અમેરિકાના કેલિફોર્નિયામાં થયું અંધાધૂધ ફાયરિંગ. ચાઈનીઝ ન્યૂયરની ઉજવણી માટે એકત્ર થયા હતા લોકો


  • Published By :
  • Published Date : 2023-01-22 16:43:10

અમેરિકામાં છાશવારે ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. ફાયરિંગને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે ફરી એક વખત અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ચીની નવા વર્ષની ઉજવણી કરવા લોકો એકત્રિત થયા હતા ત્યાં ફાયરિંગ થયું હતું અને આ ઘટનામાં અંદાજીત 10 જેટલા કે તેથી વધારે લોકોના મોત થયા છે.


10 જેટલા લોકોના થયા મોત 

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં અંધાધૂધ ફાયરિંગ થઈ હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા એક જ દિવસમાં ફાયરિંગની ત્રણ ઘટનાઓ બની હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે કેલિફોર્નિયામાં એક અંધાધૂધ ફાયરિંગ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં અંદાજીત 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અંદાજીત 16 જેટલા લોકોને ગોળી વાગી છે.  


નવા વર્ષની ઉજવણી દરમિયાન કરાઈ ફાયરિંગ 

મળતી માહિતી અનુસાર આ ઘટના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં બની હતી. શનિવાર રાત્રે આ ઘટના બનતા આ વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી હતી. આ પાર્કમાં ચીનના નવા વર્ષની ઉજવણી કરવા લોકો એકત્ર થયા હતા. ત્યાં આવીને એક વ્યક્તિએ અંધાધૂધ ફાયરિંગ કરી હતી જેમાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 16 જેટલા લોકો ઘાયલ થયા છે.  



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?