Indigo Flight : કલાકો સુધી ફ્લાઈટ ડિલે થઈ તો મુસાફરોએ પ્લેનની બાજુમાં જમવાનું કર્યું પસંદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 13:56:13

ઈન્ડિગો એરલાઈન્સ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ કોઈ નવી વાત નથી અનેક વખત આ એરલાઈન્સ ચર્ચામાં આવી છે. ગઈકાલથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો જેમાં ફ્લાઈટ ડિલે થવાને કારણે એક પેસેન્જરે પાયલોટ પર હાથ ઉપાડી દીધો. અનેક કલાકો સુધી પેસેન્જરોને બેસી રહેવું પડ્યું હતું. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં મુસાફરો રનવે પર જમી રહ્યા છે. ફ્લાઈટ ડિલે થવાના સમાચાર મળ્યા તો મુસાફરો પ્લેનમાંથી નીચે ઉતરી ગયા અને રનવે પર પલાઠી મારીને જમવા લાગ્યા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ગઈકાલે પણ એક વીડિયો ઈન્ડિગો ફ્લાઈટનો થયો હતો વાયરલ!  

હમણાં ઠંડીની સિઝન છે. ઠંડીને કારણે વાતાવરણમાં ધુમ્મસ હોય છે જેને કારણે અનેક ફ્લાઈટ તેમજ ટ્રેનોને ડિલે અથવા તો કેન્સલ કરવામાં આવે છે. પ્લેન તેમજ ટ્રેનો મોડી દોડી રહી છે. ફ્લાઈટ તેમજ ટ્રેન ડિલે થવાને કારણે મુસાફરો અટવાઈ રહ્યા છે. મુસાફરોને અનેક કલાકો સુધી પ્લેટફોર્મ તેમજ એરપોર્ટ પર ટાઈમ વિતાવવો પડે છે. ગઈકાલે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પેસેન્જરે પાયલોટને લાફો મારી દીધો હતો. ત્યારે એક વીડિયો ફરી એક વખત વાયરલ થઈ રહ્યો છે જેમાં રનવે પર મુસાફરો જમી રહ્યા છે. ફ્લાઈટ ડિલે થવાને કારણે પેસેન્જરો અટવાઈ ગયા અને પછી શું... પેસેન્જરો ફ્લાઈટમાંથી નીચે ઉતર્યા અને રનવે પર જમવા લાગ્યા. 

પ્લેનની બાજુમાં જમવા બેઠા મુસાફરો! 

મળતી માહિતી અનુસાર આ વીડિયો એવા પેસેન્જરોનો છે જેમની ફ્લાઈટ 12 કલાક સુધી ડિલે થઈ હતી. આ વીડિયો અંગે જે માહિતી સામે આવી છે તે પ્રમાણે આ મુસાફરોને ગોવાથી દિલ્હી જવાનું હતું. પરંતુ ગોવા-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટ લગભગ 12 કલાક મોડી પડી હતી. આ પછી પણ તે દિલ્હી માટે ઉડાન ભરી શકી ન હતી, તેને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. આટલો સમય ફ્લાઈટ ડિલે થવાને કારણે ફ્લાઈટમાં સવાર મુસાફરોએ જમવાનું નક્કી કર્યું. ફ્લાઈટની બાજુમાં જમતા મુસાફરોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અંગે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો.    



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.