ભારતની 71% વસ્તી પોષણયુક્ત ખોરાક ખરીદવા અસક્ષમ: રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:38:09

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE

ભારતની 70% વસ્તી પૌષ્ટિક ખોરાક ખરીદી શકતી નથી. હાલમાં જ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ અને ડાઉન ટુ અર્થ મેગેઝીનના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. કુપોષણને કારણે થતા રોગોમાં શ્વસન સમસ્યાઓ, ડાયાબિટીસ, કેન્સર, સ્ટ્રોક અને કોરોનરી હૃદય રોગ વગેરેનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ અનુસાર, હેલ્ધી ડાયટમાં સામેલ  63 ટકા વસ્તુઓ ભારતના લોકોની પહોંચની બહાર છે.


કુપોષણથી 17 લાખ લોકોના મોત


આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફળ, શાકભાજી અને માંસ જેવી ખાદ્ય વસ્તુઓ ખરીદવાનો ખર્ચ દેશની મોટી વસ્તીની ખરીદ શક્તીની બહાર છે. ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ 2021 મુજબ, ભારતની 71% વસ્તી પોષણયુક્ત ખોરાક ખરીદવા માટે સક્ષમ નથી. આ કિસ્સામાં વિશ્વની સરેરાશ 42 ટકા છે. જો આપણે પૌષ્ટિક ખોરાકની વાત કરીએ તો તેમાં ફળો, શાકભાજી, સૂકા ફળો અને માંસ-માછલી વગેરેનો સમાવેશ થાય છે. કુપોષણ અને તેનાથી થતા રોગોના કારણે દેશભરમાં દર વર્ષે 17 લાખ લોકો મૃત્યુ પામે છે.


કુપોષણનું કારણ અસહ્ય મોંઘવારી


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધતી જતી મોંઘવારીને કારણે છેલ્લા બે વર્ષમાં પૌષ્ટિક ખોરાક લોકોની પહોંચની બહાર છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ફુગાવો એક વર્ષમાં 327 ટકા વધ્યો છે. જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 84 ટકા વધ્યો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો થવાનું સૌથી મોટું કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માછલી, દૂધ-દહીં, ચીઝ અને માંસ વગેરેનું સેવન કરવું લોકોની પહોંચની બહાર થઈ ગયું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 20 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને રોજ માત્ર 36 ગ્રામ ફળ મળે છે, જ્યારે તે દરરોજ 200 ગ્રામ લેવું જોઈએ.


આ સાથે શાકભાજીનો જથ્થો દૈનિક 300 ગ્રામને બદલે માત્ર 168 ગ્રામ જ મળે છે. જો આપણે ખોરાક વિશે વાત કરીએ, તો ભારતની મોટાભાગની વસ્તી પોષક આહારના દૈનિક લક્ષ્યના એક ક્વાર્ટરને પણ પૂર્ણ કરવામાં અસમર્થ છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ બાબતમાં થોડો સુધારો થયો છે, પરંતુ લોકોને પૌષ્ટિક આહાર આપવાની કવાયત હજુ પણ સફળ થતી જણાતી નથી.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.