ભારતની 71% વસ્તી પોષણયુક્ત ખોરાક ખરીદવા અસક્ષમ: રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:38:09

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE

ભારતની 70% વસ્તી પૌષ્ટિક ખોરાક ખરીદી શકતી નથી. હાલમાં જ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ અને ડાઉન ટુ અર્થ મેગેઝીનના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. કુપોષણને કારણે થતા રોગોમાં શ્વસન સમસ્યાઓ, ડાયાબિટીસ, કેન્સર, સ્ટ્રોક અને કોરોનરી હૃદય રોગ વગેરેનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ અનુસાર, હેલ્ધી ડાયટમાં સામેલ  63 ટકા વસ્તુઓ ભારતના લોકોની પહોંચની બહાર છે.


કુપોષણથી 17 લાખ લોકોના મોત


આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફળ, શાકભાજી અને માંસ જેવી ખાદ્ય વસ્તુઓ ખરીદવાનો ખર્ચ દેશની મોટી વસ્તીની ખરીદ શક્તીની બહાર છે. ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ 2021 મુજબ, ભારતની 71% વસ્તી પોષણયુક્ત ખોરાક ખરીદવા માટે સક્ષમ નથી. આ કિસ્સામાં વિશ્વની સરેરાશ 42 ટકા છે. જો આપણે પૌષ્ટિક ખોરાકની વાત કરીએ તો તેમાં ફળો, શાકભાજી, સૂકા ફળો અને માંસ-માછલી વગેરેનો સમાવેશ થાય છે. કુપોષણ અને તેનાથી થતા રોગોના કારણે દેશભરમાં દર વર્ષે 17 લાખ લોકો મૃત્યુ પામે છે.


કુપોષણનું કારણ અસહ્ય મોંઘવારી


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધતી જતી મોંઘવારીને કારણે છેલ્લા બે વર્ષમાં પૌષ્ટિક ખોરાક લોકોની પહોંચની બહાર છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ફુગાવો એક વર્ષમાં 327 ટકા વધ્યો છે. જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 84 ટકા વધ્યો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો થવાનું સૌથી મોટું કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માછલી, દૂધ-દહીં, ચીઝ અને માંસ વગેરેનું સેવન કરવું લોકોની પહોંચની બહાર થઈ ગયું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 20 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને રોજ માત્ર 36 ગ્રામ ફળ મળે છે, જ્યારે તે દરરોજ 200 ગ્રામ લેવું જોઈએ.


આ સાથે શાકભાજીનો જથ્થો દૈનિક 300 ગ્રામને બદલે માત્ર 168 ગ્રામ જ મળે છે. જો આપણે ખોરાક વિશે વાત કરીએ, તો ભારતની મોટાભાગની વસ્તી પોષક આહારના દૈનિક લક્ષ્યના એક ક્વાર્ટરને પણ પૂર્ણ કરવામાં અસમર્થ છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ બાબતમાં થોડો સુધારો થયો છે, પરંતુ લોકોને પૌષ્ટિક આહાર આપવાની કવાયત હજુ પણ સફળ થતી જણાતી નથી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.