ઈન્ડિગો પ્લેનમાં AC કામ કરતું નહોતું, પરસેવો લૂછવા પેસેન્જરોને ટિશ્યુ પેપરનું કરાયું વિતરણ, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-06 12:01:25

દેશના ટેલિકોમ સેક્ટરની જેમ સિવિલ એવિયેશન સેક્ટર પણ મોનોપોલી હાથોમાં જઈ રહ્યું છે. પ્રાઈવેટ હાથોમાં ગયેલા એવિયેશન સેક્ટરની જુજ કંપનીઓ યાત્રીકો પાસેથી બેફામ ભાડું ઉઘરાવે છે પણ સર્વિસના નામે ઝીરો છે. દેશની અગ્રણી અગ્રણી કંપની ઈન્ડિગોની ફ્લાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઈન્ડિગો ફ્લાઇટ 6E7261માં ચંદીગઢથી જયપુર સુધીની મુસાફરીમાં યાત્રીકોને ભયાનક અનુભવ થયો હતો. કાળઝાળ ગરમીમાં લગભગ 10-15 મિનિટ સુધી મુસાફરોને કતારમાં રાહ જોવી પડી અને જ્યારે યાત્રિકો પ્લેનમાં પહોંચ્યા ત્યારે એસી કામ કરી રહ્યું ન હતું અને ફ્લાઈટ એસી વગર જ ટેકઓફ થઈ હતી. આટલું જ નહીં ટેકઓફથી લઈને ઉતરાણ સુધી એસી બંધ હતા અને આખી મુસાફરી દરમિયાન તમામ મુસાફરોને ભયાનક હાલાકી ભોગવવી પડી હતી. કોંગ્રેસના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો હતો.


પરસેવો લૂછવા ટિશ્યુ પેપરનું વિતરણ


કોંગ્રેસના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે ટ્વિટર પર આ વીડિયો શેર કરતા લખ્યું કે, 'ફ્લાઇટ દરમિયાન કોઈએ યાત્રીકોની ગંભીર ચિંતાની નોંધ પણ લીધી ન હતી. એર હોસ્ટેસે મુસાફરોનો પરસેવો લૂછવા માટે ટિશ્યુ પેપર આપ્યા હતા. મહિલાઓ અને બાળકો સહિત મોટાભાગના મુસાફરો બેચેન અને ઉશ્કેરાયેલા હતા.' વીડિયોમાં મુસાફરો ટીશ્યુ અને કાગળો વડે ફેનિંગ કરતા જોઈ શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે આ સ્પષ્ટપણે એક મોટી ટેકનિકલ સમસ્યા હતી પરંતુ સંબંધિત કંપની માત્ર પૈસા કમાવવા માગે છે. આથી મુસાફરોના આરોગ્ય અને આરામને દાવ પર લગાવવામાં આવ્યો હતો. તેમણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGC) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ને ઈન્ડિગો એરલાઈન્સ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.