સિંધુ જળ સંધિ પર ઘેરાયું પાકિસ્તાન, હવે ભારતે આપી નોટિસ, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-01-27 14:09:18

સિંધુ જળ સમજુતીને લઈ ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને નોટિસ ફટકારી છે. સપ્ટેમ્બર 1960માં થયેલી આ જળ સંધીની સમીક્ષા  માટે ભારતે પાકિસ્તાનને નોટિસ ફટકારી છે. ભારતે કહ્યું છે કે તે એક જવાબદાર ભાગીદાર રહ્યો છે.  પાકિસ્તાનની કાર્યવાહીના કારણે સિંધુ જળ સંધી પર પ્રતિકુળ અસર પડી છે. આ નોટિસનો હેતુ પાકિસ્તાનને જળ સિંધુના ઉલ્લંખનને સુધારવા માટે 90 દિવસમાં સરકારી સ્તરે વિચાર વિમર્શ કરવાનો છે. આ નોટિસ 25 જાન્યુઆરીએ સિંધુ જળ સાથે જોડાયેલા કમિશનર્સને પાઠવવામાં આવી છે. 


પાકિસ્તાને કરી હતી ફરિયાદ


પાકિસ્તાનની વારંવારની ફરિયાદ પર, વિશ્વ બેંકે હાલમાં ન્યુટ્રલ એક્સર્ટ અને કોર્ટ ઓફ આર્બિટ્રેશન પ્રક્રિયા પર કાર્યવાહી શરૂ કરી છે. સિંધુ જળ સમજુતીની કોઈપણ જોગવાઈઓ હેઠળ આ મુદ્દાઓ પર કોઈપણ સમાંતર વિચારણાને આવરી લેવામાં આવી નથી. સિંધુ જળ સમજુતીમાં સંશોધન બાબતે પાઠવવામાં આવેલી ભારતની આ નોટિસ દ્વારા પાકિસ્તાનને સિંધુ જળ સમજુતીના ભૌતિક ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસની અંદર સરકાર સાથે વાતચીત કરવા માટેની તક આપવામાં આવી છે. 


સિંધુ જળ સમજૂતી શું છે?


સિંધુ જળ સમજૂતી પાણીના વિભાજન બાબતની તે વ્યવસ્થા છે, જેના પર 19 સપ્ટેમેબર 1960નાં રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને કરાચીમાં હસ્તાક્ષર કર્યા હતા. તેમાં છ નદીઓ બિયાસ, રાવી, સતલુજ, સિંધુ, ચિનાબ અને જેલમના પાણીના વિતરણ અને ઉપયોગ કરવાના અધિકારોનો સમાવેશ થાય છે. વિશ્વ બેંકે આ કરારમાં મધ્યસ્થી કરી હતી.


આ નદીઓના કુલ 16.8 કરોડ એકર-ફૂટમાંથી ભારતનો હિસ્સો 3.3 કરોડ એકર-ફૂટ છે, જે લગભગ 20 ટકા છે. બીજી તરફ, પશ્ચિમની નદીઓ સિંધુ (ઈન્ડસ), ચિનાબ અને જેલમનું પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું છે. જો કે, ભારતને આ નદીઓના પાણીનો ખેતી, ઘરેલું વપરાશ માટે ઉપયોગ કરવાનો અધિકાર છે. આ સાથે ભારત અમુક માપદંડોની અંદર હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ પણ બનાવી શકે છે.


ઈન્ડસ કમિશન શા માટે રચાયું?


ઈન્ડસ વોટર સંધિ (સિંધુ જળ સમજુતી) હેઠળ કાયમી સિંધુ કમિશન રચવા પર 1960માં ભારત અને પાકિસ્તાને હસ્તાક્ષર કર્યા હતા. આ કમિશન હેઠળ દેશોમાં કમિશનરોની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. આ સંધિને કારણે બંને દેશોના કમિશનરોને વર્ષમાં એકવાર મળવાનું હોય છે.તેમની બેઠક એક વર્ષ ભારતમાં અને એક વર્ષ પાકિસ્તાનમાં મળે છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.