Indigo Flight : કલાકો સુધી ફ્લાઈટ ડિલે થઈ તો મુસાફરોએ પ્લેનની બાજુમાં જમવાનું કર્યું પસંદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 13:56:13

ઈન્ડિગો એરલાઈન્સ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ કોઈ નવી વાત નથી અનેક વખત આ એરલાઈન્સ ચર્ચામાં આવી છે. ગઈકાલથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો જેમાં ફ્લાઈટ ડિલે થવાને કારણે એક પેસેન્જરે પાયલોટ પર હાથ ઉપાડી દીધો. અનેક કલાકો સુધી પેસેન્જરોને બેસી રહેવું પડ્યું હતું. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં મુસાફરો રનવે પર જમી રહ્યા છે. ફ્લાઈટ ડિલે થવાના સમાચાર મળ્યા તો મુસાફરો પ્લેનમાંથી નીચે ઉતરી ગયા અને રનવે પર પલાઠી મારીને જમવા લાગ્યા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ગઈકાલે પણ એક વીડિયો ઈન્ડિગો ફ્લાઈટનો થયો હતો વાયરલ!  

હમણાં ઠંડીની સિઝન છે. ઠંડીને કારણે વાતાવરણમાં ધુમ્મસ હોય છે જેને કારણે અનેક ફ્લાઈટ તેમજ ટ્રેનોને ડિલે અથવા તો કેન્સલ કરવામાં આવે છે. પ્લેન તેમજ ટ્રેનો મોડી દોડી રહી છે. ફ્લાઈટ તેમજ ટ્રેન ડિલે થવાને કારણે મુસાફરો અટવાઈ રહ્યા છે. મુસાફરોને અનેક કલાકો સુધી પ્લેટફોર્મ તેમજ એરપોર્ટ પર ટાઈમ વિતાવવો પડે છે. ગઈકાલે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પેસેન્જરે પાયલોટને લાફો મારી દીધો હતો. ત્યારે એક વીડિયો ફરી એક વખત વાયરલ થઈ રહ્યો છે જેમાં રનવે પર મુસાફરો જમી રહ્યા છે. ફ્લાઈટ ડિલે થવાને કારણે પેસેન્જરો અટવાઈ ગયા અને પછી શું... પેસેન્જરો ફ્લાઈટમાંથી નીચે ઉતર્યા અને રનવે પર જમવા લાગ્યા. 

પ્લેનની બાજુમાં જમવા બેઠા મુસાફરો! 

મળતી માહિતી અનુસાર આ વીડિયો એવા પેસેન્જરોનો છે જેમની ફ્લાઈટ 12 કલાક સુધી ડિલે થઈ હતી. આ વીડિયો અંગે જે માહિતી સામે આવી છે તે પ્રમાણે આ મુસાફરોને ગોવાથી દિલ્હી જવાનું હતું. પરંતુ ગોવા-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટ લગભગ 12 કલાક મોડી પડી હતી. આ પછી પણ તે દિલ્હી માટે ઉડાન ભરી શકી ન હતી, તેને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. આટલો સમય ફ્લાઈટ ડિલે થવાને કારણે ફ્લાઈટમાં સવાર મુસાફરોએ જમવાનું નક્કી કર્યું. ફ્લાઈટની બાજુમાં જમતા મુસાફરોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અંગે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.