President Droupadi Murmuના હસ્તે Indian Teamના ફાસ્ટ બોલર Mohammed Shamiને એનાયત કરાયો Arjun Award, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-09 15:47:34

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ મળ્યો છે. 2023 માટે તેમની પસંદગી કરવામાં આવી છે. મંગળવાર એટલે આજે તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 28માં ખેલાડી શમી બની ગયા છે જેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બે વર્ષ પછી કોઈ ક્રિકેટરને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. 2021માં શિખર ધવનને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. વન ડે વર્લ્ડ કપમાં શાનદાર પરફોમ્સ કરવા બદલ શમીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.  

કોને શેમાં મળ્યો એવોર્ડ? 

આજે રાષ્ટ્રીય રમત એવોર્ડ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે એક ઔપચારિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેલાડીઓને એવોર્ડ સુપ્રરત કરાયો છે. 26 ખેલાડીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય ટીમના  ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. આર્ચરીમાં અદિતિ સ્વામી તેમજ ઓજસ પ્રવીણ દેવતાલને એવોર્ડ આપવામાં આવ્યો છે. એથ્લેટિક્સમાં શ્રીશંકર એમ, પારૂલ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. બોક્સિંગમાં મોહમ્મદ હુસામુદ્દીન, ચેસમાં આર વૈશાલી, ક્રિકેટમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી છે. હોર્સ રાઈડિંગમાં અનુષ અગ્રવાલ, દિવ્યાકૃતિ સિંહને એવોર્ડ આપવામાં આવ્યો છે.


કોની શેમાં કરાઈ પસંદગી? 

ગોલ્ફમાં દીક્ષા ડાગર, હોકીમાં કૃષ્ણ બહાદુર પાઠક તેમજ પુખરામબમ સુશીલા યાનુની પસંદગી કરવામાં આવી છે. કબડ્ડીમાં એવોર્ડ પવન કુમાર, રિતુ નેગીને એનાયત કરવામાં આવ્યો છે. ખો-ખોમાં નસરીન, પિંકીમાં લોન બાઉલ્સની પસંદગી કરવામાં આવી છે. શૂટિંગમાં ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, ઈશા સિંહની પસંદગી કરવામાં આવી છે. સ્કવોશમાં હરિન્દર પાલ સિંહ સંધુ, ટેબલ ટેનિસમાં આહિકા મુખર્જી, રેસલિંગમાં સુનીલ કુમાર, અંતિમ પંઘલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વુશુમાં એન.દેવી, પેરા આર્ચરીમાં શીતલ દેવી, બ્લાઈન્ડ ક્રિકેટમાં ઈલ્લુરી રેડ્ડીની પસંદગી કરવામાં આવી છે. પ્રાચી યાદવની પસંદગી પેરા કેનોઈંગમાં કરવામાં આવી છે.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.