામાં ₹1,02,711 કરોડની જ્યારે આ વર્ષના છેલ્લા 11 મહિનામાં તે 32 ટકા વધીને ₹1,35,864 કરોડ થયો છે. આ દર્શાવે છે કે દેશમાં રિટેલ રોકાણકારોનું યોગદાન સતત વધી રહ્યું છે. બેંકોમાં એફ ડી રેટ ઘટી રહ્યા હોવાથી પણ હવે  મોટા પ્રમાણમાં લોકો શેર બજાર અને મ્યુચ્યુફંડ તરફ વળ્યા છે. 


આર્થિક વિકાસનું ઉજ્જવણ ભાવી


વિશ્વના લગભગ તમામ મોટા વિદેશી બ્રોકરેજ હાઉસ પણ ભારતને લઈ બુલિસ વલણ ધરાવે છે. જેફરીઝ, મોર્ગન સ્ટેનલી, CLSA,ક્રેડિટ સૂઇસ, નોમુરા,સિટી બેન્ક, ડોએચે બેન્ક સહિતની બ્રોકરેજ કંપનીઓ ભારતના વિકાસને લઈ આશ્વસ્ત છે.  જેમ કે વિખ્યાત મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ છે કે દેશની જીડીપી 2031 સુધી બે ગણી થઈ જશે. અને શેર બજાર વાર્ષિક ધોરણે 11 ટકાનું રિટર્ન આપશે, મોર્ગન સ્ટેન્લીના અનુમાન મુજબ ડિસેમ્બર 2023 સુધી  80 હજારને સ્પર્શી શકે છે. ભારતીય અર્થતંત્ર આ દાયકાના અંત પહેલા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.  


નિયંત્રિત ક્રૂડના ભાવ


ભારત માટે સસ્તુ ક્રૂડ લાઈફ લાઈન સમાન છે કારણ કે દુનિયામાં ક્રૂડની આયાતમાં ભારત ચીન પછી બીજા ક્રમે આવે છે.  યુરોપ અને અમેરિકામાં ક્રૂડ મોટી સમસ્યા બન્યું છે. રશિયા પર પ્રતિબંધો બાદ અમેરિકા સહિત યુરોપના વિવિધ દેશોએ રશિયાના ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદવાનું બંધ કર્યું છે. જેના કારણે ક્રૂડના ભાવ વૈશ્વિક સ્તરે વધ્યા છે પણ ભારતે સસ્તા દરે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ચાલુ જ રાખ્યું છે. રશિયા પણ ભારતને ડિસ્કાઉન્ટ રેટથી ક્રૂડની નિકાસ કરી રહ્યું છે. ભારતમાં ક્રૂડના ભાવ નિયંત્રણમાં રહેતા અન્ય તમામ જીવન જરૂરિયાતના ભાવ કાબુમાં રહે છે.


મજબુત સ્થાનિક બજાર 


ભારતીય કંપનીઓ સ્થાનિક બજારો પર આધારીત છે કંપની દેશની 135 કરોડની વસ્તી માટે ઉત્પાદન કરે છે. ભારતીય કંપનીઓ નિકાસ કરતા સ્થાનિક લોકોની માગ સંતોષવા પર ફોકસ વધુ કરે છે. આ કારણે જ ભારતની તમામ મોટી મેન્યુફેક્ચરીગ, ઓટો, ગેસ એન્ડ ઓઈલ, એફએમસીજી, લેધર, ટેક્સટાઈલ સેક્ટરની કંપનીઓ ભારતના લોકોને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરે છે. ભારતના ગ્રાહકો આ ચીજો ખરીદતા હોવાથી કંપનીઓનો નફો જળવાઈ રહે છે, અને આ રીતે અર્થતંત્ર સતત ધબકતુ રહે છે.


દેશમાં સ્થિર સરકાર


કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે સ્થિર સરકાર પૂર્વ શરત છે. ભારતમાં છેલ્લા 8 વર્ષથી મોદી સરકાર અને તે પહેલા 10 વર્ષ મનમોહન સિંહ સરકાર હતી. મજબુત સરકાર અર્થતંત્રના વિકાસ, નિકાસ વૃધ્ધી, માળખાગત સુવિધાનો વિકાસ, કંપનીઓને આર્થિક મદદ સહિતની વિવિધ યોજના દ્વારા અર્થવ્યવસ્થાને ધબકતી રાખે છે. આ બધા કારણોથી કંપનીઓની નફાવૃધ્ધી થતી રહે છે અને તેનો લાભ જેતે કંપનીઓના રોકાણકારોને થાય છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.