કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાંગરો વાટ્યો, "અલ્લાહ અને મહાદેવ એક છે", VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-27 21:52:27

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક નજીક છે ત્યારે રાજકારણીઓ પણ તેમના નિવેદનોના કારણે વિવાદ સર્જી રહ્યા છે. જેમ કે રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક ચૂંટણી સભામાં આપેલા ભાષણે ખાસ્સી ચર્ચા જગાવી છે. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ઈન્દ્રનિલ રાજ્યગુરુએ અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યા હતા.


ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન શું છે?


ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે. રાજ્યગુરુએ દાવો કર્યો કેઅજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. આ સભામાં ઈન્દ્રનિલે અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.


ઇન્દ્રનીલે ભાષણને લઈ કરી સ્પષ્ટતા


ભાષણને લઈ વિવાદ વકરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટતા કરી હતી કે "મારો હેતું કોમી એકતાનો હતો, કારણ કે અલ્લાહ અને ઈશ્વર એક જ છે નામ જુદા છે. હિંદુઓએ અજમેરમાં મહાદેવને અને મુસ્લિમોએ સોમનાથમાં અલ્લાહને જોવા જોઈએ. તેમણેએ પણ છે કે કોઈ પદ અને પૈસા માટે રાજકારણમાં આવ્યો નથી મારો હેતુ લોકોને જાગૃત કરવાનો છે".


ધર્મગુરૂઓએ શું કહ્યું?


ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે. રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે કહ્યું હતું કે હિંદુ સમાજ માટે આઘાતજનક વાત છે. ચૈતન્ય શંભુ મહારાજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને વખોડ્યું છે. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે માત્ર હિંદુ સમાજ નહીં આ નિવેદન મુસ્લિમ સમાજ માટે પણ અપમાનજનક છે.



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...