ઈન્ડિગો પ્લેનમાં AC કામ કરતું નહોતું, પરસેવો લૂછવા પેસેન્જરોને ટિશ્યુ પેપરનું કરાયું વિતરણ, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-06 12:01:25

દેશના ટેલિકોમ સેક્ટરની જેમ સિવિલ એવિયેશન સેક્ટર પણ મોનોપોલી હાથોમાં જઈ રહ્યું છે. પ્રાઈવેટ હાથોમાં ગયેલા એવિયેશન સેક્ટરની જુજ કંપનીઓ યાત્રીકો પાસેથી બેફામ ભાડું ઉઘરાવે છે પણ સર્વિસના નામે ઝીરો છે. દેશની અગ્રણી અગ્રણી કંપની ઈન્ડિગોની ફ્લાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઈન્ડિગો ફ્લાઇટ 6E7261માં ચંદીગઢથી જયપુર સુધીની મુસાફરીમાં યાત્રીકોને ભયાનક અનુભવ થયો હતો. કાળઝાળ ગરમીમાં લગભગ 10-15 મિનિટ સુધી મુસાફરોને કતારમાં રાહ જોવી પડી અને જ્યારે યાત્રિકો પ્લેનમાં પહોંચ્યા ત્યારે એસી કામ કરી રહ્યું ન હતું અને ફ્લાઈટ એસી વગર જ ટેકઓફ થઈ હતી. આટલું જ નહીં ટેકઓફથી લઈને ઉતરાણ સુધી એસી બંધ હતા અને આખી મુસાફરી દરમિયાન તમામ મુસાફરોને ભયાનક હાલાકી ભોગવવી પડી હતી. કોંગ્રેસના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો હતો.


પરસેવો લૂછવા ટિશ્યુ પેપરનું વિતરણ


કોંગ્રેસના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગે ટ્વિટર પર આ વીડિયો શેર કરતા લખ્યું કે, 'ફ્લાઇટ દરમિયાન કોઈએ યાત્રીકોની ગંભીર ચિંતાની નોંધ પણ લીધી ન હતી. એર હોસ્ટેસે મુસાફરોનો પરસેવો લૂછવા માટે ટિશ્યુ પેપર આપ્યા હતા. મહિલાઓ અને બાળકો સહિત મોટાભાગના મુસાફરો બેચેન અને ઉશ્કેરાયેલા હતા.' વીડિયોમાં મુસાફરો ટીશ્યુ અને કાગળો વડે ફેનિંગ કરતા જોઈ શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે આ સ્પષ્ટપણે એક મોટી ટેકનિકલ સમસ્યા હતી પરંતુ સંબંધિત કંપની માત્ર પૈસા કમાવવા માગે છે. આથી મુસાફરોના આરોગ્ય અને આરામને દાવ પર લગાવવામાં આવ્યો હતો. તેમણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGC) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ને ઈન્ડિગો એરલાઈન્સ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .