હોળી પર ભારતીય ટીમની મસ્તી, રંગ બરસે ગીત પર કોહલીએ કર્યો ડાન્સ, રોહિતે ઉડાવ્યો ગુલાલ


  • Published By :
  • Published Date : 2023-03-07 19:11:15

ભારતીય ક્રિકેટ ટીમ હોળીના અવસર પર અમદાવાદ ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. ઈન્દોરમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અમદાવાદ ટેસ્ટ જીતીને શ્રેણી જીતવા ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. આ કારણે આખી ટીમ આગામી મેચની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ખેલાડીઓએ ટીમ બસમાં જ હોળીની ઉજવણી કરી હતી. ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલે હોળીની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.


વીડિયો વાયરલ


હોળીની ઉજવણીના આ વીડિયોમાં વિરાટ કોહલી સૌથી આગળ હોળીની ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે. તે કમ ડાઉન અને રંગ બરસે ગીતો પર ડાન્સ કરી રહ્યો છે. તે જ સમયે, કેપ્ટન રોહિત શર્મા તેના પર પાછળથી ગુલાલ ઉડાડી રહ્યો છે. શ્રેયસ અય્યર સહિત ટીમના તમામ ખેલાડીઓ રંગબેરંગી ગુલાલથી રંગાયેલા છે. ટીમનો સપોર્ટ સ્ટાફ પણ હોળીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યો છે.


ઈશાન કિશને વીડિયો શેર કર્યો 


ઈશાન કિશને હોળીની ઉજવણી કરતી ભારતીય ટીમનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તમામ ખેલાડીઓ બૂમો પાડીને હોળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ વીડિયોમાં પણ તમામ ખેલાડીઓ રંગબેરંગી જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરતા ઈશાને લખ્યું કે બધાને હોળીની શુભકામનાઓ. 


RCBની ટીમે પણ હોળીની મજા માણી


ભારતીય ટીમ ઉપરાંત મહિલા પ્રીમિયર લીગમાં RCBની ટીમમાં સામેલ ખેલાડીઓએ પણ હોળીની મજા માણી હતી. આ પ્રસંગે વિદેશી ખેલાડીઓ પણ રંગબેરંગી ગુલાલમાં સજ્જ જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીએ પણ જોરદાર હોળી રમી અને તેની તસવીરો પણ શેર કરી. જ્યારે માસ્ટર બ્લાસ્ટર ખેલાડી સચિન તેંડુલકરે પણ હોળી રમ્યા બાદ પોતાનો ફોટો શેર કરતી વખતે ચાહકોને પૂછ્યું કે તેમના હાથમાં શું છે?




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.