અમેરિકાના કેલિફોર્નિયામાં થયું અંધાધૂધ ફાયરિંગ. ચાઈનીઝ ન્યૂયરની ઉજવણી માટે એકત્ર થયા હતા લોકો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-22 16:43:10

અમેરિકામાં છાશવારે ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. ફાયરિંગને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે ફરી એક વખત અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ચીની નવા વર્ષની ઉજવણી કરવા લોકો એકત્રિત થયા હતા ત્યાં ફાયરિંગ થયું હતું અને આ ઘટનામાં અંદાજીત 10 જેટલા કે તેથી વધારે લોકોના મોત થયા છે.


10 જેટલા લોકોના થયા મોત 

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં અંધાધૂધ ફાયરિંગ થઈ હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા એક જ દિવસમાં ફાયરિંગની ત્રણ ઘટનાઓ બની હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે કેલિફોર્નિયામાં એક અંધાધૂધ ફાયરિંગ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં અંદાજીત 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અંદાજીત 16 જેટલા લોકોને ગોળી વાગી છે.  


નવા વર્ષની ઉજવણી દરમિયાન કરાઈ ફાયરિંગ 

મળતી માહિતી અનુસાર આ ઘટના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં બની હતી. શનિવાર રાત્રે આ ઘટના બનતા આ વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી હતી. આ પાર્કમાં ચીનના નવા વર્ષની ઉજવણી કરવા લોકો એકત્ર થયા હતા. ત્યાં આવીને એક વ્યક્તિએ અંધાધૂધ ફાયરિંગ કરી હતી જેમાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 16 જેટલા લોકો ઘાયલ થયા છે.  



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે