ઈન્ડિગો પ્લેનમાં AC કામ કરતું નહોતું, પરસેવો લૂછવા પેસેન્જરોને ટિશ્યુ પેપરનું કરાયું વિતરણ, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-06 12:01:25

દેશના ટેલિકોમ સેક્ટરની જેમ સિવિલ એવિયેશન સેક્ટર પણ મોનોપોલી હાથોમાં જઈ રહ્યું છે. પ્રાઈવેટ હાથોમાં ગયેલા એવિયેશન સેક્ટરની જુજ કંપનીઓ યાત્રીકો પાસેથી બેફામ ભાડું ઉઘરાવે છે પણ સર્વિસના નામે ઝીરો છે. દેશની અગ્રણી અગ્રણી કંપની ઈન્ડિગોની ફ્લાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઈન્ડિગો ફ્લાઇટ 6E7261માં ચંદીગઢથી જયપુર સુધીની મુસાફરીમાં યાત્રીકોને ભયાનક અનુભવ થયો હતો. કાળઝાળ ગરમીમાં લગભગ 10-15 મિનિટ સુધી મુસાફરોને કતારમાં રાહ જોવી પડી અને જ્યારે યાત્રિકો પ્લેનમાં પહોંચ્યા ત્યારે એસી કામ કરી રહ્યું ન હતું અને ફ્લાઈટ એસી વગર જ ટેકઓફ થઈ હતી. આટલું જ નહીં ટેકઓફથી લઈને ઉતરાણ સુધી એસી બંધ હતા અને આખી મુસાફરી દરમિયાન તમામ મુસાફરોને ભયાનક હાલાકી ભોગવવી પડી હતી. કોંગ્રેસના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો હતો.


પરસેવો લૂછવા ટિશ્યુ પેપરનું વિતરણ


કોંગ્રેસના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે ટ્વિટર પર આ વીડિયો શેર કરતા લખ્યું કે, 'ફ્લાઇટ દરમિયાન કોઈએ યાત્રીકોની ગંભીર ચિંતાની નોંધ પણ લીધી ન હતી. એર હોસ્ટેસે મુસાફરોનો પરસેવો લૂછવા માટે ટિશ્યુ પેપર આપ્યા હતા. મહિલાઓ અને બાળકો સહિત મોટાભાગના મુસાફરો બેચેન અને ઉશ્કેરાયેલા હતા.' વીડિયોમાં મુસાફરો ટીશ્યુ અને કાગળો વડે ફેનિંગ કરતા જોઈ શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે આ સ્પષ્ટપણે એક મોટી ટેકનિકલ સમસ્યા હતી પરંતુ સંબંધિત કંપની માત્ર પૈસા કમાવવા માગે છે. આથી મુસાફરોના આરોગ્ય અને આરામને દાવ પર લગાવવામાં આવ્યો હતો. તેમણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGC) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ને ઈન્ડિગો એરલાઈન્સ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.