અમેરિકાના કેલિફોર્નિયામાં થયું અંધાધૂધ ફાયરિંગ. ચાઈનીઝ ન્યૂયરની ઉજવણી માટે એકત્ર થયા હતા લોકો


  • Published By :
  • Published Date : 2023-01-22 16:43:10

અમેરિકામાં છાશવારે ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. ફાયરિંગને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે ફરી એક વખત અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ચીની નવા વર્ષની ઉજવણી કરવા લોકો એકત્રિત થયા હતા ત્યાં ફાયરિંગ થયું હતું અને આ ઘટનામાં અંદાજીત 10 જેટલા કે તેથી વધારે લોકોના મોત થયા છે.


10 જેટલા લોકોના થયા મોત 

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં અંધાધૂધ ફાયરિંગ થઈ હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા એક જ દિવસમાં ફાયરિંગની ત્રણ ઘટનાઓ બની હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે કેલિફોર્નિયામાં એક અંધાધૂધ ફાયરિંગ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં અંદાજીત 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અંદાજીત 16 જેટલા લોકોને ગોળી વાગી છે.  


નવા વર્ષની ઉજવણી દરમિયાન કરાઈ ફાયરિંગ 

મળતી માહિતી અનુસાર આ ઘટના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં બની હતી. શનિવાર રાત્રે આ ઘટના બનતા આ વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી હતી. આ પાર્કમાં ચીનના નવા વર્ષની ઉજવણી કરવા લોકો એકત્ર થયા હતા. ત્યાં આવીને એક વ્યક્તિએ અંધાધૂધ ફાયરિંગ કરી હતી જેમાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 16 જેટલા લોકો ઘાયલ થયા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.