BCCIએ ખેલાડીઓની મસ્તીનો વીડિયો શેઅર કર્યો, જુઓ ટીમ ઈન્ડિયાએ કેવી રીતે હોળીની ઉજવણી કરી


  • Published By :
  • Published Date : 2023-03-08 14:49:27

BCCIએ ભારતીય ટીમના હોળી સેલિબ્રેશનનો સંપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પહેલા ખેલાડીઓએ સેલિબ્રેશનના અમુક ભાગનો વીડિયો શેર કર્યો હતો, જેમાં વિરાટ કોહલી, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. BCCIએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં હોટલથી હોળીની ઉજવણી શરૂ થાય છે. કેપ્ટન રોહિત શર્માએ સપોર્ટ સ્ટાફના સભ્યોને રંગો લગાવીને હોળીની ઉજવણીની શરૂઆત કરી. આ પછી, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિત ટીમના તમામ ખેલાડીઓને રંગ લગાવી રહ્યા છે. 


સાવધાની સાથે હોળીની ઉજવણી


ટીમ ઈન્ડિયાના તમામ સભ્યો પણ રોહિતને રંગ લગાવતા વીડિયોમાં જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમ હોળીની હોટેલમાં શરૂ થતી ઉજવણી બસ સુધી પહોંચે છે. અહીં તમામ ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. જો કે, ખેલાડીઓ એકબીજા પર રંગ લગાવતી વખતે, ખેલાડીઓ એકબીજાની આંખ અને કાનનું પણ ધ્યાન રાખે છે. વીડિયોમાં એક સપોર્ટ સ્ટાફ રોહિત શર્માને આંખ બંધ કરવાનું કહેતો સાંભળી શકાય છે. રોહિતે આંખો બંધ કરી પછી જ તેના પર ગુલાલ ફેંકાયો હતો.



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.