હોળી પર ભારતીય ટીમની મસ્તી, રંગ બરસે ગીત પર કોહલીએ કર્યો ડાન્સ, રોહિતે ઉડાવ્યો ગુલાલ


  • Published By :
  • Published Date : 2023-03-07 19:11:15

ભારતીય ક્રિકેટ ટીમ હોળીના અવસર પર અમદાવાદ ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. ઈન્દોરમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અમદાવાદ ટેસ્ટ જીતીને શ્રેણી જીતવા ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. આ કારણે આખી ટીમ આગામી મેચની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ખેલાડીઓએ ટીમ બસમાં જ હોળીની ઉજવણી કરી હતી. ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલે હોળીની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.


વીડિયો વાયરલ


હોળીની ઉજવણીના આ વીડિયોમાં વિરાટ કોહલી સૌથી આગળ હોળીની ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે. તે કમ ડાઉન અને રંગ બરસે ગીતો પર ડાન્સ કરી રહ્યો છે. તે જ સમયે, કેપ્ટન રોહિત શર્મા તેના પર પાછળથી ગુલાલ ઉડાડી રહ્યો છે. શ્રેયસ અય્યર સહિત ટીમના તમામ ખેલાડીઓ રંગબેરંગી ગુલાલથી રંગાયેલા છે. ટીમનો સપોર્ટ સ્ટાફ પણ હોળીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યો છે.


ઈશાન કિશને વીડિયો શેર કર્યો 


ઈશાન કિશને હોળીની ઉજવણી કરતી ભારતીય ટીમનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તમામ ખેલાડીઓ બૂમો પાડીને હોળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ વીડિયોમાં પણ તમામ ખેલાડીઓ રંગબેરંગી જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરતા ઈશાને લખ્યું કે બધાને હોળીની શુભકામનાઓ. 


RCBની ટીમે પણ હોળીની મજા માણી


ભારતીય ટીમ ઉપરાંત મહિલા પ્રીમિયર લીગમાં RCBની ટીમમાં સામેલ ખેલાડીઓએ પણ હોળીની મજા માણી હતી. આ પ્રસંગે વિદેશી ખેલાડીઓ પણ રંગબેરંગી ગુલાલમાં સજ્જ જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીએ પણ જોરદાર હોળી રમી અને તેની તસવીરો પણ શેર કરી. જ્યારે માસ્ટર બ્લાસ્ટર ખેલાડી સચિન તેંડુલકરે પણ હોળી રમ્યા બાદ પોતાનો ફોટો શેર કરતી વખતે ચાહકોને પૂછ્યું કે તેમના હાથમાં શું છે?




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.