ઈન્ડિગો પ્લેનમાં AC કામ કરતું નહોતું, પરસેવો લૂછવા પેસેન્જરોને ટિશ્યુ પેપરનું કરાયું વિતરણ, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-06 12:01:25

દેશના ટેલિકોમ સેક્ટરની જેમ સિવિલ એવિયેશન સેક્ટર પણ મોનોપોલી હાથોમાં જઈ રહ્યું છે. પ્રાઈવેટ હાથોમાં ગયેલા એવિયેશન સેક્ટરની જુજ કંપનીઓ યાત્રીકો પાસેથી બેફામ ભાડું ઉઘરાવે છે પણ સર્વિસના નામે ઝીરો છે. દેશની અગ્રણી અગ્રણી કંપની ઈન્ડિગોની ફ્લાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઈન્ડિગો ફ્લાઇટ 6E7261માં ચંદીગઢથી જયપુર સુધીની મુસાફરીમાં યાત્રીકોને ભયાનક અનુભવ થયો હતો. કાળઝાળ ગરમીમાં લગભગ 10-15 મિનિટ સુધી મુસાફરોને કતારમાં રાહ જોવી પડી અને જ્યારે યાત્રિકો પ્લેનમાં પહોંચ્યા ત્યારે એસી કામ કરી રહ્યું ન હતું અને ફ્લાઈટ એસી વગર જ ટેકઓફ થઈ હતી. આટલું જ નહીં ટેકઓફથી લઈને ઉતરાણ સુધી એસી બંધ હતા અને આખી મુસાફરી દરમિયાન તમામ મુસાફરોને ભયાનક હાલાકી ભોગવવી પડી હતી. કોંગ્રેસના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો હતો.


પરસેવો લૂછવા ટિશ્યુ પેપરનું વિતરણ


કોંગ્રેસના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે ટ્વિટર પર આ વીડિયો શેર કરતા લખ્યું કે, 'ફ્લાઇટ દરમિયાન કોઈએ યાત્રીકોની ગંભીર ચિંતાની નોંધ પણ લીધી ન હતી. એર હોસ્ટેસે મુસાફરોનો પરસેવો લૂછવા માટે ટિશ્યુ પેપર આપ્યા હતા. મહિલાઓ અને બાળકો સહિત મોટાભાગના મુસાફરો બેચેન અને ઉશ્કેરાયેલા હતા.' વીડિયોમાં મુસાફરો ટીશ્યુ અને કાગળો વડે ફેનિંગ કરતા જોઈ શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે આ સ્પષ્ટપણે એક મોટી ટેકનિકલ સમસ્યા હતી પરંતુ સંબંધિત કંપની માત્ર પૈસા કમાવવા માગે છે. આથી મુસાફરોના આરોગ્ય અને આરામને દાવ પર લગાવવામાં આવ્યો હતો. તેમણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGC) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ને ઈન્ડિગો એરલાઈન્સ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.