ભારતની 71% વસ્તી પોષણયુક્ત ખોરાક ખરીદવા અસક્ષમ: રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:38:09

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE

ભારતની 70% વસ્તી પૌષ્ટિક ખોરાક ખરીદી શકતી નથી. હાલમાં જ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ અને ડાઉન ટુ અર્થ મેગેઝીનના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. કુપોષણને કારણે થતા રોગોમાં શ્વસન સમસ્યાઓ, ડાયાબિટીસ, કેન્સર, સ્ટ્રોક અને કોરોનરી હૃદય રોગ વગેરેનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ અનુસાર, હેલ્ધી ડાયટમાં સામેલ  63 ટકા વસ્તુઓ ભારતના લોકોની પહોંચની બહાર છે.


કુપોષણથી 17 લાખ લોકોના મોત


આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફળ, શાકભાજી અને માંસ જેવી ખાદ્ય વસ્તુઓ ખરીદવાનો ખર્ચ દેશની મોટી વસ્તીની ખરીદ શક્તીની બહાર છે. ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ 2021 મુજબ, ભારતની 71% વસ્તી પોષણયુક્ત ખોરાક ખરીદવા માટે સક્ષમ નથી. આ કિસ્સામાં વિશ્વની સરેરાશ 42 ટકા છે. જો આપણે પૌષ્ટિક ખોરાકની વાત કરીએ તો તેમાં ફળો, શાકભાજી, સૂકા ફળો અને માંસ-માછલી વગેરેનો સમાવેશ થાય છે. કુપોષણ અને તેનાથી થતા રોગોના કારણે દેશભરમાં દર વર્ષે 17 લાખ લોકો મૃત્યુ પામે છે.


કુપોષણનું કારણ અસહ્ય મોંઘવારી


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધતી જતી મોંઘવારીને કારણે છેલ્લા બે વર્ષમાં પૌષ્ટિક ખોરાક લોકોની પહોંચની બહાર છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ફુગાવો એક વર્ષમાં 327 ટકા વધ્યો છે. જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 84 ટકા વધ્યો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો થવાનું સૌથી મોટું કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માછલી, દૂધ-દહીં, ચીઝ અને માંસ વગેરેનું સેવન કરવું લોકોની પહોંચની બહાર થઈ ગયું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 20 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને રોજ માત્ર 36 ગ્રામ ફળ મળે છે, જ્યારે તે દરરોજ 200 ગ્રામ લેવું જોઈએ.


આ સાથે શાકભાજીનો જથ્થો દૈનિક 300 ગ્રામને બદલે માત્ર 168 ગ્રામ જ મળે છે. જો આપણે ખોરાક વિશે વાત કરીએ, તો ભારતની મોટાભાગની વસ્તી પોષક આહારના દૈનિક લક્ષ્યના એક ક્વાર્ટરને પણ પૂર્ણ કરવામાં અસમર્થ છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ બાબતમાં થોડો સુધારો થયો છે, પરંતુ લોકોને પૌષ્ટિક આહાર આપવાની કવાયત હજુ પણ સફળ થતી જણાતી નથી.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.