BCCIએ ખેલાડીઓની મસ્તીનો વીડિયો શેઅર કર્યો, જુઓ ટીમ ઈન્ડિયાએ કેવી રીતે હોળીની ઉજવણી કરી


  • Published By :
  • Published Date : 2023-03-08 14:49:27

BCCIએ ભારતીય ટીમના હોળી સેલિબ્રેશનનો સંપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પહેલા ખેલાડીઓએ સેલિબ્રેશનના અમુક ભાગનો વીડિયો શેર કર્યો હતો, જેમાં વિરાટ કોહલી, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. BCCIએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં હોટલથી હોળીની ઉજવણી શરૂ થાય છે. કેપ્ટન રોહિત શર્માએ સપોર્ટ સ્ટાફના સભ્યોને રંગો લગાવીને હોળીની ઉજવણીની શરૂઆત કરી. આ પછી, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિત ટીમના તમામ ખેલાડીઓને રંગ લગાવી રહ્યા છે. 


સાવધાની સાથે હોળીની ઉજવણી


ટીમ ઈન્ડિયાના તમામ સભ્યો પણ રોહિતને રંગ લગાવતા વીડિયોમાં જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમ હોળીની હોટેલમાં શરૂ થતી ઉજવણી બસ સુધી પહોંચે છે. અહીં તમામ ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. જો કે, ખેલાડીઓ એકબીજા પર રંગ લગાવતી વખતે, ખેલાડીઓ એકબીજાની આંખ અને કાનનું પણ ધ્યાન રાખે છે. વીડિયોમાં એક સપોર્ટ સ્ટાફ રોહિત શર્માને આંખ બંધ કરવાનું કહેતો સાંભળી શકાય છે. રોહિતે આંખો બંધ કરી પછી જ તેના પર ગુલાલ ફેંકાયો હતો.



શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.