BCCIએ ખેલાડીઓની મસ્તીનો વીડિયો શેઅર કર્યો, જુઓ ટીમ ઈન્ડિયાએ કેવી રીતે હોળીની ઉજવણી કરી


  • Published By :
  • Published Date : 2023-03-08 14:49:27

BCCIએ ભારતીય ટીમના હોળી સેલિબ્રેશનનો સંપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પહેલા ખેલાડીઓએ સેલિબ્રેશનના અમુક ભાગનો વીડિયો શેર કર્યો હતો, જેમાં વિરાટ કોહલી, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. BCCIએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં હોટલથી હોળીની ઉજવણી શરૂ થાય છે. કેપ્ટન રોહિત શર્માએ સપોર્ટ સ્ટાફના સભ્યોને રંગો લગાવીને હોળીની ઉજવણીની શરૂઆત કરી. આ પછી, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિત ટીમના તમામ ખેલાડીઓને રંગ લગાવી રહ્યા છે. 


સાવધાની સાથે હોળીની ઉજવણી


ટીમ ઈન્ડિયાના તમામ સભ્યો પણ રોહિતને રંગ લગાવતા વીડિયોમાં જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમ હોળીની હોટેલમાં શરૂ થતી ઉજવણી બસ સુધી પહોંચે છે. અહીં તમામ ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. જો કે, ખેલાડીઓ એકબીજા પર રંગ લગાવતી વખતે, ખેલાડીઓ એકબીજાની આંખ અને કાનનું પણ ધ્યાન રાખે છે. વીડિયોમાં એક સપોર્ટ સ્ટાફ રોહિત શર્માને આંખ બંધ કરવાનું કહેતો સાંભળી શકાય છે. રોહિતે આંખો બંધ કરી પછી જ તેના પર ગુલાલ ફેંકાયો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.